SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 444 ખેતીવાડી અને બાગ બગીચા આ પ્રમાણથી ઓછું ખાતર નહિ ચાલે. અહીં બીજી પણ એક બે રીતે આપીએ છીએ. (આ આતર ૧ વીધાનું સમજવું.) - ૧-સફેટ ઑફ એમેનીયા ૧૦૦ રતલ, ૨-હાડકાંને બારીક ભૂકો બન-મીલ) ૧૫૦ રતલ, ૩-સુપર ફાસ્કેટ ઓફ લાઈમ ૫૦ રતલ, ૪-કોઈનીટ ૧૦૦ રતલ, ૫-મ્યુરીયેટ આફ પટેલ ૫૦ રતલ=કુલ ૪૫૦ રતલ. આ રસાયણીક ખાતર રોપ્યા પછી પહેલાં છ વરસ અગર ફળ આવતાં સુધી આપવાનો રિવાજ છે. ખાતર-બીજું ૧-સફેટ એફ એમોનીયા ૧૨૦ રતલ, ૨-બન મીલ ૨૮૦ રતલ, ૩-કેઇનીટ ૧૦૦ રતલ, ૪-સુપર ફાસ્કેટ ૬૦ રતલ, ૫-મ્યુરીએટ ઑફ પટેલ ૭૦ રતલ=કુલ ૬૩૦ રલ.. આ ખાતર જ્યારે ફળની શરૂઆત થાય, ત્યારે વાપરવું એમ જણાવવામાં આવે છે. * ખાતર-ત્રીજું ૧-એરંડાને ખેળ ૨૫૦ રતલ, ૨-તળાવની માટીની ઉપરની પોપડી ૫૦૦ રતલ, ૩-રાખ ૨૦૦ રતલ, ૪-ચામડીઆને ત્યાંનો મેલ તથા સૂકાયેલું લોહી ૧૦૦ રતલ, પહાડકાંનો ભૂકો ૧૦૦ રતલ= કુલ ૧૧૫૦ રતલ. ઉપરનું વિલાયતી ખાતર મળવાને મુશ્કેલી નડે છે અને મેંવું પડે છે. તે માટે આને ઉપયોગ કરવાની કેટલાકે ભલામણ કરે છે. ઉપરનાં કોઈપણ ખાતરોમાંથી જે વાપરવું હોય તેજ દર વરસે વાપરવું અને તે ઝાડને કેમ આપવું તે નીચે પ્રમાણે જણાવ્યું છે – મઘા નક્ષત્રમાં પહેલા પંદર દિવસ ઝાડનાં મૂળીઓ ઉઘાડાં કરી જે આગળ ફુટતાં હોય તેમને કાપી નાખવાં અને ખામણું બરાબર કરવું અને તેમાં ઉપરનું કોઈપણ ખાતર નાખવું અથવા તે નીચેનાં ખાતરો પણ વપરાય છે –ખામણીમાં છાણ નાખી તેના ઉપર દીવેલીના ઝાડનાં પાન અને ડાળ વગેરે તોડી નાખે છે અને બે ત્રણ દિવસ પછી ખામણું માટીથી ઢાંકી દે છે. છાણને બદલે ખારી માટી પણ વપરાય છે અગર તળાવના કે ખાબોચીઆની માટીની પોપડી પણ નાખે છે.વિષ્કાના ખાતરથી પણ લાભ થાય છે. ગોવા તરફ ઘાસનો રાખો અને મીઠું નાખે છે અને ૩-૪ દિવસ પછી માટીથી ઢાંકી દે છે. અહીં બીજું એક વિલાયતી ખાતર પણ જણાવવામાં આવે છે. ૧-છાણ ૨૫ રતલ, ૨-પોટાસીયમ સલ્ફટ ૩ રતલ, ૩-પોટાસીયમ કલોરાઈટ ૧ રતલ, ૪-હાડકાંનો ભૂકો ૪ રતલ, પ-દીવેલીને ખોળ ૪ રતલ=કુલ ૩૭ રતલ. આ ખાતર પણ માફકસર આવે છે એમ કહેવાય છે. પણ ઉપર કહી ગયા તેમ એટલું યાદ રાખવું કે, કોઈ પણ એક જ જાતનું ખાતર વાપરવું, નહિ તે ઝાડ કમજોર થશે. દુધ્યમ પાકે વિષે નારીની વાતમાં કોઈપણ જાતના દમ પાક લેવા સલાહકારક નથી. કારણ આમ કરવાથી જમીનને કસ કમતી થાય છે અને તેથી કરીને મૂળ પાકને (નાળીએરીને) બરાબર પોપણ નહિ મળે; માટે જે કંઈ દુમ પાક તરીકે વાડીમાં વાવવું હોય તે તે ફક્ત અઢાર માસમાં ફળે તેવી નાળીએરો હાલ બહાર પડી છે; અને તેને સારો જ અમારી પાસે સ્ટોકમાં હોય છે (નહિ તો એંરડર લઈ મંગાવી આપવામાં આવે છે.) તેજ છે. આ નાળીએ રોપવાથી ફાયદો એ થશે કે, આને માટે ખાતર નાખવું પડશે. તેનો ઉપયોગ જમીનનો કસ વધારવામાં થશે: બી જે મોડાં ફળનારાં નાળીએ તૈયાર થાય ત્યાં સુધી તે આના ૮ થી ૧૦ પાકે આપણને લેતાં ફાવે છે. આ નાળીએ પથરાવાળી જમીનમાં પણ થઈ શકે છે. આ તેનો મોટો લાભ છે. આવી જમીનમાં પ્રથમ થોડી મહેનત કરી, છ ફુટ લાંબા, પહોળા અને ઉંડા ખાડા ખોદાવી ૩ મહીના તપવા દેવા. પછી તેમાં નીચેનું ખાતર નાખી છેડ રોપવા. આને રોપ્યા તારીખથી ૧૮ માસ પછી ફળ આવે છે. તેને આપવાનું ખાતર-ખાડા તપી રહ્યા પછી તેમાં સડેલું છાણનું ખાતર અને રેતી અગર તળાવ અગર ખાબોચીઆની માટીની સૂકાએલી પડી અને તેમાં ૬ શેર (પાઉંડ) કળીચુનો, ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy