SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણાત્સંગના અન્ય વિસ્તાર અશ્રમ પરિચ્છેદ ] રાજ્ય વિસ્તાર હાય છે, ત્યાં ડાકિયું મારીને ખહાર ખેંચી કાઢવાનું કાર્ય, સમયના આંકડાનું અવલંબન જેટલું સુંદરરીતે અને સંશયરહિત કરી આપે છે, તેટલું કાર્ય એકે વસ્તુ કરી નથી આપતું; તે આપણે પૃ. ૧૪૯-૫૦ ઉપર જણાવી ગયા છીએ. અત્ર પણ ફરીને તે જ સિદ્ધાંતને અનુસરીને કામ લેવું આવશ્યક લાગે છે, તે સમયની પેઠે અત્યારે પશુ, પૂર્વની બે જ સત્તા સર્વે હિંદુસ્તાનમાં જામી પડી હતી, ત્રીજી જે કલિંગની સત્તા હતી તેના લાપ થઇ ગયા હતા; જેમાંથી થોડાક ભાગ, વસતશ્રી મલ્લિક શાતકર્રાણુના વૃત્તાંતે જણાવ્યા પ્રમાણે તેણે પોતાના આંધ્રસામ્રાજ્યમાં ભેળવી લીધા હતા. એટલે અહીં પણુ એ નૃપતિના સમયની અને તેમનાં જીવન ચરિત્રોમાં બનેલા બનાવાની, સરખામણી જ કરવી રહે છે. તેમાંના (૧) મગધસમ્રાટ તરીકે–અશાકનું ઇ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯=૪૧ વર્ષ; (૨) અને ખીજા આંત્રપતિ તરીકે—પૂર્ણાત્સંગ પેાતાનું ૩૧૭ થી ૨૯૯=૧૮ વર્ષ રાજ્ય ચાલ્યું છે. અશાકનું જીવનચરિત્ર લખતી વખતે સાખિત કરી ગયા છીએ કે જ્યારે તે ગાદીએ આગ્ન્યા ત્યારે સારાયે ભરતખંડમાં બિંદુસારની નબળાઈને લીધે, તે પં. ચાલુકયના સ્થાને આવનાર પ્રધાનની રાજનીતિને લઈને, ખળવા જેવી સ્થિતિ થઈ રહી હતી. તેમાંથી ઉત્તરહિન્દમાં શાન્તિ ફેલાવવાની પ્રથમ જરૂરિયાત, શાને ગાદીએ બેસતાં વેંત લાગી હતી; કેમકે હિન્દનું હાર્દ તે જ વિભાગ હતા. તેમાંયે હિન્દની સરહદને દરવાજે આવીને પરદેશીઓએ તેનાં દ્વાર ખખડાવવા માંડયાં હતાં; જે અલેક્ઝાંડર ધી ગ્રેટટ એક વખત ઈ.સ. પૂ. ૩૨૭માં હિન્દમાં આવીને પેાતાના દેશ પાછા ફરતાં ૩૨૩માં મરણ પામ્યા હતા, તેની પાછળ ગાદીએ બેસનાર તરીકેના હક્કના કછ્યા ઘેાડા ઘણા પતાવીને, તેના સરદાર સેથ્યુસ નીક્રેટારે યવન રાજ્યની રાજલગામ હાથ ધરી હતી; તેને પશુ હિન્દની રસાળ ભૂમિના પેાતાના સરદારની પેઠે સ્વાદ ચાખવાને માઠુ લાગ્યા હતા. એટલે લગભગ ખારથી અઢાર વખત હિન્દુ ઉપર ચડી આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૬૫ પણ સર્વ વખતે અફળ જવાથી કંટાળીને છેવટે ઈ. સ. પૂ. ૩૦૪માં તેને અશાકવર્ધન સાથે સલાહ કરવી પડી હતી. આ સર્વ વૃત્તાંત આપણે પ્રુ. ૨ માં પૃ. ૨૭૫ છે. ઉપર જણાવી ગયા છીએ. એટલે અને તે તેના નિષ્કર્ષ રૂપે એટલું જ જણાવવાનું કે ઈ. સ. પૂ, ૩૦૪ સુધી અશાકવર્ધનનું ચિત્ત, તે સેલ્યુકસના વારંવાર થતા હુમલાને ખાળવામાં જ પરાવાઇ રહેલું હતું. જેથી દક્ષિણ હિન્દમાં શું બની રહ્યું હતું તે જાણવાની પણ જ્યાં તેને પડી ન હોય ત્યાં સંભાળપૂર્વક જોવાની તા કયાંથી જ ફુરસદ મળે તેવું ધારી લેવાય? આ તકનેા લાભ પૂર્ણાત્સંગે સંપૂર્ણપણે લીધે અને કલિંગદેશને જે કાંઈ ભાગ હજુ મગધમાં રહેવા પામ્યા હતા તે સર્વ આંધ્ર સામ્રાજ્યમાં ભેળવી લીધા. પરિણામે સ્થિતિ એવી થઇ રહી કે વિંધ્યાચળ પર્વતની ઉત્તરના સર્વ પ્રદેશ ઉપર એટલે કે પૂર્વમાં મહા નદી અને પશ્ચિમે નર્મદા નદી—તે બંનેની ઉત્તરના હિન્દુ ઉપર, મગધની આણુ અને તે નદીએની દક્ષિણુના સર્વ પ્રદેશઉપર, ઠેઠ કન્યાકુમારી સુધી આંધ્રપતિની આણુ, ગાજી રહી. આ કથનના સત્યનીપ્રતિતિ તરીકે આપણી પાસે પૂરાવા પણ માજીદ છે. પુ. ૨, પૃ. ૨૭૨માં જણાવાયું છે કે સમ્રાઢ અશેકે ઈ. સ. પૂ. ૩૧૩માં (૩૩૦-૧૭) પેાતાના રાજ્યે સત્તરમાં વર્ષે, ત્રીજી બૌદ્ધધર્મ પરિષદમાં ઉપસ્થિત થવા, જે બૌદ્ધ ભિક્ષુઓને સિલેાનમાંથી તેડાવ્યા હતા, તેમની રૂબરૂમાં પાટલીપુત્ર નગરે પેાતાના પુત્ર મહેદ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ દીક્ષા આપ્યા બાદ, તેમની સાથે પાછા સિલેાન જવા, મહાનદીના મુખ આગળના દરિયા તટેથી તેણે તેમને વિદાય આપી હતી; આમ કરવાનું કારણ એ હતું કે તે નદીના મુખની દક્ષિણે આવેલ મુલક સમ્રાટ અશોકની આણુમાં નહેાતે અને જો પર રાજ્યની હદમાં પ્રવેશાય તે। નવું જીનું થઈ પડે, એટલે જ સ્વરાજની છેલ્લામાં છેલ્લી હદે આવીને અટકવું પડયું હતું અને ત્યાંથી જ વહાણામાં તેમને એસારી સર સફળ ઈચ્છી લીધી હતી. આટલા વિવેચનથી હવે વાચાને ખાત્રી થઈ ગઈ હશે કે, આ પૂર્ણાસંગના રાજ્યઅમલે સર્વે દક્ષિણ ભરતખંડા પ્રદેશ સમાઈ જતા હતા. આ પ્રમાણેની સ્થિતિ મેઢામાં મેઙી - www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy