________________
૧૫
એક્વીશ ભવને સ્નેહસંબંધ
તિર્યંચગતિમાં શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, બંધન, ભારવહન આદિ અનેક પ્રકારનાં તેમને દુઃખ સહન કરવાં પડે છે. એ દુઃખ આપણે નજરે પણ જોઈ શકીએ છીએ.
દેવતાઓને પણ ઈર્ષ્યા, વિષાદ, ક્રોધ, લોભાદિક દેશેવડે કરીને અનેક વિટંબણાઓ ભોગવવી પડે છે. અલ્પ રૂદ્ધિવાળાઓ મહર્ધિકની ભાગ સામગ્રી તેમજ તેમની ઉત્તમ દેવાંગનાઓ જોઈ ઈર્ષ્યાથી બળી જાય છે. વળી મરણ અવસરે તેમને અધિક દુ:ખ થાય છે, એ દેવતાઓના ભાગ, સમૃદ્ધિ, સાહ્યબી છોડીને જવાના વિચાર માત્રથી પણ દેવતાઓ કંપી ઉઠે છે પછી અંતકાલના સમયે તે તેમના દુઃખની વાતજ શી?
મનુષ્યમાં પણ જન્મ, જરા અને મૃત્યુના દુ:ખ ઉપરાંત, દૌર્ભાગ્ય, દારિદ્ર રેગ, શેક, વિયોગ આદિ અનેક દુ:ખે રહેલાં છે, માટે હે ભો! આ ભયંકર દુ:ખથી છુટવાને તમે અવિનાશી અને નિરાબાધ એવી મુક્તિની સાધના કરે. અને એ મુક્તિની સાધના માટે તમે જૈન ધર્મને વિષે આદરવાળા થાઓ.”
ભગવાનની દેશના સાંભળી દેવસેન નૂપે નગરમાં , જઈ શૂરસેનને રાજ્યગાદી પર સ્થાપન કરી જીનમંદિર રમાં અષ્ટાલ્ફિકા મહત્સવ કર્યો, સાતે ક્ષેત્રમાં પુષ્કળ ધનને વ્યય કરી દીન, અનાથ અને ગરીબ જનેને ટે હાથે દાન આપી સાધર્મિકને સતેષી પરિગ્રહને ત્યાગ કરી દેવી ચંદ્રકાંતા સાથે જીનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી, વિષય વિકારને ત્યાગ કરી દશવિધ સમાચારીપૂર્વક સત્તર પ્રકારના સંયમનું આરાધન કરવા લાગ્યા. બાર પ્રકારના તપને કરતા દેવસેન રાજર્ષિ સમતા રસને ઝીલતા સાધુના ગુણેથી શોભવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com