SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તપસ્વીની તેજવારાઓ ૨૫૧ તે કશુંય નથી કર્યું. મને કદાચ માર્યો હાત તેાપણ શી ચિંતા હતી ? જા, પ્રભુ તને સન્મતિ દેજો ! × X × X સેંકડા રાજપૂતાને યજ્ઞોપવિત દેતા દેતા સ્વામીજી ગામેાગામ ઘૂમી રહ્યાહતા.એક વખત કણું વાસમાં એમને પડાવ હતા. ગંગાસ્નાનના મેળાપર હારા માનવી એકઠાં થયેલાં હતાં. ખરેાલીના ઠાકાર રાવ કર્ણસિહ પણ આવેલા. આ રાવને વૈષ્ણુત્ર પથને એવા તેા નાદ લાગેલા કે પેાતાના નોકરચાકરાને અરે ગાય, ભેંસ અને ધેડાઓને કપાળે અને કઠે પણ તે બળાત્કાર કરીને તિલક કંઠી લગાવી રહ્યા હતા. એક રાત્રિએ એના મુકામપર રાસલીલા રમાતી હતી. સ્વામીજીને પણ ૫ચિંતા ખેલાવવા આવ્યા.સ્વામીજીએ કહ્યું એવા હલકા કામમાં હું ભાગ ન લઈ શકું. આપણા પૂજનીય .પુરુષોના તમે વેશ ભજવી રહ્યા છે! એ ધિક્કારને પાત્ર કૃત્ય કહેવાય.' રાવ કણસિંહને આ અપમાનના ધા વસમે લાગ્યા. બીજે દિવસે સાંજરે પેાતાના મંડળને લઇ રાવ આવી પહોંચ્યા. સ્વામીજી ઉપદેશ કરી રહ્યા છે.શ્રોતાએ તલ્લીન છે.રાવને આવેલા જોઇ રવામીજીએ સત્કારક કે ‘આવા ક્યાં બેસીએ ? કડક સ્વરે રાવ ગઈ ઉડયા. ‘જ્યાં આપની ખુશી હૈાય ત્યાં.' હસીને સ્વામીજી એલ્યા. ‘તમારી પડખેજ ખેસીશું.' ‘ખુશીથી; આવા, મેસેા.' કહી સ્વામીજીએ પેાતાના આસનપરથી પેાથી હઠાવી લીધી. પણ રાવને તે ટટા મચવવા હતા; એના મદેાન્મત્ત ક'માંથી વચને નીકળ્યાં કે સન્યાસી થને રાસલીલામાં હાજરી ન આપી તેની લજ્જા નથી આવતી ?' ‘રાવ મહાશય, આપા પૂછ્ય પૂર્વજોના વેશ લઇને હલકાં મનુષ્યા નાચે અને આપ ક્ષત્રિયે બનીને બેઠા બેટા એ નાટક ઉપર ખુશી થાએ, એની લજ્જા તે આપનેજ આવવી ઘટે ! કાઇ સાધારણ લેાકા પણ પેતાનાં કુટુબીજનેાના વેશ જોઇને ખુશી ન થાય.' અને તમે ગ ંગામૈયાની પણ નિદા કરેા છે, કેમ ? ‘ના ભાઇ, હું ગંગાની નિંદા નથી કરતા; પણુ ગગા જેવી અને જેટલી છે તેવી અને તેટલીજ હું એને વર્ણવી બતાવું છું.' ‘એટલે ! ગ`ગા કેટલી છે ?? કમડળ ઉઠાવીને સ્વામીજી ખેલા, ‘જીએ, મારેમાટે તે આ કમડળ ભરાય તેટલીજ.' કર્ણસિંહના હાડ કંપી રહ્યા હતા. સ્વામીજી ફરીવાર મેલ્યા, રાવ સાહેબ, આપના કપાળમાં આ તિલક શાનું ?' ‘એ ‘શ્રી' છે, એને ધારણ ન કરનાર ચંડાળ છે.' આપ કયારથી વૈષ્ણવ થયા ? કેટલાંક વર્ષો થયાં. ’ ‘અને આપણા પૂર્વજો પણ વૈષ્ણવ હતા ?” 'dl. . ત્યારે આપના કથન પ્રમાણે તે આપણા પૂર્વજો તેમજ થાડાં વર્ષ પૂર્વે આપ પાતે પણ ચડાળજ હતા એમ યું !? રાવના હાથ તરવારની મૂઠ ઉપર ગયા અને એણે ત્રાડ દીધી, ‘માં સંભાળીને ખેલ! ' બીજા દશબાર હથિયારબંધ લેકે હતા, એમના પંજા પણ શ્વેતપેાતાની તરવારપર ગયા. શ્રોતાએ ડરી ગયા; પણ સ્વામીજીએ પેાતાની સદાની ગંભીર વાણીમાં શરૂ રાખ્યું કે શીદને ડરા છે ? કશી ચિંતા નથી, મેં સત્યજ કહ્યું છે.' રાફડામાંથી ભભૂકતા રૂધિરની માફક રાવ કસિંહ `કાર કરતા ગાળાના વરસાદ વરસા-વવા લાગ્યા. એને જમણેા હાથ વાર વાર ખડ્ગની મૂ′પર જવા માંડયે; પરંતુ સ્વામીજીએ તેા માં મલકાવીનેજ શાંત વાણી ઉચ્ચારી કે ‘રાવ સાહેબ, વારંવાર ખડ્ગ શામાટે ખખડાવે છે!? જો શાસ્ત્રાર્થ કરવા હાય તે આપના ગુરુજીને તેડી લાવા; પણ શસ્ત્રાજ કરવા હોય તેા પછી અમ સન્યાસીને શીદ ડરાવા છે ? જઇને જયપુર જોધપુરની સાથે બાખડાને !' કાપ-જ્વાળામાં સળગતા રાવ તરવાર ખેંચીને સ્વામીજીની સામે ધસ્યા. એકવાર તે સ્વામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy