________________
૩૭૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બ્રાહ્મણોએ મારને એક કર્ણ ખંડિત જોઈ વિદ્યાધરને પૂછયું, “આને એક કર્ણ કયાં ગયે ? - માર્ગમાં આવતાં રાત્રી પડી જવાથી એક દેવ મંદિરમાં હું રાત્રી વાસો રહ્યો. નિશા સમયે અમે બને નિદ્રાવશ થયા તે સમયે એક મૂષક બહારથી ધસી આવી આને કહ્યું કરડીને નાશી ગયો-પલાયન કરી ગયો.
વિદ્યાધરની વાત સાંભળી બ્રાહ્મણે હસીને બેલ્યા જરૂર ત્યારે તો એને ત્રીજો ગુણ પણ એ સાથે પલાયન કરી ગયો.”
“અરે ! એવા એકાદ નજીવા દોષથી રત્નની કીંમત કાંઈ ઓછી થતી નથી. દેવતાઓમાં પણ એવું દેખાય છે. તે પછી મારની તો વાત જ શી ?”
“દેવમાં તો દૂષણ હવાને સંભવ નથી. “વિ બોલ્યા,
“જે એમ છે તો તે બ્રાહ્મણ ! હું કહું તે સાંભળે જે બ્રાહ્મણ, ગાય, બાલક અને સ્ત્રીને હણી નાખે છે તે કેવો ગણાય છે ?”
તે મહાપાષિષ્ઠ, કૂર, ઘાતકી, એનું મુખપણ જોવા લાયક નથી એવા કહેવાય છે. બ્રાહ્મણ બોલ્યા
જો એમ છે તે અગ્નિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે બાળ, ગાય, બ્રાહ્મણ કે સ્ત્રી કેઈને પણ દહન કર્યા વગર છોડતો નથી, એની ઝપટમાં આવેલ કેઈ સલામત નથી છતાં એને દેવ બુદ્ધિથી કેમ પૂજે છે? તમે કહેશે કે તે તેત્રીસ કોટિ દેવેનું મુખ છે જેથી તેઓની તૃપ્તિને માટે ધી, મધાદિ વડે કરીને એની પૂજા અમે કરીએ છીએ. છતાં એ બરાબર નથી. જે અગ્નિ દેવનું મુખ છે તે - અનિષ્ટ એવાં મૃતક, કલેવરાદિ અસુચિને તે કેમ ગ્રહણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com