SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૨૯ છાલનાં વસ્ત્ર પહેરવાં સારાં પણ પોતાના કુટુંબીજનેની મધ્યમાં ધનરહિતપણે રહેવું સારું નથી. માટે હે બંધ ! પરદેશમાં જઈ આપણે ધન ઉપાર્જન કરીયે, કારણ કે નિર્ધન અને મૃતકમાં મને તો કાંઈ તફાવત લાગતો નથી. મૃતકને જેમ કેઈ જેતુ નથી તેમ નિર્ધન તરફ પણ કેઈ નજર કરતું નથી.” ધરણની આ પ્રમાણેની પરદેશગમનની વાત સાંભળીને ધન્ય બે બંધ!તારી વાત તો ખરી છે પણ મહેનત વગર ધન શી રીતે મળે ??? ધન્યની વાત સાંભળી ધરણ બે. “અરે બંધુ! ધન પેદા કરવું એ તે મારે ડાબા હાથનું કામ છે જે પર સે ઉતારી મહેનત કરી પેદા કરવામાં વાર છે પણ કેદને કાન તેડવો, કેઇની ગાંઠ છોડવી, કે ખીસ્સા કાતરવા, ખાતર પાડવાં, ચોરી કરવી આદિ ઉપાય વડે કરીને ધનને આપણે ઉપાર્જન કરશું તેની વાત સાંભળી ધન્ય ચાં, * “શાંત પાપં ! શાંત પાપ ! આ પ્રકારનું દુષ્ટવચન તુ ફરીને ને બાલ. “પરવંચનં મહા પાપં એ શું તું ભૂલી ગયો ? એની વિચારણા કે એ સંબંધી વાતચીત કરવી તે પણ સંતાપને કરનારી થાય છે માટે દેવગુરૂનું સ્મરણ કરી એ પાપનું નિવારણ કર.” પિતાના કથનની વિપરીત અસર થતી જાણીને ધરણ ધન્યની વાતને અંગીકાર કરી પિતાની વાતની દિશા ફેરવતે બે -“એવા અકાર્યથી ધન પેદા થતું નથી મેં તે ફક્ત તારી પરીક્ષા કરવા માટે કહ્યું હતું કે એ વાતમાં તુ સંમત્તિ આપે છે કે નહિ. પરદેશમાં કેઈક ધન વાનની સેવા કરી તેની પાસેથી દ્રવ્ય લઇને આપણે વ્યાપાર કરશું ધરણે એ રીતે ધન્યને વિશ્વાસ પમાડી પરદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy