SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) ગ્રન્થની રચના કરતી વખતે શરૂઆતમાં સ્વધર્મના પ્રણેતાને પ્રણામ કરે છે. પાણિનિના કયા ગ્રન્થમાં તેમણે અહંતને નમસ્કાર કરાયા હોય એમ વાંચ્યું છે? કલપના પણ કંઈક સાધાર ને સંગત લખાય છે તે વાસ્તવિક ગણાય. વળી તેઓ માત્ર કલ્પના કરીને જ નથી બેસી રહ્યા. તેમણે તો “જૈનધર્મી જ હતા ” એમ લખીને પોતાને અંતિમ નિર્ણચ જગતને આપી દીધું છે. આ નિશ્ચયવાચક શબ્દપ્રયોગ તે એ જ સૂચવે છે કે તેમણે જાણે બધા પ્રમાણે મેળવીને સિદ્ધ કરી નાખ્યું હોય કે પાણિનિ જેને જ હતાપરંતુ પ્રમાણ એકે નથી આપ્યું. બીજી તરફ તેના ત્રીજા ભાગમાં વળી કાંઈક ઊલટું જ લખાયું છે. તેમાં લખ્યું છે કે માત્ર ચાણકયજીને જ મેં જૈનમતાનુયાયી માન્યા છે. પાણિનિના ધર્મ વિશે મારા જાણવામાં અદ્યાપિ પર્યન્ત કાંઈ આપ્યું જ નથી; પ્રા. ભા. ૫. ૩, પૃ. ૨૨૬. એક તરફ લખે છે “જૈન ધમી જ” હતા; બીજી તરફ લખે છે “તેમના વિશે મારા જાણવામાં જ કાંઈ આવ્યું નથી” આ અસંબદ્ધ પ્રલાપ જેવું નથી લાગતું ? પ્રથમ ભાગમાં પાણિનિના ધર્મ સંબંધી લખવામાં ભૂલ થઈ છે એ સમજવા છતાં, અને સંગતિષથી એ ભૂલ થઈ છે એમ પ્રશ્નચર્ચામાં માનવા છતાં, ત્રીજા ભાગમાં સમાલોચક ઉપર દુષારેપણુ કરવાની વૃત્તિ છેક જ તિરસ્કરણય કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy