SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વ્હેલા ભીમદેવ ૧૨૯ ઉંમરના થયે। ત્યારે કિરપાળ કાયસ્થને સુપ્રત કરીને તેને સામ્ભર નગરમાં મેકલ્યા. આ નગર સાકંભરી દેવીને મનગમતું હતું, અને તે કુંવરના રહેઠાણ સારૂં ઠરાવી રાખ્યું હતું. તેને યેાગ્ય કન્યા મેળવી આપવામાં આવી હતી તે રાવળ દેવરાજની પુત્રી નામે ગોરી, 'કામની પાસે રતિ શાથે, તેમ સારંગદેવને પડખે શાલતી હતી.” આ પ્રમાણે કલ્યાણકારી શકુનિયાળ ચિહ્નથી વિસલના રાજ્યના પ્રારંભ થયેા; પણ તેની ચડતી કળા પછવાડેથી વધારે ઘેરાઈ ગઈ, અને ચંદ બારોટ હે છે કે, એને ગાદી ઉપરથી ઉડાડી મેલ્યેા હતેા તેનું . કારણ દેખીતું છે, તે એ કે, તેની એક રાણી પરમારપુત્રી હતી, તે એકલીના ઉપર જ તે સ રાણિયા કરતાં વિશેષ માહિત થઈ ગયા હતા તેથી ખીજી રાણિયા અને તેમનાં સગાંવાહાલાંઓને અદેખાઈ ઉપજી. તે પણ શિવના આશ્રયથી તેને તેની સત્તા પાછી મળી, ત્યાર પછી તેને ઉપયેગ તેણે ત્રાસદાયક રીતે કરવા માંડ્યો, તેમાં મુખ્યત્વે કરીને તે નિર્ભર્વાદ કામને વશ થઈ ગયા ને એની પ્રજા દેશ છેડીને ટાળે મળી ઉચાળાભરી જવાને તૈયાર થઈ. (c < << નગરવાસી લેાકા, ટાળેટાળાં મળીને, પ્રધાનને ઘેર ગયા, અને કહેવા લાગ્યાઃ સ્ત્રી અને પુરૂષ બંનેના ઉપર સંકટ ગુજરે છે માટે અમે અહિં રહીશું નહિ અને ક્રોધનાં માચ્યાં જતાં રહીશું.' ઉકળેલા લેાકેાને પ્રધાને “ ધીમા પાડ્યા. તેમનામાંથી જે મુખ્ય હતા તેમેને અને રાણિયાને લઇને સર્વે વાજું રાજા પાસે આવ્યું. તેએ હેવા લાગ્યા કે 'ભૂમિનું રક્ષણ કરવાને રાજાએ વ્હાર કરતાં રહેવું. ભૂતળમાં ધણા રાજાએ છે; એવા “ કાંટાનેા નાશ કરવા અધિરાજાએ આક્રમણ કરીને તેનાં નગર અને “ પ્રાન્ત સ્વાધીન કરી લેવાં જોઇયે.’ તેમના હેવાના ભાવાર્થ રાજા સમજ્યા. “ તે મેલ્યાઃ–મારામાં જે ભડકા ઉઠ્યો છે તે તમને દઝાડે છે. વારૂ તમે “ હેા છે. તે પ્રમાણે હું કરીશ; હું કિરપાળને તેડવા મેાકલું છું તે જે જે “દેશ જવાને તમને ઘટિત લાગતું હેાય તે તે દેશ હું ઘેાડે ચડીને તમારી “ સાથે આવું છું.’ “પછી તેણે પેાતાના સર્વે મંત્રિયાને આજ્ઞા આપી, અને કિરપાળને 64 (6 66 ? મુસલમાનેાએ હિન્દની સીમા ઉપરની કેટલીક જગ્યાએ લઈ લીધી હતી તે પાછી હસ્તગત કરવા માટે વિસલદેવના ઉપરીપણા નીચે બધા હિન્દુ રાજા ભેગા ભળ્યા હતા પણ ગૂજરાતનેા ભીમદેવ ભળ્યા ન હતા, કાઈ સોલંકી માન આપવા આવ્યા નહિ વગેરે લખાણ ચંદે કહ્યું છે તે ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. જો ભીમદેવ ભેગા ભળ્યા હાત તા મુસલમાનના પગ હિન્દમાંથી નીકળી જાત. ૨. ઉ. . ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy