SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ રૌનક મહેલની રાજખટપટ પોતાની હાર માનવી પડી. આમ વાતેમાં વખત કયાં ગયે તે જણાયું નહિ. જોતજોતામાં સંધ્યા વ્યતીત થઈ; પૃથ્વીપર અંધકાર છવાવા લાગે; પક્ષીઓને કલરવ કાને પડવા લાગ્યા. ઇકામુલા ઉઠશે અને બહે, “શાહજાદી સાહિબા ! આપ હવે આરામથી શયન કરે.” દિલશાદ ઉભી થઈ અને બેલી, “અને આપ ક્યાં જાઓ છે?” હું કયાં જવાનો હતો ? હું આ પાછળના વાડામાં જઈ જરા લેટીશ.” દિલશાદના ચહેરા પર સહેજ ફિક્કાશ છવાઈ. તેણે ભયવ્યંજક સ્વરે કહ્યું, “હજરત! મને અહીં એકલું સુતાં બીક લાગશે.” “પણ હું કયાં દૂર છું? હું પણ અહીં જ છુંને. આપ કહે તે આ બાનના ભાગમાં સુઈ રહું, પછી?” “તે આપ અહીં સુખે આરામ કરે. હું જ તે બાળના ભાગમાં પડી રહીશ” દિલશાદ બેલી. ના, છ, એમ ન બને. આપ અહીં ત્યાંના કરતાં વધારે સુરક્ષિત છે.” દિલશાદ ચૂપ રહી. ઈઝામુદ્દોલાએ બારણું બંધ કર્યો, આડ નાંખી. દિલશાદ પણ તે તુટેલા ખાટલા પર પડી. ઈકામુદૌલા બાજુના ભાગમાં ચાલી ગયે. તે તે ભાગમાં એકલી જ હતી. ઓરડામાં તાપણાનો મંદ પ્રકાશ પડતું હતો. દિલશાદ તેને ભણી જોઈ રહી, અને વિચાર કરવા લાગી. ઇઝામુદ્દોલાના આટલા પરિચયે તેના મન પર જાદી જ છાપ પાડી હતી. તેના બેલવામાં તેને એક પ્રકારની ગૃહસ્થાચિત સુજનતા અને મિઠાશ લાગતી હતી. તેના વર્તનમાં સભ્યતા અને શિષ્ટાચાર જોતી હતી. તેની હિંમત અને સાહસિક વૃત્તિ જોઈ દિલમાં આનન્દ પામતી હતી. તેના હલનચલનમાં યૌવનસુલભ તનમનાટ અને ભયના સમયે પ્રસંગાવધાને તેના મન પર અસર કરી હતી. આટલું છતાં તેનું મન કઈ કઈ વખત કુશંકાના કાંપમાં ગળી જતું હતું. ઈઢામુદ્દોલા પોતાના મનની વાત સ્પષ્ટ રીતે જણાવતો ન હતો. એ ખરી વાત છે, તેણે વરંગુલમાં આવવાનું કારણ જણાવ્યું હતું, પરંતુ તે સિવાયની હકીક્ત તેણે ગુપ્ત રાખી હતી. તેના શરીર પરના વસ્ત્રમાંથી કાગળ નીકળ્યા હતા. તે જાસૂસ હતો એમ પૂરવાર થયું હતું, છતાં આ વાત તે સ્પષ્ટ રીતે ઈનકાર કરતો હતો. વળી આ ઉપરાંત તે એમ પણ જણાવતો હતો કે, મારાં લગ્ન થયાં નથી, એ શું? ખરેખર આ વાતમાં કંઈ ઘોટાળે છે. આમ વિચારમાં ને વિચારમાં તેને પિતાના પિતાનું સ્મરણ થયું, અને તે પત્રની બીના તેના મગજમાં પ્યુરી આવી. તેણે તે કાગળ મેળવવાને કશશ કરી હતી, પરંતુ તેમાં તે ફાવી નહિ. અને જ્યાં સુધી એ કાગળ હાથમાં ન આવે કે નષ્ટ ન થાય ત્યાં સૂધી સુલ્તાન લિખાંની જીંદગી ભયમાં રહેવાની. ઇઝામુદ્દોલાના હાથમાં જે એ કાગળ રહ્યો, તે તે અવશ્ય દુમનના હાથમાં આપવાને, અને પછી તેનું શું પરિણામ આવશે ? એ ખરી વાત કે, સુલ્તાન કુલિખાએ શુદ્ધિમાં તેના પર સહી કરી ન હતી ને કપટથી તે પત્ર પર સહી લેવામાં આવી હતી, પણ આ વાત માને કે? અને માને, તે એ વાત કહે છે? વળી એ પત્ર જે ઇઝામુદૌલા પાસે હોય, તે તે ન આપે એની ખાત્રી શી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, SuratvWW.umaragyanbhandar.com
SR No.034597
Book TitleRaunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Original Sutra AuthorN/A
AuthorRamnik A Mehta
PublisherGujarati Printing Press
Publication Year1919
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy