SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા કર્ણ સોલંકી ૧૬૧ “ગળ માળો મહાકાળેશ્વર મહાદેવને આપ્યો હતો તેથી તે દેવદ્રવ્ય થયું “તે અમે ભગવ્યું; પણ સૂર્ય જેમ ક્ષિતિજમાં અસ્ત પામે છે તેમ અમારે “મહિમા અસ્ત પામી ગયે. તે જ પ્રમાણે તમારા વંશના રાજાઓ પણ “જ્યારે ધર્મનાં બધાં ખર્ચ, આગળ જતાં પૂરાં પાડી શકશે નહિ, અને “મૂળમાંથી સંકટ તમારે નાશ કરશે, ત્યારે એકે એક દેવને ખાતે આપવા “ઠરાવેલ ખર્ચ તેમને ઓછો કરી નાંખવો પડશે.” શ્રીસ્થળમાં મૂળરાજે રૂદ્રમહાકાળનું દેવાલય બંધાવ્યું હતું તે છણેદ્ધાર કરાવ્યા વિના પડ્યું હતું અને બ્રાહ્મણને પીડા કરવામાં રાક્ષસો ચડી ૧ વનરાજના પિતા જયશિખરીના શત્રુ ભૂવડ રાજા વિષે આગળ લખવામાં આવ્યું છે. ઉજજણમાં મહાકાળેશ્વરનું દેવું છે તેમાં એ ભૂવડે પોતાનાં અવયવની ખાંપણ સુધરી તેના બદલામાં આખું માળવા અને રાજધાની નગર ઉજજણ મહાદેવને અર્પણું કરી દઈને તેનું રક્ષણ કરવાનું કામ પાર રજપૂતને સેંપ્યું હતું. ૨ દ્વયાશ્રયમાં આ રાક્ષસોના નાયકને બર્બર અથવા ખરક કરીને લખ્યો છે અને પૃષ્ટ ૯૩ ઉપર જે લેખનો ઉતારો કરડ્યો છે તેમાં એ જ નામને ઠેકાણે માળવાના રાજા તરીકે બર્બરક કરીને લખવામાં આવ્યું છે; યશોવર્માએ ગુજરાત ઉપર ચડાઈ કરી હતી અને તેથી સિદ્ધરાજને કેધ ઉપન્યો હતો તેને આ વાત લાગુ પાડી શકાય છે. ગ્રન્થકર્તાની આ ટીપ બરાબર નથી, તેને નીચેના લખાણથી ખુલાસે થાય છે. દ્વયાશ્રયમાં આ રાક્ષસેના નાયકને બર્બર અથવા બર્બરક કરીને લખ્યો છે અને પુષ્ટ ૯૩ માંના તથા ચૌલુકય વંશનાં બીજ તામ્રપટમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજને નિષ્ણુ એટલે બર્બરકને જિતનાર કહ્યો છે. સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે સિદ્ધરાજ હાટો પરામ આબરા ભૂતના આશ્રયથી કરતો. તેને તેણે શમશાનમાં એક મડદા ઉપર બેશી વશ કર્યો હતે. સેમેશ્વર પોતાની કીર્તિકોસદીમાં કહે છે કે આ મહાન રાજાએ ભતાના રાજા બિંરકને શ્મશખામાં પ કર્યો અને રાજાઓમાં સિદ્ધરાજ તરીકે પ્રખ્યાત થયાઃ श्मशाने यातुधानेन्द्रं बद्ध्वा वर्षरकाभिधम् । सिद्धराजेति राजेन्दुर्यों जज्ञे राजराजिषु ॥ ३८ ॥ દ્વયાશ્રય કષમાં આ ખબરને રાક્ષસ અથવા સ્કેચને અધિપતિ કહે છે તે શ્રીસ્થળ(સિદ્ધપુરના બ્રાહ્મણને દુઃખ દેતો. જયસિંહે તેને જિતી લીધે, અને તેની સ્ત્રી પિંગલિકાના કહેવાથી તેને ઉગાય. પછી ખબર જયસિંહને મૂલ્યવાન ભેટ આપી, અને બીજા રાજપૂતોની પેઠે તે પણ તેની સેવામાં રહો. ડાકટર બુલર ધારે છે કે, બર્બરક અનાર્યમાંની એક જાતિ છે, જે ઉત્તર ગુજશતમાં કેલી, ભીલ અથવા મેરની પેઠે સંખ્યાબ% વસેલા છે. કાઠિયાવાડમાં જે ભાગમાં આ બર્બર લેટ વશ્યા તે હમણાં બાબરિયાવાડ કહેવાય છે. ૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy