SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ર સિંહણની છાતી આવ્યા. બાદ સને ૧૯૧૧ માં રાજ્યાભિષેકપ્રસ ંગે તેએ વિલાયત ગયા હતા અને ત્યાં ભેગા ચચેલા રાજા, મહારાજા તથા અમીરઉમરાવે। આગળ પેાતાના ખેલેા બતાવી, મેટી નામના મેળવી હતી અને તેમને કેટલાક સેાનાના ચાંદે તથા સિક્રિકેટા મળ્યાં હતાં. ત્યારપછી તેઓ ફ્રાન્સમાં ગયા હતા. ત્યાં પણ તેમની સારી કદર થઇ હતી અને ત્યાંનાં છાપાંઓએ તેમની તારીફ કરી જણાવ્યું હતું કે, પ્રા॰ રામમૂર્તિ આગળ યૂરેપના સેંડે, સેમ્સન વગેરે કંઇ વિસાતમાં નથી અને તેમની જૂના જમાનાના હરક્યુલીસ, ભીમ વગેરે દૈવી બળવાંળા પુરુષા સાથે સરખામણી કરી હતી. ફ્રાંસમાં પ્રા॰ રામમૂર્તિને એક અકસ્માત નવાથી હિંદ પાછા ફરવું પડયું. તેઓ પોતાની છાતીપરથી હાથીને જવા દેવાના ખેલ કરતા હતા એટલામાં ત્યાંના કાઇ યૂરોપીયન હરીફે તેમની છાતીપર મૂકેલા પાટીઓને છેડવાથી પારીયુ' તૂટી ગયુ હતું અને હાથીને! પગ પ્રા॰ રામમૂર્તિની છાતી ઉપર પડવાથી તેમની પાંસળીઓ ભાંગી ગઇ હતી. આથી પ્રા॰ રામમૂર્તિને કેટલાક મહિના માંદા રહેવું પડ્યું અને તેએ હિંદ પાછા ફર્યાં હતા. સિહણની છાતી ( રાશક્તિ-તા. ૧–૯–૨૬ ) એ જુલમી રાજાને મદ તેડવા એણે શસ્ત્ર ઉપાડવાં. જેની છાંયા હેઠળ શીતળ શાંતિ પામવાને બદલે લેકાના હૈયામાં ભડભડ દ્વેષ સળગતા. તેની સત્તાને ધૂળમાં રગદેાળવાને શિરને સાટે એણે રણઘેલા પ્રજાજતેાની સરદારી સ્વીકારી અને ચીનના એ મહાજાલિમ સમ્રાટને યુદ્ધનાં કહેણુ કહાવ્યાં, સમ્રાટે દરબાર ભયો. “કાલુ છે. આ પત્રનું લખનાર મગતરૂં ? ચીનના સાર્વભૌમ સત્તાધારી શહેનશાહ સામે ઉંચી આંખે કરનાર કાણુ છે આ, જેને માથે કાળ ભમી રહ્યા છે ? ચમરાજનાં એને તેડાં આવ્યાં છે કે શું? ' સેનાપતિએ પડકાર કર્યોઃ– મહારાજ ! એની માતા તેા આપણા કેદખાનામાં સબડે છે. હુકમ કરા, કે તેનું ધડ શિરથી જૂ દુ પડે.” સમ્રાટે ફરમાન કાઢયું:-“ જણાવા એ ડેાશીને કે તારા પુત્રને તરવાર મ્યાન કરવાનું ફરમાય, નહિ તેા તારૂં ડેાકું ધડથી જૂદુ થશે. ' હાથમાં ખંજર લઈ સેનાપતિ ડેાશીના કેદખાનામાં ચાલ્યા. * X X X X નાનકડી કાટડીમાં એક ખૂણે એ બેઠી હતી. ગાત્ર એનાં ગળવા લાગ્યાં હતાં. શરીર હાડચામનેા માળેા હતું પણ એ હાડચામના માળા પાછળ બ્રહ્માંડને ડાલાવે તેવા આત્મા ભભુકતા હતેા. બાર ઉધડવાં તે ખજરસહિત સેનાપતિએ આવી સમ્રાટને સંદેશા કહ્યા. (" ખજર પણ જગતના ઇતિહાસે જેનાં નામ જાણ્યાં નથી એવી એ તે સિહણુ હતી ! એ નનામી વીરાંગનાની ગગનભેદી ગર્જના ચીનના ઈતિહાસમાં સદાયે સુવર્ણાક્ષરે રહેશે ! "" તરવાર મ્યાન કરવાનું ફરમાવ તારા પુત્રને એ ડેશીમા ! નહિ તે!, આ તારી છાતીમાં ભેાંકાઇ તને પળવારમાં હતી નહતી કરશે. નરાધમ ! નરાધમેાના સરદાર તારા સમ્રાટને કહેજે, સિંહણનાંજ બાળક સિંહ નિવડે છે. શમશેરની ધારે તું મને ડરાવવા ઇચ્છે છે ? મારા રુધિરની નીક મારા દેશને કાજે ભલે વહેા ! વૃદ્ધ વીરાંગનાએ સેનાપતિના હાથમાંથી ખંજર ઝુંટવી લીધું ને પેાતાની છાતીમાં આરપાર ભેાંકી દીધું. “ નીચે ! તારામાં કંઇ પણ હૈયું હાય, તેા લઇ જજે આ રક્ત ગળતું ખંજર, તે સંભળાવજે મારા છેલ્લે ખેલ મારા સપુતને કે “બેટા! જાલિમને કાજે તારી સમશેર સદા ભભુકતી રહેા. તારી માતાના દેહની તને બીક હતી તે હવે ટળી છે. પ્રજાનાં દુઃખદર્દીમાં તારી ભાગીદારી સદાય અવિચળ રહે અને પુત્ર સુખી કરેા મારૂં જન્મસ્થાન, મારી માતૃભૂમિને સ્વતંત્ર કરે !' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy