SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ A w w wwwwwh/૧, ૧// www w w w w vvvvvvvvvvN v w vvvvvvvvv શકિતવર્ધક પાક બનાવવાની રીત ૨છે. પાક બનાવવાની રીતિ સમજાવવાની જરૂર છે. આ બાબત લખવાનું મને મન થયું છે તેનું બીજું કારણ એ છે કે, તુલસીનાં બીનો પાક, પીપળાના ફળને પાક તથા હાથલાનાં ડાડવાંના રસનો પાક વગેરે બાબત ઉપર મુંબઈ વૈદ્યસભામાં મેં ભાષણ આપ્યું હતું, તે ઉપરથી એ બધા. પાક કેમ બનાવવા એવો સવાલ પૂછનારા સેંકડો કાગળ મારી ઉપર આવેલા છે. એટલે મને લાગ્યું કે, પાક બનાવવાની રીતે જાણવાની હજારો લોકોની ઇરછા છે, માટે એ પ્રયોગો ખુલ્લા દિલે જાહેરમાં મૂકવા જોઈએ. આમ લાગવાથી પાક બનાવવાની વિધિને આ લેખ હું લખું છું. ૧-તુલસીનાં બીના પાક અને તેના ફાયદા ઘણુએ હિંદુલોકો પોતાને ઘેર કુડામાં તથા બાગચાઓમાં તુલસીના છોડ રોપાવે છે. એ તુલસી બે જાતની હોય છે. તેમાં જે તુલસીનાં પાન બહુ લાલાં હોય છે તે લીલી તુલસી કહેવાય છે અને જે તુલસીનાં પાન જરા કાળાશ પડતાં હોય તે કુણુતુલસી કહેવાય છે. એ બને તુલસીનાં બી પાક બનાવવામાં કામ લાગી શકે છે; પણ એ બન જાતના બે, મ કાળી તુલસી i બી વધારે સારાં ગણાય છે. તુલસીના બી એટલે તુલસીની ઉપર જ મંજરી થાય છે, ને જેને લેકે માંજર કહે છે તે સૂકાયા પછી તેન ચાળા ખંખેરવાથી તેમાંથી ખસખસના દાણા જેવડાં, રાઈના જેવા રંગવાળાં બી નીકળે છે તે. એ બી કંઈ ઠેકાણે ઠેકાણે મળતા નથી; પણ ખાસ ચાહીને, ચોકસાઈ રાખીને કેાઈ બગીચામાથી મેળવીએ ત્યારે તે બી મળે છે. ગાંધી લેકેની દુકાને તુલસીનાં બીને નામે કોઈ બીજી જાતનાં બી બાધી આપે છે; પણ એ બાથી કંઈ તુલસીનાં બી જેટલો ફાયદો થતો નથી. આપણે તરફ તુલસીનાં ખેતર કે વાવતા નથી. એટલે તુલસીનાં બી જથાબંધ મળી શકતાં નથી, પણ મેં સાંભળ્યું છે કે, બંગાળામાં તુલસીનાં બી મળી શકે છે અને મથુરા પાસે વૃંદાવન છે ત્યાં તુલસીનાં ખેતરો છે તે મેં જોયેલાં છે. એ લોકોને મેં પૂછ્યું કે, તુલસીનાં ખેતરો રાખવાં તમને કેમ પાલવે છે ? ત્યારે એ લોકોએ કહ્યું કે, તુલસીની ખેતી કરવામાં બહુ જ મોટો ફાયદો છે; કારણ કે તુલસીના એક ક્યારામાંથી આખું વરસ તુલસી ઉતારે તેની કિંમત રૂ. ૧) એક મળે છે અને એક વાઘા જમીનની અંદર ઘણા ક્યારા થઈ શકે છે. એ તુલસી દેવને ચઢાવવા માટે તેનાં પાંદડાં તેડી લેવામાં આવે છે. એ પછી કાતકમાસમાં તેનાં બી તૈયાર થાય છે. એ એક રતલ બની કિંમત એક રૂપિયાથી માંડી ચાર રૂપિયા સુધી ઉપર શકે છે. એ સિવાય તુલસી સૂકાઈ ગયા પછી તેનાં જે લાકડાં રહે ઘણું ઉપજે છે. એ લાકડાંઓ માળા તથા કંઠી બનાવવાના કામમાં લાકે વાપરે છે અને તે લાકડાંના બંગાળી એક મણના વીસ પિયા કિંમત ઉપજે છે. આવી રીતે તુલસીનાં પાંદડાંમાંથી પણ પૈસા ઉપજે છે ને તુલસીનાં બીમાંથા પણ પૈસા ઉપજે છે; તેમ તુલસી ાં લાકડામાંથી પણ બહુ મોટી કિંમત ઉપજી શકે છે, માટે તુલસીનાં વાવેતર કરવા ગુજરાતના ખેડુતો ધ્યાન આપે તો તેઓને બહુ ફાયદો થઈ શકે તેમ છે. લીલી અને કાળી તુલસીસિવાય બીજી એક જંગલી જાતની તુલસી થાય છે. તે પોતાની મેળે જંગલોમાં ઉગી નીકળે છે. તેનાં પાંદડાં બહુ મોટાં હોય છે અને તેનાં બી પણ રાઈના દાણા જેવા હોય છે, તેનો રંગ પણ ઘણું કરીને રાઈના દાણાને મળતો જ હોય છે. એ તુલસીને કેટલાક લોકો રામ તુલસી કહે છે અને કેટલાક લોકો તેને રામ તુલસી પણ કહે છે. તેના છેડ કૃષ્ણજુલસી કરતાં મોટા થાય છે અને એ તુલસમાંથી બી પણ વધારે નીકળે છે. તે બીને પણ પાક બની શકે છે અને તેનાં બીની તપાસ જે આ માસમાં કરી હોય તે તે વખતે ઘણાં બી મળી શકે છે. પણ અફસોસની વાત એ છે કે, જે ઠેકાણે એવી ઉત્તમ વસ્તુઓ થાય છે ત્યાંના લોકોને એ વસ્તુઓની કંઈ કિંમત હોતી નથી. એટલે તેઓ એ બીને સાચવી રાખવાની તજવીજ કરતા નથી. તેથી તે કિંમતી બી પોતાની મેળે પાકીને જમીન ઉપર ખરી જાય છે અને ત્યાં જ તેને નાશ થાય છે, માટે આવી ઉત્તમ વસ્તુઓનો નાશ ન થાય ને તેને કંઈ સદુપયોગ થાય તેમ કરવાની સૌ ભાઈબહેનોએ કાળજી રાખવી જોઈએ. તુલસીનાં બીને ખાંડી, વાટી, અગર ઘંટીએ દળાવીને તેને લોટ જેવો બારીક ભૂકો કરવો. તે મૂકે . ૦૫ લે. મરી તો. ૧, ભાંગ તો. મેં, કેસર તો. , એનચી તો. ૧, બદામને મગજ શેર. હા, માવો શે. હા, ચણાનો લોટ શેર ૪, સાકર શે. ૧ાા, ઘી શેર ૧૧; એટલી વસ્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy