SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દાષિત કર્યો ૧૪૬ મલેક સુખારકના ચેહેરાપર વિજય અને આનંદની ચમક છાઈ. તેની આંખે થનયન નાચવા લાગી. “સાહેબે આલમ ! ” મલેક સુખારકે કહ્યું, “આપ જોઈ શકશે। કે, આ યદી બચાવના પૂરાવા રજૂ કરવા અસમર્થ છે. નાહક વખત વિતાડવામાં શે સાર છે? સિપાઇઓને ખેલાવા, અને તેને તેઓને સ્વાધીન કરી દ્યો. ખૂનની સા સિવાય બીજો માર્ગ એને માટે નથી.” ઇનાયતખાંએ આ ખવાદ તરફ લેશ પણ ધ્યાન આપ્યા વગર સુલ્તાન કુલિખાં તરફ જોયું અને કહ્યું, tr k “હજરત ! આને શી સજ્જ ક્રમાવવી, એ આપના હાથમાં છે. તેને તેની પેાતાની જીંદગી પાછી સોંપવી કે નહિ એને નિર્ણય આપ પાતેજ કરી શકરો. પણ ગરીબપરવર ! આપ સજા ફરમાવેશ ત્યાર પહેલાં એટલી વાત ધ્યાનમાં રાખવા હું આપને અરજ કરું છું કે, આ ઉમરાવ ખહાદુર છે. તેણે આજ આ કિલ્લાના મચાવને માટે પેાતાના પ્રાણ ખરચવા પાછી પાની કરી નથી. તેણે આજે આપણાપર ઉપકાર કર્યો છે, અને કંઇક અંશે સલ્તનતની સેવા પણ કરી છે.” હજરત ! ” સુલ્તાન કુલિખાંએ કહ્યું, “આપ દિલેર છે. એ વાત હું કબુલ કરું છું. દિલેરીને હું આરક છું. ગુણુની કદર કેમ કરવી, એ હું સારી રીતે જાણું છું, પણ હજરતને હાથે એક એવા ગુન્હા થયેા છે, કે જેને માટે સખ્ત શિક્ષા થવી આવશ્યક છે. તેઓએ કાઈ માણસની વિરુદ્ધમાં ખટપટ કરી હોત તેજાદી વાત હતી. તેઓને હાથે ખીજી જાતને ગુન્હા થયા હેત તે હું રહમદિલીથી વિચાર કરત, પણ ખુદ સલ્તનતની સામે, આલમપરવર સુલ્તાનની વિરુદ્ધમાં ખાગાતિ કરવાને આરેાપ છે, અને તે ઘણા જ ભયંકર છે. આપણે આપણા ન્યાયશીલ સુલ્તાનનું અને રાજ્યનું હિત પ્રથમ જોવું જોઇએ. દેશહિત આગળ આપણે આપણા પેાતાને સ્વાર્થ ખાજીએ રાખવા જોઇએ. દેશના કામ આગળ સ્વાર્થને લાત મારવી જોઇએ. હજરતે દેશની વિરુદ્ધ, દેશહિતની આડે આવે એવું કામ કર્યું છે, અને જો એવું કામ મારા પેાતાના દીકરાએ કર્યું હોય તે તેને માટે પણ હું એક જ શિક્ષા ક્રમાવું, અને તે ફાંસીની બીજી એને માટે સજા નથી. સહુથી પ્રથમ આપણા સ્વદેશ, અને સ્વદેશનું હિત. તેની આગળ બીજી બધી વાત તે ચ:કશ્ચિત છે, ખરું કે નહિ?” “ ખરાખર છે. આપનું કહેવું યથાર્થ છે,” ઇનાયતખાંએ ડાકું ધુણાવી કહ્યું, આપણે આખી જીંદગી આ દેશના લાભ માટે ગાળી છે. આપણે આપણું જીવન સ્વદેશસેવાને માટે અર્ધું છે, અને સ્વદેશની સેવા એ જ આપણી જીંદગીનું પરમ વ્રત છે. એ તની સાધનામાં છેલ્લા શ્વાસ સુધી રહેવું, એ આપણું કર્તવ્ય છે. દેશહિતના શત્રુને, દેશદ્રાહીને તેની શિક્ષા અવશ્ય ભાગવવી જ તેઇએ.” cr ' " હજરત ! ” સુલ્તાન કુલિખાંએ ગંભીર અવાજે કહ્યું, “ આપને ઇન્સાફ થઈ ચૂક્યા છે. આપને આપના બચાવને માટે જે કંઈ કહેવું હાય, આપને આપના બચાવને માટે જે કંઈ પૂરાવેા આવા હાય, જે કંઈ સબૂત રન્તુ કરવી હેાય તે કરવાની તક આપને આપવામાં આવી હતી. આપ આપના બચાવ કરવા અસમર્થ નીવડ્યા છે. આપ ખાનદાન વંશના છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034597
Book TitleRaunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Original Sutra AuthorN/A
AuthorRamnik A Mehta
PublisherGujarati Printing Press
Publication Year1919
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy