________________
--
૩૮૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેના પુણ્યથી આકર્ષાયેલ ક્ષેત્રપાલ વિદ્યાધરની આગળ પ્રગટ થઈને બોલ્યો, “હે વિદ્યાધર ! આ મહાપુરૂષ ભાગ્યવાનનું આગમન ન થયું હોત તો તારી વિવા. સિદ્ધ ન થાત બકે કઈક તારૂં હું અનિષ્ટ કરત, પણ હવે તો આ પુણ્યવાનના પ્રભાવથી તને હું સિદ્ધ થાઉં છું ધ્યક્ષના વચનથી વિદ્યાધરે ખુશી થઈને યક્ષની પૂજા કરી.
હું જ્યારે યાદ કરું ત્યારે તમારે હાજર થવું” એમ કહીને યક્ષને રજા આપી, તે પછી વિદ્યાધર રાજકુમારને કહેવા લાગ્યા.
“હે મહા સત્ય ! તારો મારી ઉપર મહાન ઉપકાર થ, તારા પ્રભાવથી મારું કાર્ય સિદ્ધ થયું. તે કહે ! તારું શું કાર્ય કરું?” વિદ્યાધરની વાણી સાંભળી કુમાર બોલ્યો, “નગરની રક્ષા કરતાં પર્વતમાં અગ્નિ સળગતે જાણ કૌતુકથી હું તે અહીં આવ્યું હતું છતાં એમાં પણ તમારી મંત્રસિદ્ધિ થઈ તો સારું થયું એ તો !)
ઈચ્છાવગરને કુમારને જાણી નવાઈ પામતે વિદ્યાધર છે . એમ ના બોલ ! તું તે મારે ગુરૂ સ્થાનકે છે માટે કંઈક માગ ! જે કે ગુરૂ આશા ખંડન કરવી પાપ છે છતાં મારી પાસેથી રૂપ પરાવર્તની વિદ્યાને ગ્રહણ કર. એમ કહીને પાઠસિદ્ધરૂપ પરાવર્તાની વિદ્યા રાજકુમારને આપી.
એ સમયે “હા તાત ! હા તાત ! હે માતા ! મારૂં રક્ષણ કરો ! એ કેઇક સ્ત્રીને રૂદનવનિ કુમારના કણે અથડાયે, શબ્દને અનુસાર કુમાર તે તરફ દોડ્યો ને તપાસ કરી છતાં કેઈપણ દેખાયું નહિ. “અરે ઘણુ ગુફાવાળા આ પર્વતમાં છુપાયેલો પાપી શી રીતે જણાય?” વિચાર કરી કુમારે એક નિશ્ચય કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com