________________
૨૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કરભી યુગલની કથા - પરિવ્રાજકના વચનથી શંકાશીલ થયેલો શ્રેષ્ઠી પણ ધીરજ છાડીને પરિવ્રાજકની પૂકે દેડ, એકાતમાં એ પરિવ્રાજકને નમી હાથ જોડી એની સ્તુતિ કરતે બોલ્યો
કૃપા કરીને આપ કહે, મારું અહિત જે દેખાતું હોય તે સ્પષ્ટતાથી કહે ?”
“કંઈ કહેવાય તેમ નથી, એક તરફ વ્યાધ અને બીજી તરફ નદી ના ન્યાયે આવી બાબતમાં મારા જેવા ઉત્તમ સાધુઓએ પડવું જોઈએ નહિ.
તપસ્વીની વાણીથી અધિક શંકાશીલ થયેલા તેણે પૂછયું, “આપ જરૂર મને કહે. આપ જેવા મહાન પુરૂષને ભક્ત હોવા છતાં હું દુ:ખી થાઉં એ શું તમને ઈષ્ટ છે ?,
“એકાંતે મારે વિષે ભક્તિવાળા તને મારે કહેવું જોઈએ, જે સાંભળ, તારી કુલક્ષણવાળી પુત્રીએ તારા કુળને ક્ષય કરનારી છે. એ જાણીને સરસ અને સુંદર ભોજનમાં પણ મારું મન લાગ્યું નહિ તારી વારંવાર પ્રેરણા છતાં હું ભેજનને સ્વાદ પણ લઈ શકો નહિ.
અફસોસ 9
ત્યારે એને ઉપાય ? આતુરતાથી શેઠે પૂછયું,
એને ઉપાય તો બની શકે-શાંતિ પણ થઈ શકે પણ તે તારાથી બની શકે તેમ નથી. પરિવ્રાજકે એને ડામાડોળ બનાવી દીધો,
કુળની શાંતિ માટે કઠીણકાર્ય પણ હું કરીશ આપ શાંતિથી કહે.*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com