________________
E
=
=
૪૬૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ઉપકારી ગુરૂ શિવવર્ધનપુર નગરના રાજા શ્રીસુંદરે કુસુમાયુધને રાજ્યપદે સ્થાપન કરી પિતાના બંધુ પુરંદર તથા મંત્રી સામંત સાથે દીક્ષા ગ્રહણ કરેલી તે ભણી ગણી આચાર્ય પદે સ્થાપન થયા, પુરંદાદિ પાંચસે મુનિઓની સાથે વિહાર કરનારા સુંદરાચાર્ય પૃથ્વીમંડલને પાવન કરતા ભવ્યજનોને બોધ કરવા લાગ્યા. અનુક્રમે સુંદરાચાર્ય અવધિજ્ઞાની થયા. જ્ઞાનથી કુસુમાયુધનો વતાય જાણી વિહાર કરતા ચંપાનગરીના ઉદ્યાનમાં આવ્યા. વનપાલકના મુખથી વધામણિ સાંભળી રાજાએ દાન આપી તેને રાજી કર્યો.
રાજા મેટી ઋદ્ધિસમૃદ્ધિપૂર્વક અંતપુરાદિક પરિ વાર સાથે ગુરૂને વાંદવાને આવ્યો શાંત રસના સાગર સમાન સૂરિને જોઈ ભક્તિપૂર્વક નમી ગુરૂની આગળ રાજા બેઠો. આચાર્ય પણ રાજાને ઉદ્દેશી ધર્મદેશના દેવા લાગ્યા, -“હે રાજન ! જગતના સંયોગે છે તે વિયેાગના કરનારા છે. માતા, પિતા, પુત્ર, કલત્રના સંબંધો સ્વમ સરખા જાણી લેવા. તો આ અસાર સંસારમાં ધર્મનું સેવન કરવું એજ શ્રેયસ્કારી છે.
દંતશું વગર જેમ ગજરાજ શેભા પામતા નથી, વેગ વગરને અશ્વ જેમ કિમત વગરને છે, ચંદ્ર વિનાની રજની શોભા પામતી નથી, સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, જળ વગરનું સરેવર જેમ શોભતું નથી, છાયા વગરનું વૃક્ષ શેભા વિનાનું છે, ચારિત્ર વગર સાધુ, અને પ્રતિમા વગરનું ભવન જેમ નકામું છે, તેમ ધર્મ વિનાને માનવા જગત માં નકામા છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com