SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ] ચણા ચાવવા જેવું હતું. એટલે મગધની હદની પશ્ચિમ દિશાએથી (કુ લગભગ જ્યાં આગળ ચંદ્રગુપ્તમાર્યે પણ પેાતાની ગાદીની સ્થાપના કરી હતી) ઉતરીને જવાનું યથાયેાગ્ય લાગ્યું હશે. તેમજ મગધના રાજકર્મચારીઓએ પણ તેમ કરવાની જ સલાહ આપી હાવી જોઇએ કેમકે, ખજીના મુલક બધા પોતાની માલિકીના જ હતા; તેમજ તે બન્ને ભાઈ એ ભલે શૂદ્રાણીના કુમારે। હતા પરંતુ આખરે તે તે પેતાના સદ્ગત રાજાના પુત્રા જ હતા તેમજ રાજપાટ ઉપર તેમના હક પહોંચતા જ હતા. જો ભાગ્યવિવિધ તેમની વિરૂદ્ધ ન પડી હાત તે। તેમના જ અભિષેક ગાદી ઉપર થાત અને તેમના જ ચરણામાં તે સર્વેને પેાતાનાં શીર ઝૂકાવવાં પડત. એટલે કે મગધપતિ તરીકેના રાજ્યહક તેમને નાબૂદ કરી નંખાયા હૈાવા છતાં, રાજપુત્રાને શોભે તેવા માનમરતખાથી તેમને વિદાય થવાની સર્વે જોગવાઈ કરી આપી હશે એમ આપણે સ્વીકારી લેવું જોઈએ જ; બલ્કે કહા કે, રાજકુમાર તરીકે મગધસામ્રાજ્યની હકુમતમાંથી થાડે ઘણા પ્રદેશ રાજભાગ નિમિત્તે કાઢી આપ્યા પણ હરો. એટલે તેમણે મગધની હદની લગાલગ આવેલ પ્રદેશ જેને આપણે વર્તમાનકાળ, રેવાબુંદેલખંડ રાજ્યના સંસ્થાન અને મધ્યપ્રાંતના મહાકાશળ તરીકે ઓળખી રહ્યા છીએ, તે ભૂમિની પોતાના હિસ્સા માટે માંગણી કરેલી હાવી જોઇએ, બલ્કે તેમને તે પ્રદેશ આપેલ હાવા જોઇએ. આ સ્થિતિમાં કુમારશ્રીમુખે સ્વતંત્ર રીતે પેાતાના વંશની સ્થાપના જો કઇ રીતે કરી જ હાય, તા મધ્યપ્રાંતના પૂર્વ ભાગમાં કરીને તેમાંની કાઈક અનુકૂળ જગ્યાને રાજનગર તરીકે પસંદ કરેલું હાવું જોઇએ. (આ વિષયની વિચારણા આગળ ઉપર આપણે કરવાના છીએ). બીજાં તે, તે ખાજી તેને કાંઈ કરવા જેવું હતું જ નહીં; કેમકે સર્વ શાંતમય વાતાવરણ હતું. વળી આંત્રણત્યાના ઇતિહાસ (૪૭) રાો શ્રીમુખની ઉમર આ વખતે લગભગ ૩૨ની આસપાસની હતી અને રાજા ખારવેલની માત્ર ૨૬ની જ હતી. ( હાથીગુફાના લેખ જુઓ ) એટલે એની વચ્ચે થી આઠ વર્ષના તફાવત હતા; વિશેષ માટે [ ૧ મગધ તરફથી જ તેને તે ભૂમિના કબો મળ્યેા હતે. એટલે એચાર માસ જેટલા વખતમાં સર્વ પ્રકારને ઠીક ઠીક બંદોબસ્ત કરીને પોતે વિશેષ ભૂમિ જીતવાના અને રાજ્યને વિસ્તાર વધારી દેવાના માર્ગ ગ્રહણ કરવા તત્પર બન્યા. સ્વાભાવિક છે કે પ્રથમ દૃષ્ટિએ તેની અભિલાષા, જે બાજી રાજકીય સ્થિતિ કાંઇક ડામાડાળ જેવી દેખાતી હૈાય તે બાજુ જ પડે. અને તે ખાતુ અત્યારે પેાતાની પૂર્વ-દક્ષિણ દ્વંદે આવેલ લિંગરાજ્યવાળી જ હતી; કેમકે તુરતમાં જ ત્યાં ખારવેલ-ભિખ્ખુરાજ ગાદીએ આવ્યા હતા અને પેાતાથી નાની ઉંમરના હાઈ ૪૭ ત્યાં તેને પેાતાને જીત મળવાના વધારે સુંદર સંયેાગેા દેખાતા હતા. એટલે પાતાથી અને તેટલું વિશેષ સૈન્ય એકઠું કરી, પૂર્વ તરફના માર્ગ તેણે લીધા અને કલિંગ ઉપર ચડાઈ લઇ ગયા. જેવી તેના આક્રમણની ખબર ખારવેલના કાને પડી કે તેણે પણ કાંઇપણ વિલંબ વિના તેના સામના કરવાને પ્રયાણ આદર્યું અને શાતકરણિની કિંચિત માત્ર પણ પરવા કર્યા વિના ધસારા લઇ જઇ, એવું તા શૌર્ય દાખવ્યું કે શ્રીમુખતે પાછું હી જવું પડયું. ખારવેલે પણ અંતિમ દ સુધી તેને પીછા છોડયા નહીં. અંતે રાજા શ્રીમુખ જ્યારે પાછા હઠતા હતા નાસિક સુધી પહેાંચ્યા અને સંસ્થાદ્રિપર્વતની આથે જતા રહ્યો; એટલે ખારવેલને કાષ્ઠ ઉપાય હાથ ન રહેવાથી પાછા ફર્યાં અને નિઝામી રાજ્યવાળા સર્વાં ભાગ કલિંગસામ્રાજ્યમાં ભેળવી દઈને પેતે સ્વસ્થ બન્યા. કહે છે કે રાજા ખારવેલ પાછા ફર્યાં ત્યારે તેણે કાંઈક રાષમાં આવીને આ મુલ્કને (નિઝામી રાજ્યના) કેટલાક ભાગ ખાળી નાંખ્યા હતા.૪ આ પ્રમાણે શ્રીમુખની રાજકીય સ્થિતિ થઇ જવાથી એક રીતે તેને રાજા ખારવેલના ખડિયા ચઇ ગયેલ કહેવાય; કેમકે તેના જ હાથે થપ્પડ ખાધી છે અને તેના જ હાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૂ. ૫૪ જુએ. (૪૮) આ બધી પરિસ્થિતિ હાથીગુફાના લેખની ત્રીજી ચેાથી પંક્તિથી સ્પષ્ટપણે સમજી શકારો (જીએ પુ. ૪માં તેનું જીવનચરિત્ર). www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy