SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ૨૬૧ ધ્વજા ચહડે ત્યાં સુધી તમારે માંસાહાર નહિ કરવાની અથવા સ્ત્રીસંગ ત્યાગ કરવાની બાધા લેવી. રાજાએ તે માન્ય કરીને મહાદેવની મૂર્તિ ઉપર જળ મૂછ્યું કે હું માંસાહાર કરીશ નહિ. બે વર્ષ વીત્યા પછી, શિખર પૂરૂં બંધાઈ રહ્યું એટલે કલશ અને ધ્વજારોપણ કરવાને કુમારપાળ તૈયાર થયું ત્યારે થયેલો જણાય છે તથા પૂજારિયાનું વર્ણન કરવામાં તેઓ ગંધાતા જણાવ્યા છે અને પાણી વાપરતા નથી એમ લખ્યું છે તે પણ તેમને જ લાગુ પડે એમ છે. - કુમારપાળ પછી, સુમારે એક સંકડા સુધી, દેવાલયને કાંઈ અડચણ થયેલી જણાતી નથી, પણ ઈ. સ. ૧૨૯૭માં અલાઉદ્દીન ખિલજિયે પોતાના ભાઈ અલફખાન, અને નસરતખાન જે તેને મુખ્ય પ્રધાન હતા એ બેને ગુજરાત જિતવા મોકલ્યા અને તે વેળાએ તેમણે સેમનાથની મૂર્તિને હરક્ત કરી. આ બનાવ બન્યા પછી એક સેકડે ઈ. સ. ૧૩૯૫માં મુજફરશાહ પહેલાએ પાટણ ઉપર ચડાઈ કરી, અને હિન્દુનાં સર્વ દેવાલયનો નાશ કરયો અને તે ઠેકાણે મજીદે કરાવી અથવા તો તે દેવાલયોને આકાર બદલી નંખાવ્યો. પછી વળી ઇ. સ. ૧૪૧૩માં, ફરિસ્તાના લખવા પ્રમાણે અહમદશાહ પહેલાએ જૂનાગઢના રા' ઉપર ચડાઈ કરી ત્યારે તેણે સેમપુરના દેવાલયનો નાશ કરો અને ત્યાંથી ઘણું જવાહર લઈ ગયા. પછી મહંમદ બેગડાએ (ઈ. સ. ૧૪૫૯-૧૫૧૩ માં) દેવળ તોડીને તેને સ્થાનકે મરજીદ બાંધી. છેલ્લામાં છેલ્લે સુઝફફર બીજાએ (૧૫૧૩-૧૫૨૬) દેવળ ઉપર હુમલો કરેલો જણાય છે. એ ઉપરથી એમ સમજાય છે કે, મુસલમાને દેવાલય તેડી જતા અને પછવાડેથી પાછી સ્થાપના કરવામાં આવતી. આ બનાવ બન્યા પછી દેવાલયને કેટલાક ભાગ મજીદને મળત-કરયો જણાય છે અને તેમ કરવાનું મુખ્ય કારણ એમ હશે કે મુસલમાની આકાર લેવામાં આવે તો પછી તે લકે ભણીથી તેને કાંઈ હરક્ત થાય નહિ. કુમારપાળ પછી, સરસ જીણોદ્ધાર, જાનાગઢના ચૂડાસમા રા” ચોથા ખેંગારે (સં. ૧૨૭૯–૧૩૩૩ માં) કસ્યાનું ગિરનારના બે લેખે ઉપરથી જણાય છે. રઠી તવારીખમાં જણાવે છે કે, સોમનાથના દેરાને મુસલમાનેએ મજીદના આકારમાં ફેરવી નાંખ્યું હતું અને તે ખંડેર થઈ ગયું હતું. સંવત ૧૮૪૦ (ઈ. સ. ૧૭૮૩) સુધી શેખમીયાન જે ન્યામતખાનની પછી ગાદિયે બેઠા હતા તેમના સમય સુધી, તેને જીર્ણોદ્ધાર થયા ન હતા. પણ અહલ્યા બાઈ–હકાર મલ્હારરાવ બહાદુરની મહાગુણવતી રાણિયે તે ફરીથી બંધાવ્યું. આ અહલ્યાબાઈ (ઈ. સ. ૧૭૬૫–લ્પ) પિતાના પાત્ર મલ્હારરાવના મરણ પછી બધો કારભાર પોતે જ ચલાવતાં હતાં. તેણે એમ નાથના મંદિરના જીર્ણોદ્ધાર ઉપરાંત જગન્નાથ, નાસિક, ઇલોરા, નીમાર, મહેશ્વર, દ્વારકા, ગયા, કેદારનાથ, રામેશ્વર, ઇત્યાદિ ઠેકાણે પવિત્ર સ્થાનકે બંધાવ્યાં હતાં. નર્મદા નદીના કિનારા ઉપર તેની કુંવરી મુક્તા બાઈ પોતાના પતિ યશવંતરાવ પશિયાની પછવાડે સતી થઈ હતી, તેના સ્મરણાર્થે માહેશ્વરમાં તેણે સુંદર મંદિર બંધાવ્યું હતું. ત્યાર પછી ત્રીશ વર્ષે ગાયકવાડ સરકારના દિવાન વિઠ્ઠલરાવ દેવાજી જે કાઠિયાવાડના સૂબેદાર ઠર્યા હતા તેમણે મેટું નગારખાનું અને ધર્મશાળા વગેરે બંધાવ્યાં હતાં. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy