________________
એકવીશ ભવને નેહસંબંધ
૨૦૩
છતાં સ્વાધીનપણે માનવી ધર્મની સામગ્રી મેળવવાના પ્રયાસ કરતો નથી એ તેની મૂઢતા ઓછી છે કાંઈ?”
કુટુંબ પરિવારમાં મુંઝાયેલ પુરૂષ બચપણમાં માત પિતાના લાડમાં ને કીડા કરવામાં કાળ વ્યતીત કરે છે. મદનને વધારનારી તારૂણ્ય અવસ્થા રમણીજનના વિલાસમાં ને વૃદ્ધાવસ્થા તો ધર્મારાધન કરવામાં નકામી હોવાથી પુત્રાદિકનું મુખ જોઇને પરાધીનપણે પસાર કરે છે. મનુષ્યના જીવનને આ સામાન્ય ક્રમ હોય છે બાકી તે વિરલાજ ધર્મારાધન કરી આત્મહિત સાધી જાય છે. સ્વામિ !”
હશે ગમેતેમ આ અસાર કાયામાં કાંઈ સાર નથી, સપ્ત ધાતુથી પિવાયેલ અશુચિમય આ શરીરને ડાહ્યા પુરૂષ ધર્મારાધનવડે સદ્દઉપયોગ કરે છે કારણકે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિક ભેગે તે પરમાર્થથી રોગને જ કરનારા છે. આ નવયૌવન શરીર, ખાન, પાન, વસ્ત્ર, આભરણાદિક તો ક્ષણભંગુર છે જે પ્રભાતે દેખાય છે તે મધ્યાન્હ જોવાતા નથી. જે મધ્યાન્હ જોવાય છે તે રાત્રીએ દેખાતા નથી ને રાત્રીએ દેખાય છે તે કાલે દેખાતા નથી, જ્યાં જન્મ, જશે અને મૃત્યુ મનુષ્યની પાછળ જ લાગેલાં છે એવા આ ભયંકર સંસારમાં માનવીને સુખ ક્યાંથી હોય?
આ અસાર સંસારમાં મનરૂપી મૃગલે શાંતરૂપી સુધારસના પાનને ત્યાગ કરી તૃષ્ણા તરૂણી તરફ દોડાદોડ કરી રહ્યો છે. તો પ્રિયે ! આવા અસાર અને ક્ષણભંગુર ભેગેથી હવે સર્યું.” રાજા લલિતાગે પિતાની ઈચ્છા વ્યક્ત કરી.
સ્વામિ ! આપને વિચાર એગ્ય છે. આપણે ભેગા પણ ઘણા ભેગવ્યા, હવે આત્મહિત તરફ પણ આપણે ખ્યાલ આપણે જોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com