________________
-
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૨૪૫ છે. સજ્જન પુરૂષો અન્ય દુખી છને ઉદ્ધાર કરે છે પણ પોતે કેઇની પણ પ્રાર્થના કરતા નથી, છતાંય દેવદર્શન અમેઘ હોય છે, વૃથા જતું નથી,
આ બે મણિરત્ન તને આપું છું, આ નીલમણિ ત્રણ ઉપવાસને અંતે રાજ્યને આપે છે, ત્યારે આ રક્તમણિ “ ઠ્ઠી મંત્રથી જાપ કરવાવડે મનવાંછિત પૂરે છે. પહેલા રાજકુમારને યોગ્ય છે ત્યારે બીજો તારે યોગ્ય છે.
દેવતાની વાણી સાંભળી દેવે આપેલા બે મણિને ગ્રહણ કર સુમિત્ર ખુશી થતે ચિંતવવા લાગે, “પૂર્વેપાજીત પુણ્ય મનુષ્યને જાગ્રત થયું છતુ વનમાં કે ગમે ત્યાં સહાય કરે છે છડીદારની માફક તે માણસની આગળ ને આગળજ ચાલે છે. આ કુમારને ધન્ય છે કે જેને ઉપકાર કરવા માટે દેવતાઓ પણ પ્રગટ થાય છે. તેણે દેવતાની પણ સ્તુતિ કરી. I અને રત્ન આપીને યક્ષ અદશ્ય થઈ ગયે, રાજકુમાર પણ યથા સમયે જાગ્રત થયો, પ્રાત:કાળે તેઓ અને ત્યાંથી આગળ ચાલ્યા ને ત્રણ દિવસ સુધી સુમિ રાજકુમારને ફલ વગેરેને નિષેધ કરીને અપવાસ કરાવ્યા અને કઈ ખાવા દીધું નહિ, ત્રણ ઉપવાસ પછી સુમિત્ર અને રાજકુમાર મહાસાલપુર નગરના ઉદ્યાનમાં આવ્યા, ત્યાં પેલું નીલરત્ન બતાવીને રાજકુમારને કહ્યું, “હે મિત્ર! આ રત્નની તમે પૂજા કરે, કે જેના પ્રભાવથી તમે મહારાજા થશે.”
રત્નને જોઈ વિસ્મિત થયેલે રાજકુમાર બે હે મિત્ર! તને આ કયાંથી પ્રાપ્ત થયું ?” - કુમાર! તમારા ભાગ્યથી મને એ પ્રાપ્ત થયેલ છે. એને ઇતિહાસ તમને રાજ્ય મલ્યા પછી કહીશ પ્રધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com