________________
૪૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એને માન આપવા લાગ્યા. એક દિવસે ખાનગીમાં રાજાને કહેવા લાગ્યા. મહારાજ ! આપ બુદ્ધિમાન છતાં પણ આપને ધન્ય ગી ગયે.”
ધરણની વાણી સાંભળી વિસ્મય થઈને સજાએ અભય. વચન આપીને ધરણને પૂછયું. “કહે સત્ય વાત શું છે.”
સ્વામી! ધન્ય તે ચંડાળનો પુત્ર છે. દુરાચારી હોવાથી રાજાએ એને નગર બહાર કાઢી મુકેલો તે આપના નગરમાં આવી આપને ફસાવી ગયે.” ધરણની વાત સાંભળી રાજા ચમક
“ઘરણ ! એ વાત નગરમાં તું કેઈને કહીશ નહિ, હું એવું કરીશ કે જેથી ધન્યના સ્થાનકે તને સ્થાપના કરી માલમાલ બનાવીશ.” રાજાની વાત સાંભળી ધરણની ખુશાલીને તે કઈ પાર રહ્યો નહિ.
નિશા સમયે રાજાએ ધન્યને મારી નાખવાને ધન્યના મકાનમાં ગુપ્ત રીતે મારાએ મૂક્યા, મધ્ય રાત્રીને સમયે અચાનક ધન્યના મસ્તકમાં વેદના થવાથી ધન્યને વેશ પહેરીને ધરણ રાજસભામાં જવાને પ્રાત:કાળે નિકળ્યા, તેને પેલા મારાઓએ મારી નાખ્યો ને ત્યાંથી છપાંચ ગણુ ગયા,
ભાઇના શેકથી વ્યાકુળ થયેલો ધન્ય શેકથી નિવૃત્તિ પાપે નહિ ત્યારે રાજાએ એના ભાઈની કુટિલતાની બધી વાત સમજાવી શક મુક્ત કર્યો. ધીરે ધીરે શેકો. ત્યાગ કરતો ધન્ય સુખમાં કાલ વ્યતિત કરવા લાગ્યો.
એક દિવસે વિજય કેવલી ભગવાન ત્યાં સમવસર્યા. રાજાદિક સર્વે તેમને વાંદવાને આવ્યા, તેમને વંદન કરી તેમની ધર્મદેશના સાંભળી ધન્ય અવસર મેળવીને પૂછયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com