________________
-
-
--
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ગુણધર અને સુમિત્ર - મોહનને દૂર કર્યા પછી જનપ્રિય રાજાને કહેવા લાગે. દેવ ! આપને ધન્ય છે કે આપ નિગ્રંથ થવાને ઈરછા છો, સુખમાં આવા મને ઉત્તમ ને જ થાય. છે તે ગુરૂને જેગ પામી આપના મનોરથ સફળ થાય. હું પણ આપને સહાયકારી થઈશ. આપના પુણ્ય પ્રતાપે આપને નગરના ઉદ્યાનમાં ગઈ કાલે શ્રી જયકાંત મુનીશ્વર પધાર્યા છે તેમની પાસે જઈને આપણે આપણું હિત સાધીયે.
જીનપ્રિયની વાણી સાંભળી પ્રસન્ન થયેલે રાજા ઉઘાનમાં આવી મુનિને નમ્યું ને તેમની ધર્મ દેશના સાંભળી.
હે ભવ્યો ! આ દુ:ખમય સંસારના દુ:ખની શું વાત, કરીયે ? પુરૂષને જન્મતાં પ્રથમ તો ગર્ભાવાસમાં દુ:ખ સહન કરવાં પડે છે. જમ્યા પછી બાલક્ષણાનાં દુ:ખ કયાં ઓછાં છે? મેલીનપણું ગંદાપણું, વિષ્ટાથી લેપાવું તેમજ મલીન શરીરવાળા સ્ત્રીના સ્તનમાંથી સ્તનપાન કરવું એ બધું જ્ઞાનીની નજરે ખુબ વૈરાગ્યનું કારણ છે. તારૂણ્યમાં રોગ શેક, સંતાપ ધન કમાવાનું અને વિરહજન્ય દુઃખ વગેરે અનેક દુઃખો રહેલાં છે. અને વૃદ્ધાવસ્થા તે નરી દુ:ખથી ભરેલી છે, તે હે મનુષ્યો! મનુષ્ય ભવમાં પણ સ્વલ્પ જેટલુંય સુખ નથી તો પછી નરક અને તિર્યંચ ભવની આપદાએનું શું વર્ણન કરીયે?
મનુષ્ય ભવમાં પણ રંક, ગરીબ અને નિર્ધનને દ્રવ્ય કમાવાની ચિંતા, ધનિકને ધનના રક્ષણની ચિંતા, વાંઢા નરને સ્ત્રીની અભિલાષા, ત્યારે પરણેલાને પુત્રની ચિંતા, પુત્ર કે પુત્રી થાય તે પછી એને લગતી ચિંતાને કાંઈ પાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com