SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^^^^^^^^^^^ ^ ૨૫૨ તપસ્વીની તેજધારાઓ જીએ ધક્કો દઈને દુશ્મનને પાછો નાખે. ત્યાં તે ચોગ કેપ કરીને રાવ ફરીવાર ધો. જરાયે વાર નહોતી; પણ સ્વામી છએ ઉભા થઈને ઝપાટામાં પિતાનો પંજો પહોળા કરી રાવના હાથમાંથી તરવાર ઝાલી ઝુંટવી લીધી અને તરવારની પીંછીને જમીન ઉપર ટેકવી. મૂઠપર એક એવો દાબ દીધો કે, “કડાક!' કરતા એ તરવારના બે ટુકડા થઈ ગયા ! રાવનું કાંડું પકડીને સ્વામીજીએ કહ્યું-'કેમ, હવે હું તમારા પર પ્રહાર કરીને બદલે લઉં, એવી તમારી ઇરછા છે ?' રાવનું મેં ઝંખવાણું પડયું. તમારા અત્યાચારથી ચઢાઈને હું તમારું બુરું ચિંતવું નહિ. હું સંન્યાસી છું. જાઓ, પ્રભુ તમને સન્મતિ આપે !” તરવારને બંને ટુકડા સ્વામીજીએ દૂર ફગાવી દીધા. રાવ વિદાય થઈ ગયા. આ ઘોર ઘટના બની તે વેળા પચાસ માણસો સ્વામીજી પાસે બેઠા હતા. તેઓએ આગ્રહ કર્યો કે રાવને અદાલતમાં ઘસડવા જોઈએ. સ્વામીજી કહે કે, “એ કદી ન બને. એ બિચારો તો પોતાની ક્ષત્રિ હું મારા બ્રાહ્મણત્વમાંથી શામાટે લથડું ?” ભક્તજનોએ આવીને સ્વામીજીને વિનવ્યા છે કે આપની જીંદગી લેવા વારંવાર હુમલા કરે છે. તે આપ આડી ઉઘાડા સ્થાનમાં ન રહેતાં તમારા અંદરના ખંડમાં રહો.' સ્વામીજી કહેતા, “ભાઈ ! અહીં તો તમે રક્ષણ કરશે, પણ બીજે જઈશ ત્યાં કાણ બચાવવાનું હતું? મને તે પ્રભુ જેવડે મેટ ચેકીદાર મળે છે. મને કશો ભય નથી.” એક દિવસ સભાની વચ્ચોવચ એક કાલિને ઉપાસક બ્રાહ્મણ નશામાં ચકચૂર થઈને આવ્યો અને ગાળો દેતાં દેતાં સ્વામીજીની સામે પગરખું ફેંકર્યું. પગરખું તો સ્વામીજીને ન વાગતાં વચ્ચેજ પડી ગયું; પણ ત્યાં બેઠેલા સાધુઓની આંખમાં ખૂન ભરાઈ આવ્યું. તેઓ આ બ્રાહ્મણને પકડીને મારવા મંડળ્યા. સ્વામીજીએ તેને અટકાવીને કહ્યું કે “શા માટે ? મને કંઈ જ દુ:ખ નથી અને કદાપિ ડે મને વાગે હોત તોપણ એ કયાં રામબાણ હતું ?” મહારાજ ! એકલા એકલા આપ કાં હસી રહ્યા છો ?” ભક્તએ પૂછ્યું. “ જુઓ, એક માણસ અહીં ચાલ્યો આવે છે. હમણાં તમને એને તમાશે બતાવું.' સ્વામી જીએ જવાબ દીધે. ત્યાં તો એક બ્રાહ્મણ મિષ્ટાન્ન લઈને આવી પહોંચ્યો. “સ્વામીજી, નમે નારાયણ કહીને એણે મિષ્ટાનની ભેટ ધરી. સ્વામીજીએ કહ્યું-“ો, થોડું તમે પણ ખાઓ; હું પણ ખાઉ”. પરંતુ પેલા માણસે મિઠાઈ ન લીધી. સ્વામીજીએ ત્રાડ મારીને કહ્યું, “ખાઓ, કેમ નથી ખાતા બ્રાહ્મણ કાંપી ઉઠશે. એણે બે હાથ જોડક્યા, સ્વામીજીએ પાસે બેઠેલા એક કૂતરાને બટકું ખવડાવ્યું. તરત કૂતરો ઢળી પડયો. પિતાના ભકતને સ્વામીએ બતાવ્યું કે “આટલામાટે હું હસતો હતો. આ વિષ-પ્રયોગ જોયો ?' ભકતે પેલીસને બોલાવવા ઉઠયા. સ્વામીજી કહે કે “એ નજ બને. જુઓ આ બાપડો થરથરે છે. એને એટલી સજજ બસ થશે.” બ્રાહ્મણને છોડી દેવામાં આવ્યો. અમૃતસરમાં એક દિવસ એક પાઠશાળાના શિક્ષકે પિતાના નાની વયના વિદ્યાર્થીઓને શીખવ્યું કે “ચાલો, આજે આપણે એક કથા સાંભળવા જવાનું છે. તમે તમારાં દફતરોમાં ઈટોના ટડા ભરી લો. ત્યાં હું ઈશારે કરું કે તરત જ તમે કથા કહેનારની ઉપર ઇટોને મારો ચલાવજે. કાલે તમને લાડ આપવામાં આવશે.” એ કથાકાર મહર્ષિ દયાનંદવિના બીજે કણ હોય ? બાળકો સહિત પંડિત કથામાં ગયા. સાંજ પડી અને અંધારું થયું કે તત્કાળ ગુરુજીએ ઈશારત કરી. સ્વામી જીના માથા પર ઈટાને વરસાદ વરસવા લાગ્યો. આખી સભા ખળભળી ઉઠી, પણ સ્વામીજીએ સૌને શાંત પાડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy