SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ખેતીવાડી અને માત્ર અગીચા SOU ખેતી છે એટલે કે મલબારકિનારા ઉપરના ત્રાવણુકાર જીલ્લાના વતનીઓ આ ઝાડમાંથી તેમનું ઘર, ધરમાંની ઉપયોગી ચીજો, ખેતીનાં ઓજારા વગેરે બનાવી જાણે છે અને તે બાજુમાં પાંચ માણસાના કુટુંબને ૧ એકર નાળીએરીની વાડી હેાય તે પેતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે. આનું મૂળ વતન હિંદી અને પાસીફિક મહાસાગરમાંના બેટા છે. ગરમ પ્રદેશેામાં આની જબરજસ્ત પ્રમાણમાં ખેતી થઈ રહી છે. આ પછી હિંદુસ્થાનમાં મલખાનારા આને માટે ખાસ વખણાય છે. એકલા ત્રાવણકાર જીલ્લામાં આની ખેતી આશરે ૪૦૦,૦૦૦ એકર જમીનમાં થાય છે અને તેની વાર્ષિક ઉપજ લગભગ રૂા. ૫૦,૦૦,૦૦૦ ની છે. ૨-જમીન અને માવજત હિંદુસ્થાનમાં એમ માલૂમ પડે છે કે, દરિયાની સપાટીથી એકદમ ઉંચા પ્રદેશેાસિવાય બધે આની ખેતી થઈ શકે છે. કાળી અને ચીકણી જમીન આને માફ્ક નથી આવતી; કારણ કે તેનાં મૂળીઆં રેષાવાળાં ન હેાવાથી સમી જાય છે. મરડ તથા કાંકરીવાળી જમીનમાં પણ એને સારૂં પોષણ મળતું નથી, પણ જે જમીનમાંથી ખીલકુલ પાણી ન મળે એવી રેતાળ જમીન આવે માટે ઉત્તમ છે. આવી જમીનમાં ખારા પાણીને અશ અને મીઠા પાણીની ચીકાશ ન હેાવાથી તે માફક આવે છે. આને સમુદ્રના પવનથી પણ વધારે ફાયદો થાય છે. સાધારણ રીતે સમુદ્રના પવન જ્યાં લાગે છે અનેજ્યાં ઉપલા પ્રકારની જમીન છે, ત્યાં નાળીએર થઈ શકે છે અને તેથીજ મલબાકિનારે આજે સારી રીતે માફક આવે છે. ૩–રાપ તૈયાર કરવા અને રાપણી ખીજને માટે, નાળીએરના ઝાડ ઉપરથી સૂકાયલાં નાળીએર ભેગાં કરી ઉપરથી ફેંકી ન દેતાં ધીમે રહીને નીચે ઉતારવાં, નહિ તેા અંદરના ભાગને ઈજા પહોંચે છે. તેથી ઉપર ઝેાળી રાખી તેમાં મૂકી ઉતારવામાં આવે છે. આમ ઉતાર્યાં પછી જેમાં પાણી સાધારણ અને હલાવવાથી ધાતુ જેવા અવાજ થતા હોય તેવું નાળીએર ખીજતે માટે પસંદ કરવું,જોઇએ. જેમાં પાણી વધારે હાય અથવા તદ્દન ઓછું હેાય તેવાં નાળીએર બીજને માટે નકામાં છે; કારણ પહેલામાં કાચું હાવાને લીધે ઉગી શકતું નથી તેમજ ખીજાના ગા મરી ગયેલેા હેાય છે તેથી તેની ઉગવાની શક્તિ નાખુદ થઈ છે. ઉપર પ્રમાણે પસંદગી કર્યા પછી મૃગ નક્ષત્રમાં, છાયાવાળી અને પાણીની નજીકની જમીન પસંદ કરીને તેમાં રેાપવા. તે એવી રીતે કે પ્રથમ જમીનમાંથી સ કચરા વગેરે કાઢી સાફ કરવી અને તેને એકદમ પેચી બનાવવી. પછી દેઢ ટ ઉંડી અને દોટ છુટ પહેાળી નીકા બનાવી તેને એક બે દિવસ સુધી પાણી પાઈ તર કરવી અને ત્રીજે દિવસે તેમાં નાળીએર રાપવાની શરૂઆત કરવી. નાળીએર જેવી રીતે ઝાડ ઉપર લાગે છે, તેવી રીતે નીકમાં રેાપવાં, માથા ઉપર વધારે માટી નાખવી નહિ, પછી તેને પાણી પાવું અને આજુબાજુએ પાણી છાંટી જમીન ઠંડી રાખવી તથા હંમેશાં ઠંડક રહે તેવી ગેઠવણ કરવી. ત્રણ–સાડાત્રણ મહીના પછી ફ્ગ્ા નીકળે છે. આ પછી પાણીનું પ્રમાણ વધારવું. અને છ મહીનામાં ત્રણ પાનાં ઢે છે અને આમ ૩ પાન છુટવા પછી તેને કાયમની જમીનમાં રેષાને હરકત નથી. આમ બીજે ઠેકાણે રેપવામાટે મધા નક્ષત્રથી તે વૈશાખ મહીનાસુધી રાપવાને હરકત નથી; પણ કેટલાક પાણીની મહેનત બચાવવા ચેામાસાની શરૂઆતમાં રાષે ; પણ એટલું યાદ રાખવું કે, ૩ પાન છુટાસિવાય છેડને કાયમને ઠેકાણે રેાપવા નહિ. એક એકરમાં ૨૦ પુટને અંતરે છેાડ વાવવાથી ૯૦ છેડ વાવી શકાય છે; માટે જ્યાં આગળ નાળીએરીનું વાવેતર કરવુ હોય ત્યાં વાવતા પહેલાં એક માસ અગાઉ (ઉનાળામાં) ખાડા ખેાદાવી તપવા દેવા, ખાડાનું માપ ૬ ફુટ ઉંડા, ૬ ફુટ પહેાળા અને ૩૪ટ લાંબા એ પ્રમાણે ખાદાવવા. એક મહીને તપ્યા પછી તેમાં નીચેનું ખાતર નાખી ખાડા ભરી દેવા. ખાતર ખાડામાંથી નીકળેલી માટીમાં મેળવી પછી ખાડા ભરવા. ખાતર-૨ પાઉંડ રાખાડા, ના પાઉડ મીઠું અને રા! પાઉંડ ચૂને(કળી) ખાડામાં છેડ મૂકતા પહેલાં તેમને એક એ દિવસ મીઠાના પાણીમાં પલાળવા મૂકવા; એટલે એક મેટા વાસણમાં મીઠાનું પાણી કરી તેમાં પેલા છેડે મૂકી રાખવા. આમ કર્યાંથી આગળ ઉપર તેમને ઉધાઇના ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy