________________
=
==
=
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૨૯
ભાગ્યમાં બીજાઓની માફક સાગર સમાધિ લખાઈ નહોતી પુષ્યાનુગથી તેમના હાથમાં એક વિશાળ પાટીયું આવ્યું.
સંસારનાં કેટલાંક સુખદુ:ખની હવા તેમના ભાગ્યમાં સર્જાયેલ હોવાથી મૃત્યુ બીજાઓની માફક તેમને ઝડપી શક્યું નહિ. બન્ને જણાં એ પાટીયાનું અવલંબન પામીને સમુદ્રમાં તણાતાં તણાતાં ચાર પાંચ દીવસે જંગલમાં સમુદ્રના મોજથી ધકેલાતાં કિનારે આવી પહોંચ્યાં. સમુદ્રની આફતમાંથી સહિસલામત કિનારે આવી જવાથી તેઓ બન્ને ખુશી થયાં ને જંગલમાંથી પ્રાણુક ફલાદિક લાવીને નિર્વાહ કરતાં બીજા કે વહાણની આશાએ ત્યાં કિનારા ઉપર રહેવા લાગ્યા. દૂર સમુદ્રમાં જતા વહાણવું ધ્યાન ખેંચાય એવી રીતે તેમણે એક ઉદ્ઘ નિશાન કર્યું. પિતાને લીધે પિતાની પ્રાણાધિક પ્રિયાને દુ:ખી થતી જઈ સુધર્મ છે. પ્રિયે! તને સાથે લાવીને મેં પાપીએ મોટી મુશ્કેલીમાં મુકી દીધી.”
“સુખદુ:ખ એ તે પૂર્વકર્મના વિપાકનાં ફલ છે. સ્વામિન ! માટે એવી દૈવકૃત બાબતમાં આપે હર્ષશેક ન કરવો. ધર્મના મર્મને જાણનારા તમારા જેવા જ્ઞાતાપુરૂષે તો કર્મના મર્મને સમજી વિશેષ કરીને ખેદ ન કરવો જોઈએ.”
બીજા વહાણની રાહ જોતા કેટલોક સમય તેમને પસાર થયે, એક દિવસે સાગરમાંથી પસાર થતા કઈ વહાણના નાવિકેએ કિનારા ઉપર રહેલ પેલું નિશાન જોવાથી તરાપા ઉપર એક બે નાવિકને બેસાડી તે તરફ મોકલ્યા. પેલા પુરૂષે કિનારે આવીને કહેવા લાગ્યા, “આ વહાણને માલિક સુલોચન સાર્થવાહ જબુદ્વિપ તરફ જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com