SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ રાસમાળા સહાયકારી રાજાઓ, તેને આવી મળ્યા; વગડાના ભીલ પણ તેની સાથે ગયન પઠન કરતા, દુષ્ટ નાસિકાવાળા, અંતનાં વનમાં વસેલા, અમારાં આમ્રવન અને ઈક્ષવન ઉખેડી નાંખનારા, દ્વિએ મિશ્યા વાર્તા બનાવીને આપને ચલિત કયા છે શું? ખદિરવન, અગ્રવન, દ્રાક્ષવન, શાલવન, પ્લેક્ષવન, વન, શિગ્રુવન, એ બધાં વનમાં રહેતા અમારા રાજાઓએ શું તમારે કોઈ અપરાધ કરવો છે? “અમારાં શિશુવનમાં, કે બદરી આદિ વનમાં, બેરડીને હોય છે તેવા, આપના કંટકો ભરાયા નથી, અડદના વનને શોધતે કોઈ પણ મનુષ્ય કદાચિત પણ નમારના વનમાં અડદના વનને પામતે નથી. નીવારવન, તથા પૂલી રહેલાં વિદારીવન, સુરદાવન, ઇરિકાવન, ઈત્યાદિ વનમાં મૃગયા સારૂ, ગિરિનદીના વેગથી (જંબુમાલીનું) સુંદર જળ પીવા પધાયા છે? અથવા જળને સ્થાને મધું પીતા, હાથમાં મદ્યના પ્યાલાવાળા યદુઓએ શું આપને કાંઈ ભરવું છે? પણ હાથમાં મદ્યપાનના યાલાવાળા, દારૂડિયા સોરઠિયા ગમે તેમ લવે તેમાં શો દેષ? “અથવા ધનુર્ધારિ વાહન, તેમ વીરેને લઈ જનારાં વાહન, એ સર્વના અતિ પ્રશસ્ત સમુદ્ર જેવો, તથા હાથીના વાહનવાળ, જર્નાધિપ (કચ્છભૂપતિ) જે અમારે આશ્રિત છે, તે શું શરદ ઋતુના અપરાતૂની પેઠે આપને પીડા કરે છે? ત્રણ ત્રણ ચાર વર્ષથી ચાલતા શત્રુવિગ્રહને શમાવવાને આપ પધાર્યા છે? પણ ચાર કે ત્રણ વર્ષના જુવાન ઘોડાવાળે એ (રાહરિપુ) શત્રુથી અપરાજિત છે. કે અતિ ગર્વિષ્ટ એવા કોઈ સમુદ્રતટાધિપતિને જિતવા આપ પધાયા છો? રિપના સંઘને સંહારતાં બાણના સમૂહ સહિત પૃથ્વી માત્ર ઉપર ફરતો એ શું તેને જિતી નહિ શકે? અથવા બધી પૃથ્વીમાં ફરતા આ ક્ષત્રિય કુમારને આ શરદ =ાતુના દીર્ધ દિવસેમાં (મળવાની ઉત્કંઠાવાળા હોઈ આપ પધાયા છો? (જે એમ હોય) તે તે બહુ સારૂ. આજ અમારાં પુણ્ય પકવ થયાં, ને અમારાં સર્વ શુભ કામ સફળ થયાં. “વૃષભવાહન ઝી(મનાથ)નાં દર્શન કરવા અતિ ઉગ્ર ઇચ્છાવાળા સારા નૃપ સહિત, (આપ પધાયા તે), સુરાષ્ટ્રના ઇન્દ્રને કોઈ સારા પ્રધાન દ્વારા ખબર શા સારૂ ન અપાવી? શું આપ શંખોદ્ધારથી સારી રીતે પકવ થયેલી શેલડીના રસ જેવું મિષ્ટ, તીર્થજળ લઈ જવા ઇચ્છે છે તે આપને નમસ્કાર કરી હું જ ત્યાં જાઉં, ને જળ મક્લી આપું, આપ વનોનો નાશ ન કરે. “ઉત્તમ હયવાળી તથા ઉત્તમ નાયકેવાળી સેના, અન્યાયથી અતિ દૂર એવા જે આપ, તે મિથ્યા જ લઈ ચાલ્યા આવ્યા ન હ. પણ જીવ જતાં પણ અંતરમાં રહેલી મંત્રી, નાશ પામતી નથી, કે એક વાર થયેલી તે મટતી નથી. “એ (ાહરિપુ) ચારે દિશા (ભણ) પિતાના સન્યથી ફરી વળે છે, જેની પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy