________________
૧૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
“આપ મારા ક્યા અંગમાં આસક્ત થયા છો?”
આ જે તારાં હરણીના જેવાં ચપળ અને તેજસ્વી ને જ કેવા આકર્ષક છે? એની અદ્દભૂત શોભાનાં તારી આગળ હું શાં વખાણ કર્યું?”
એમ? મારાં આ ને તમને બહુ ગમે છે ? કંઇક ઇરાદા પૂર્વક રતિસુંદરી બોલી. એનાં વિશાલ નયને ચમકી રહ્યાં. એ નયનેમાં અપૂર્વ તેજ ઉડી રહ્યું
હા પ્રિયે ! મૂઢ રાજાના કામુક હૈયાના દાહજવરને ભૂજાવવા હવે અપૂર્વ બલિદાનની એને જરૂર લાગી. કંઇક નિશ્ચય કરી રતિસુંદરી ઉભી થઈ. આ પાપી રાજાના સકંજામાં પોતાનું શીલ રહી શકશે નહિ. પછી તો શીલના મૂલ્ય આગળ પોતાના દેહને તુચ્છ ગણતી રતિસુંદરીએ તીર્ણ છરી લાવીને પોતાનાં બને નેત્રો છેદી રાજાની આગળ ધર્યા, ” “આપને આ નેત્ર પ્રિય હોય તો લે. ” નેત્રો અર્પણ કરતી રતિ બોલી.
નેત્ર વગરની અંધ થયેલી રતિસુંદરીનું આ સાહસ જેને રાજા મહેન્દ્રસિંહને મદન-કામવર ઓસરી ગયેઆ બનેલો તે ફાટી આંખે એ વિગતનેત્રા રતિસુંદરીને જેવા લાગ્યો “આહા ! તને અને મને દુ:ખકારીએવું આ તે શું કર્યું? અરે ! સાહસ વૃત્તિવાળી ! આ તે બહુજ વિપરીત કામ કર્યું.”
“મહારાજ ! તમને અને મને આલેક અને પરલેકમાં હિતકારી એવું આ કામ મેં કર્યું છે. ઔષધ કડવું હોય છે તો તે જ રોગને નાશ કરી શરીરને નિરોગી બનાવે છે. તેમ પરસ્ત્રીના સમાગમથી માનહાનિ, ધનનાશ અને જીવિતનો નાશ થાય છે, ને પરભવમાં દુ:ખ દારિદ્ર, દૌર્ભાગ્ય, ક્ષય, કુષ્ટ અને ભગંદર આદિ રેગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com