SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દીક્ષા લેવાની ભાવનાવાળા મને તાતે આ મહા સંકટમાં નાખી દીધા તા મારે હવે શુ કરવું? જો માતા પિતા અને આ પ્રિયાએને એધ કરી દીક્ષા ગ્રહણ કરાવું તા તેા બધા સારા વાનાં થાય. એ બધા ઉપર મહાન ઉપકાર થાય. એ પ્રમાણે વિચાર કરતા પૃથ્વીચંદ્ર કુમાર માતાપિતાની આજ્ઞાથી લગ્નકા પરિપૂર્ણ કરી પોતાના વાસભુવનમાં આન્યા. ૪૭૮ દિવસના કાર્યાંથી પરવારી રાત્રીની શરૂઆત થયે તે ભદ્રાસન ઉપર કુમાર બેઠા. એની આસપાસ રત્નપદ્રેક ઉપર સાળે સુંદરીઓ ફરી વળી. રાજકુમારને રીઝવવાના પ્રયત્ન કરવા લાગી. તારાઓની મધ્યમાં કૌમુદીપતિ ઝળકી રહે તેમ રાજકુમાર શાભાને પામતા વિરક્તતાને જ અનુભવવા લાગ્યા. એ લલિત લલનાઓમાંની એક પણ એ વૈરાગીન પાતાના નેત્રકટાક્ષથી વીંધી શકી નહિ. શમરૂપી અખ્તરને ધારણ કરનારા કુમાર પાતાની મધ્યમાં હાવા છતાં તેમને એક વૈરાગી સાધુ જેવા જણાયા. રૂપગર્વિતા લલિતસુંદરી પણ પતિની આ ચેષ્ટાથી જરા લજ્જિત થઇ ગઇ “અરે! શું પેાતાના હાવભાવ કે કટાક્ષ પણ સ્વામીને કઇ અસર કરી શકતા નથી એનું કારણ શુ? એમના જેવાના ચિત્તને સ્પર્શ કરવા માટે શું હું અાગ્ય છું ? ત્યારે ? એ બધી માળાઓએ ખુખહાવભાવ કરવા માંડયા, છતાં ક્ષાર ઉપર લીપણની જેમ તે તદ્દન વ્ય ગયા. કુમારે તા સ્નેહભરી દૃષ્ટિથીય તેમને જોઇ નહિ, ત્યારે વિષ્ણુનામે બટુક ખેલ્યા “અરે! આ બાળાઓ બધીય બ્ય કદર્શના ભાગવી રહી છે. તા હે સ્વામી! આ બધાનાં મન શાંત થાય તેમ કર.” બહુકની વાણી સાંભળી કુમાર એલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy