________________
યાદશમ પરિચ્છેદ 1
સ્થિતિના વિકલ્પો આપણે વિચારી જોઇએ. પુરાણકારાએ કવિશુણાયના સમકાલીન તરીકે અથવા તેના આશ્રયદાતા તરીકે જેને કુંતલ ઉર્ફે શાલિવાહન ગણાવ્યા છે. તેને જ આપણે પણ શાલિવાહન ગણાવ્યા છે. વળી તેમાં આપેલ અને ઓળખાવેલ તેના ખીજાં સગાં સંબંધીને આપણે પણ તે જ નામથી એળખતા થયા છીએ. એટલે સર્વેનાં નામ-ઠામ, તથા અરસપરસનાં સગપણ સંબંધ મળી રહેતાં જણાય છે; જેથી કોઈ અન્ય વ્યક્તિ તરીકે તેને ગણી લેવામાં આવ્યા હાય તે પ્રકારની ભૂલ તા થતી નથી દેખાતી. હવે તેને સમય ઈ. સ. પૂ. ૪૭ થી ઈ. સ. ૧૮ જે હરાવ્યા છે તેને બદલે તેના રાજ્યના આરંભ કે અંત ઈ. સ. ૭૮ માં થયા સંભવે છે કે કેમ તે પ્રશ્ન વિચારીએ સામાન્ય રીતે શકની સ્થાપના તેના પ્રવર્તકના (ને રાજા હોય તા રાજ્યકાળના અને ધર્મોપદેશક ડ્રાય તો તેના જીવનના અંત સમય સાથે.જ સંકલિત થયેલ હાય છે. એટલે તે નિયમને અનુસરીને જો રાજાશાલિવાહનના રાજ્યના અંત ઈ. સ. ૭૮ માં આવ્યા હાય તે તેનું રાજ્ય ૬૫ વર્ષ પર્યંત ચાલ્યું હોય તા, તેનું ગાદીએ એસવું ઈ. સ. ૧૦ની આસપાસમાં માનવું રહેશે. અને તેમ બંધ બેસતું કરવા માટે, જે જૈનાચાર્યા, આર્યખપુટ, પાદલિપ્તસૂરિ તથા મંત્રાદિ સિદ્ધિના પ્રણેતા પંડિત નાર્ગાજીÖન અને શકારિ વિક્રમાદિત્ય તેમના સમકાલીન તરીકે સાહિત્યગ્રંથામાં મનાયા છે, તે સર્વને મૃત્યુ બાદ ફ્રીને નવી જી ંગી ધારણ ધરતા બનાવવા પડશે. જેમ બનવું અશકય છે, ઈ. સ. ૭૮માં રાજ્યના અંતને બદલે તેનું રાજ્યા રાહણુ ગણીએ તે તેનું મરણુ ૭૮+૬પ=ઈ. સ. ૧૪૩ માં થશે. તેમ થતાં તા, ઉપરમાં જે અનાાની અશકયતા દર્શાવી છે તે વિશેષત: અશકય બની જશે. મતલખ કે સમયની ગણત્રીએ જે સ્થાને આપણે શાલિવાહનને સ્થાપ્યા છે ત્યાંથી આધાપાછા કરવાથી પણ તેને શક સંવતની સ્થાપના સાથે સંબંધ ધરાવતા અનાવી શકાતા નથી.
શકપ્રવર્તન વિશે ત્યારે શુ?
[ ૨૫૯
ઉપર વર્ણવેલી એક પ્રકારની સમસ્યાની વિચારણાથી, જેમ શાલિવાહનને પદચ્યુત કરી શકાતા નથી તેમ અન્ય રીતે પશુ તે જ સ્થિતિને વળગી રહેવાનું સાબિત કરી શકાય છે. રાણી ખળશ્રીના શિલાલેખથી તેના પુત્રને ગૈાતમીપુત્ર અને પાત્રને વાસિષ્ઠીપુત્ર તરીકે ઓળખાવાયા છે. સામાન્ય નિયમ એવા ગણાય કે પુત્ર પછી પાત્ર જ ગાદીએ આવે છે, છતાં ન બનવાનું પણ ખતી જાય છે. (જેમ નં. ૨ આંધ્રપતિ પછી તેના પુત્ર ન બેસતાં તેના કાકાના રાજ્ય અમલ વચ્ચે ચાલી ગયા છે). એટલે તે સ્થિતિ પણ આપણા લક્ષ બહાર જવી ન જોઇએ. મતલબ કે બળશ્રીના પુત્ર અને પાત્રો વચ્ચે કેાઈ તૃતીય વ્યક્તિ રાજપતિ તરીકે આવ્યા છે કે નહીં તે સ્થિતિ પણ વિચારવી જોઇએ. પરંતુ અહીં તે શિલાલેખની હકીકતથી જ સ્પષ્ટ થાય છે, કે તેના પુત્ર પછી તેને પાત્રજ, કાંઈ અંતર પડષા વિના અથવા સળંગ અનુક્રમે ગાદીએ ખેઠા છે. તેથી રાણી ખળશ્રીએ પોતાના પુત્રને શક પ્રજાનું નિકંદન કાઢી “શાતવાહનની કાર્તિને ઉજ્વળ કરનાર” તરીકે મનાન્યેા છે. તેમ પુરાણકારે પણ પ્રજાની સાથે યુદ્ધમાં ઉતરીને મારી નાંખનાર શાત રાજાનું મૃત્યુ, શકારિ વિક્રમાદિત્યે ક્ષકને હરાવ્યા બાદ દશ વર્ષે થયાનું જણાવ્યું છે (પુ. ૪, પૃ. ૨૦). આ સં હકીકત ઉપરથી રાણી ખળશ્રીના પુત્ર કે જેણે શક પ્રજાનું નિકંદન કાઢી નાખ્યું તે જેનું મરણુ ઈ. સ. પૂ. ૫૭ (શકારિની જીતના સમય) ખાદ દશ વર્ષે નાંધાયું છે તે શાત રાજાને જ શાતવાહનની કીર્તિને ઉજવળ કરનાર અને શકાર વિક્રમાદિત્યના સહાયક તરીકે લેખવા રહે છે. અને તેને તેમ ગણી, તેની પાછળ ગાદીએ આવનારનેખળશ્રીના પાત્રને ઈ. સ. પૂ. ૪૭ થી શરૂ કરી ૬૫ વર્ષીનું રાજ્ય ભાગવી ઇ. સ.૧૮માં મરણ પામતે લેખવા રહે છે. જો આમ થાય તા જ જૈન સાહિત્યગ્ર થામાં સૂચવેલા, આર્યખપુટ, પાદલિપ્તાદિના સર્વ પ્રસંગેાના સમયાનુક્રમ સચવાઈ જાય છે. જેમ શિલાલેખના
(૮) વિશેષ શિલાલેખી પુરાવા માટે ન'. ૧૮ના વૃત્તાંતમાં ધાર્મીિક પ્રવૃત્તિ અને ધર્મની સમન્તતિવાળા પારિગ્રાફ જુઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com