SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ રાસમાળા તેઓએ કુમારપાળને સ્વસ્તિપત્ર લખ્યું. રાજાએ તે પત્ર હેમચંદ્ર સૂરિને બતાવીને કહ્યું કે કામ પૂરું થઈ જતાં સુધી શું કર્યું હોય તો તે વચ્ચે વિશ્વ આવી નડે નહિ? સૂરિયે રાજાને સલાહ આપી કે દેવલના શિખર ઉપર શેખ અદી પિતાની ૪૭ વર્ષની ઉમરે ઈ. સ. ૧૨૬૬ માં હિન્દુસ્તાનની મુસાફરી કરવા નીકળ્યો ત્યારે તે પટ ગયો હતો એમ પિતાના બેસ્તાન નામના ગ્રંથના આઠમા બાબનું છેલ્લું પ્રકરણ “હિકાયત સફર હિન્દુસ્તાન અને મૂર્તિ પૂજકની ગુમાહી” નામનું છે તેમાં લખે છે કે, “એક હાથીદાંતની મૂર્તિ સોમનાથમાં મેં દીઠી, તે જડાક હતી, અને મકામાં એક મનાત નામે મહાટી મૂર્તિ હતી તેના જેવી એની સુરત બનાવેલી હતી, તે એવી કે, તેવી બીજી કઈ થઈ શકે નહિ. આવી નજીવી સુરતનાં દર્શન કરવા હરતરફી યાત્રાળુ આવતા અને ચીન મહાચીનના માણસેનાં ટોળાના સરદારે તે ઉપર આશા રાખી આવતા.” મારી પાસે એક સબતી હતી તેણે મને કહ્યું કે આ મૂર્તિ પરમેશ્વર પાસે માન્ય થયેલી છે, અને માણસને આશીર્વાદ દેવાને તે પોતાના હાથ ઉંચા કરે છે જે તમારે જેવું હોય તે અહિં રાત્રિ ગુજારો. હું રાત્રિ રહો અને કઈ પહેલવાન બલાના કૂવામાં પડે તેમ હું પણ પડ્યો. ઝંધી કે મારા પડખામાં પૂજા કસ્તા તેઓએ હાથ પણ જોયેલા નહિ અને તેઓના સાધુઓ બિલકુલ પાણીનું નામ પણ લેતા ન હતા, જેથી તેઓની બગલમાંથી મડદાના જેવી ગંધ આવતી હતી. સવાર થતાં ગામના અને બહારના લોકો મંદિરમાં આવ્યા એટલે એક સેય રાખવા જેટલી પણ તેમાં જગ્યા ખાલી રહી નહિ એમ મંદિર ભરાઈ ગયું અને હું રાત્રિના ઉજાગરાથી તથા ગુસ્સાથી ગભરાઈ ગયા. તે વેળાએ એચિન્તા તે મૂર્તિયે પિતાના હાથ ઉંચા કયા એટલે મારા સબતિયે મને હસીને કહ્યું કે, હવે તમારી ખાતરી થઈ હશે કે મૂર્તિમાં કેવું સત્ય છે. હું તે વેળાએ હાથીદાંતની મૂર્તિ પાસે ગયો અને હાથથી ચુંબન કર્યું અને છેડા દિવસ તેને માનવાથી કાફર બન્યો અને અંધ પુસ્તકની વાત કરી બ્રાહ્મણ થયો. જ્યારે તે મંદિરમાં મારે છતબાર બંધાય ત્યારે એક રાત્રિએ મંદિરના દરવાજા બંધ કરીને તરફ દેડીને તપાસ કરવા લાગ્યો, અને મૂર્તિની ઉપર નીચે જેવા લાગ્યો તો એક પૂજારે એક જરીના પડદા પછવાડે મુજાવર તરીકે બેઠેલો અને એક દેરી તેના હાથમાં રાખેલી એવે છે. તે દેરી ખેંચતા ત્યારે મૂર્તિના હાથ ઉંચા થઈ જતા. બ્રાહ્મણે મને જે એટલે તે શરમ્મદ થઈ ગયો અને નાસવા લાગ્યો. હું તેની પાછળ દેડી ગયો અને તેને પકડી પાડી કૂવામાં નાખી દીધો. જે માણસ માટે સેબતી હતો તે પણ જે આ વાત જાણશે તે મને જીવતો રાખશે નહિ એમ સમજી તેને પણ મેં મારી નાંખ્યો અને બીકને માર્યો હું તે દેશ મૂકીને યમનના મુદ્ધમાં નીકળી ગયો. પછી અરબના મુલ્કમાં થઈને અહિં આવ્યો છું. ઉપર પ્રમાણે શેખ સઅદીનું ટુંકામાં વર્ણન આપવામાં આવ્યું છે. આ ઉપરથી કેટલાક એ મૂર્તિ તે સેમિનાથ મહાદેવની મૂર્તિ હતી એમ માને છે. પણ મહાદેવની મૂર્તિ દેવળમાં હતી નથી પણ લિંગની સ્થાપના કરેલી હોય છે. માટે આ વર્ણન જિનની મૂર્તિને લાગુ પડે છે અને અંધ શબ્દ શેખ સઆદિયે વાપરયો છે તે જિનનો અપભ્રંશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy