________________
४६४
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
અકારણ બંધુ એવા આપને આદેશ હું અવશ્ય અંગીકાર કરીશ.”
ગુરૂનું વચન અંગીકાર કરી રાજા નગરમાં આવ્યું. રાજાએ મંત્રીઓની સમક્ષ કુસુમકેતુ કુમારને આસન ઉપર બેસાડી પૂછયું. “હે કુમાર ! જગતમાં એવી નીતિ છે કે પુત્ર કવચધારી થાય ત્યારે રાજાએ રાજ્યભાર સમર્પણ કરી મુક્ત થયું. રાજ્યભાર ઉપાડવાને સમર્થ તારા જેવો પુત્ર મને રાજ્ય ચિંતાથી મુક્ત કરે તો હું પાછલી અવસ્થામાં ગુરૂને જેગ પામી આત્મહિત કરૂ. કારણ કે તે જ ખરા પુત્ર છે કે જેમની સહાયથી પિતા ધર્મ સાધન કરી શકે.
હે પિતા! જ્ઞાન તત્વવાળા આપ જેવાને એ વાત યુક્ત છે, હું એ ધર્મકાર્યમાં આપને અંતરાય કરતું નથી. કિંતુ પ્રાતકાળે શયાને ત્યાગ કરતાં પ્રથમ જો હું તમારું મુખ દર્શન કરૂં તો જ રાજ્ય, વૈભવ, સુખ બધુંય સફળ થાય, જે તમારૂં દર્શન ન થાય તો આ રાજ્ય, વૈભવ એશ્વર્યનું પણ મારે શું કામ છે ? બાપુ ! જે રાજ્યમાં રહેવા છતાં ચંદ્રમા સમાન સૌમ્ય આપનું મુખ વારંવાર જેવામાં ન આવે એવા રાજ્યવડે પણ શું ?
પ્રજવલતા મકાનમાં પ્રિય એવા પુત્રને ત્યાગ કરી પલાયન કરી જવું તે હે તાત! તમને શું ચગ્ય છે? ભયંકર અરણ્યમાં મુગ્ધ એવા મૃગબાલ સમાન મારે ત્યાગ કરી જતા રહેવું તમને શોભતું નથી.” સંયમની અભિલાષાવાળા પુત્રને જાણી રાજા બોલ્યા
હે વત્સ! તું હજી આશા ભરેલો નવયુવાન સંયમને શી રીતે આચરીશ ? ઇકિયેનું દમન, કષાયોનું વશપ અને વિષયોને યૌવનવયમાં સ્વાધિન કરવા તે કાંઈ સરળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com