________________
અને કામદેવનૃપતિકથામાંથી લીધેલા છે. આ પાઠે રચવામાં સંસ્કૃત ભાવાથી વિદ્યાર્થી તદન અપરિચિત છે એ વસ્તુ ધ્યાન બહાર જવા દીધી નથી; છતાં ઘણું પાઠેમાં મૂળ ગ્રંથના શબ્દો અને રચના બને તેટલાં રાખ્યાં છે
એકવીશલ્લે કે પ્રારંભમાં મુક્યા છે. તેમાં હેતુ એવો છે કે-વિદ્યાર્થી પ્રથમ શ્લથી પ્રારંભ કરે, ડાક શ્લોકે મોડે કરે, અને શબ્દાર્થ સમજી લેકને ભાવાર્થ સમજવા પ્રયત્ન કરે અને યાદ રાખે. ભાસ્કારકરની માગેપદેશિકાના બાર તેર પાઠ થયા પછી ગદ્યપાઠ શરૂ કરવામાં આવે; આમાં વ્યાકરણની થોડીક સમજ સાથે પાઠની સમજણ આપવામાં આવે એ ઈષ્ટ છે.
વશ પાઠ અને એક એક શ્લોમાંથી કેટલા પાઠ અને કેટલા શ્લોકા અંગ્રેજી ચોથા ધોરણમાં શિખવવા એને આધાર શિક્ષકની અનુકૂળતા ઉપર છે. તે બધા જ શિખવે એવો ઉદ્દેશ નથી, જે કે કુશળ વિદ્યાર્થી બધા જ પૂરા કરે એ ઇષ્ટ છે. પણ શિક્ષકને વારાફરતી એક વર્ગમાં બે વર્ષ સુધી ચાલે એટલી આમાં સામગ્રી છે.
કેવળ સંસ્કૃત શિખનાર વિદ્યાર્થીઓ આ ગ્રંથ પૂરે કરે એ ઈષ્ટ છે.
ટિપ્પણમાં પ્રારંભમાં સર્વનામ આપ્યાં છે. કારણ ત્યાં જણાવ્યું છે. પ્રત્યેક શ્લોક કે પાઠમાં આવતા શબ્દોના અર્થ અને વિદ્યાર્થી સમજી શકે એટલું વ્યાકરણની દૃષ્ટિએ પૃથક્કરણ આપ્યાં છે. અમુક શબ્દની સાથે અમરકેશમાંથી પંક્તિઓ ટાંકી છે તે સાભિપ્રાય છે. એક અર્થના અનેક શબ્દ વિદ્યાર્થી કુતૂહલથી શિખે ! કલેકાના ભાવાર્થ પણ સ્થળે સ્થળે આવ્યા છે
આ સપાનપરંપરા કેવળ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને જ ધ્યાનમાં રાખી રચી નથી. ખાનગી સંસ્કૃતિને અભ્યાસ કરનારા પણ તે વાપરે એવો ઉદ્દેશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com