SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ પરિચ્છેદ ] શબ્દો મેગેસ્થેનીઝની ડાયરીમાંના અસલ તરીકે લીધા છે કે સ્વમતિ અનુસાર ભાવાર્થ-અનુવાદ તરીકે લખ્યા છે તે આપણે જાણતા નથી. પરંતુ એક જવાબદાર વ્યક્તિ તરીકે તેમજ કાળવાળા પૂર્ણ અભ્યાસી અને પ્રુતિહાસના પરિશિલન વૃત્તિવાળા પુરૂષ તરીકે વિન્સેન્ટ સ્મિથની જે ખ્યાતિ જામેલી છે તે જોતાં સહજ ધારી શકાય છે કે, ભલેને શબ્દો અસલ તરીકે ન હાય અને અનુવાદરૂપે જ હાય, છતાં તદન વિચાર અને આધારપૂર્વક તે લખાયલા હેાવા જ જોઇએ. એટલે તે ઉપરથી જે ઘટના ઘટાવાય, તેને ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારી લેવામાં જરાયે ક્ષેાલ પામવાનું રહેતું નથી. આ શબ્દો કેમ જાણે મેગેસ્થેનીઝના મહે• માંથી જ નીકળ્યા હાય એમ દેખાય છે; વળી વિચાર દર્શાવવાના સામાન્ય નિયમ તેા એ છે કે, જો પેાતાના સમયે એટલે કે પેાતાના રાજાના અમલ દરમ્યાન અનેલ બનાવનું વર્ણન કરવું પડતું હેાય તે, “ આપણા રાજાના વખતે” કે તેવું જ ભાવાર્થસૂચક ક્રાઇ વિશેષણુ જોડીને તે ખેલવું જોઇ એ; તેને બદલે અહીં મેગેસ્થેનીઝ પાતે વર્ણન કરે છે છતાં, આપણા રાજાના સમયે ” શબ્દ ન લખતાં, કાઈ ત્રીજા પુરૂષના સમયનું જ કેમ જાણે વર્ણન લખતા ન હોય તેમ “ પૂર્વપ્રદેશના રાજા મૌર્ય ચંદ્રગુપ્ત'નું નામ સ્પષ્ટપણે ખતાવ્યું છે. જેને અર્થ તે એ થા રહે છે કે, મેગેસ્થેનીઝ અને ચંદ્રગુપ્ત અને સમય નિરનિરાળે છે એટલું જ નહી, પણ ચંદ્રગુપ્ત તે મેગેસ્થેનીઝના પુરાગામી જ ગણવા રહે. આ પ્રમાણે ખુદ મેગેસ્થેનીઝનું મંતવ્ય થયું કહેવાય. જ્યારે વિદ્વાનાની વર્તમાનકાળે માન્યતા એવી છે કે, જે મગધપતિ પંજાબની એક સરિતાતટે અલેકઝાંડર ધી ગ્રેઈટને મળ્યા હતા તેનું નામ સંડ્રે ક્રેટસ હતું, તેને જ સેલ્યુકસ નિર્કટારે પેાતાની પુત્રી પરણાવી હતી અને તેના જ દરબારે મેગેસ્થેનીઝ એલચી તરીકે રહ્યો હતા અને સેંડ્રેકાટસ નામની વ્યક્તિનું હિંદીનામ ચંદ્રગુપ્ત હતું. મતલબ કે ચંદ્રગુપ્ત અને મેગેસ્થેનીઝને વિદ્યાના સમકાલિન ગણાવે છે જ્યારે મેગેસ્થેનીઝ ખુદપેાતે ચંદ્રગુપ્તને પેાતાના પુરાગામી કહે છે. તે સાચું ક્રાણુ ? કે પછી સેડ્રેકેટસના અર્થ ચંદ્રગુપ્ત તા .. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૯ કરવામાં વિદ્યાનેએ ભૂલ ખાધી છે. અમારા મત પ્રમાણે સેંડ્રેકાટસ એટલે ચંદ્રગુપ્ત નહીં પણ ચંડાશેાક-સેન્ટેશાક, સેન્ડેશેાકસ એટલે અશાક જેને કહેવામાં આવે છે તે અશાકવર્ધન પાતે સમજવા અને તેના જ સમયે ઉપર વર્ણવેલા સર્વ બનાવા બનવા પામ્યા હતા (જીએ પુ. ૨ માં અશાકનું જીવન ચરિત્ર). ચતુર્થપરિચ્છેદે રાજનગરના સ્થાન વિશે ચર્ચા કરીને આપણે એવા અનુમાન દારી ખતાન્યેા છે કે, તે માટે ત્રણ સ્થાને જ દાવા કરી શકે તેમ છે. પેંઠ, વરંગુળ-અમરાવતી અને વિજયનગર. તેમાંનું વિજયનગર તા, જ્યારથી તે વંશની એ શાખા પડી ગઈ ત્યારથી એક શાખાનું રાજનગર થવા પામ્યું હોય એમ સ્પષ્ટપણે દેખાય છે. જ્યારે પૈંડ તેા અસલથીજ ગાદિનું સ્થાન હશે અને વરંચળ તથા અમરાવતી (અને સ્થળા રાજનગરનાં ગણાય કે તે બન્ને પાસે પાસે હાવાથી, તેમાંનું એક જ પાટનગર હતું અને ખીજું તે, નામની પૂરી માહિતી ન હેાવાથી માત્ર કલ્પિતરીતે ઉભું કરી વાળ્યું છે; ગમે તે સ્થિતિ હાય. આપણે સલામત રસ્તા ગ્રહણ કરી બન્નેને સાથે જોડી દીધાં છે) તે સમય જતાં જ્યારે વિશેષ વિસ્તારવંત પ્રદેશ ઉપર સ્વામિત્વ મળ્યું ત્યારે રાજ ચલાવવાની અનુકૂળતા સાચવવા માટે ફેરફાર કરી પસંદ કરવામાં આવ્યું હશે એવું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત આ રાજાએના શિલાલેખા તથા સિક્કાએ જે અદ્યતન પ્રાપ્ત થયા છે તેમાંના આદિરાજાઓના ક્રેટલાક દક્ષિણૢહિંદના પૂર્વ તરફના વિભાગમાંથી મળી આવ્યા. છે ત્યારે કેટલાક પશ્ચિમ તરફમાંથી પણ મળી આવ્યા છે. તેવી જ રીતે મધ્યમ અને અંત વિભાગી રાજાઓની બાબતમાં પણુ બનવા પામ્યું લાગે છે. એટલે એવું કાંઇક અનુમાન ારવું પડે છે કે, વારંવાર રાજનગરનું સ્થાન–પેંઠ અને વરંગુળ કે અમરાવતી–ફેરવવા જરૂર પડી હાવી જાઇએ. પછી તે રાજકીય કારણને લીધે હાય કે હવામાનને લીધે હાય કે તેથી પણ નિરાળા કારણને લીધે હેાય તે જુદી વસ્તુ છે. આપણે તે બાબતમાં ઊંડા ઊતરીને કાંઈ નિશ્ચયપૂર્વક ઉચ્ચારણ કરી શકવાની પાછુ’ રાજપાટ વિશે પાર્કે રાજપાટ વિશે www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy