SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - “આહ! એક નાના બાળકને આ મિજાજ ! નક્કી છે મરવાની થાય ત્યારેજ વાઘરીવાડે જાય છે. વિનાશકાળે પાસે આવે છે ત્યારેજ બુદ્ધિમાં વિકાર-ફાર થાય છે. રાજા તો નવો ને બાલક છે પણ એના મંત્રીઓ પણ શું સવપરના બલથી અજ્ઞાત છે કે ઉદ્ધતાઈ કરી રહ્યા છે-નાહક પોતાનો ક્ષય કરાવી રહ્યા છે. એમ બેલતો રાજા રાજશેખર ચતુરંગી સેનાથી પરવારેલે, ક્રોધથી અધરને સાત મહામંડલને ધ્રુજાવતો કુસુમાયુધ ઉપર ચડી આવ્યો. શિવવર્ધનપુરમાંથી નિકળેલો સાર્થવાહ વાસવદત્ત શીવગતિએ ચંપામાં આવી ચંપાપતિને નમ્યો. “દેવ! દેવી, રાજકુમાર અને નવીન રાજ્યના આવાગમનવડે આપ વૃદ્ધિ પામ! ચંપાનેરેશ આગળ ભેટ ધરી સાર્થવાહ બોલ્યો. - સાર્થવાહના વચનથી વિસ્મય પામેલે રાજા બે “શેઠ! જરા સ્પષ્ટતાથી કહે. તમારા કથનને ભાવાર્થ શું છે? સાર્થવાહે દેવીની પુત્રની અને રાજ્ય પ્રાપ્તિની વાત નરપતિને કહી સંભળાવી. પિતાના કુટુંબની કુશળતાની વધામણિથી પ્રસન્ન થયેલા રાજાએ સાર્થવાહને ખુબ ધન આપી રાજી કર્યો અને સાર્થવાહન કર માફ કર્યો. - સાર્થવાહને રાજી કરી ચંપાપતિ તરતજ મંત્રી સામંત સેનાપતિ આદિ પરિવાર સાથે શિવધનપુરમાં આવી પ્રિયા અને પુત્રને મળે. પ્રિયમતીએ પિતાના પિતાને પણ સમાચાર મોકલવાથી માનતુંગ રાજા પણ પોતાના પરિવાર સાથે પુત્રીને મળવા આવી પહો . 6 ચરમારફતે અવંતીપતિને માર્ગમાં આ સમાચાર મલતાં એના હૈયામાં માટે ધ્રાસ્ક પડ્યો. “અરરર! આ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy