________________
૧૫૬ ]
'
@
તેની ઓળખ અને ઉમર
શ્રીકૃષ્ણની ઓળખ અને ઉભર
શતવનવંશ (ચાલુ) (૩) શ્રીકૃષ્ણ પહેલા; વાસિષ્ઠપુત્ર પુરાણકારાના કહેવા પ્રમાણે (પૃ. ૨૬ની નામાવલી) રાજા શ્રીમુખ પછી તેને ભાઈ કૃષ્ણ ગાદીએ આવ્યા હતા પરંતુ પૂર્વના પ્રકરણેામાં સાબિત કરી ગયા પ્રમાણે હવે નક્કી થઈ ગયું છે કે, શ્રીમુખ પછી તો તેના પુત્ર યજ્ઞશ્રી આવ્યા હતા અને તે બાદ તેના સગીર પુત્ર વસતશ્રી બેઠે હતા. આ વદસતશ્રી બાળક હાવાથી તેની મા, રાણી નાગનિકાએ રાજલગામ હાથમાં લીધી હતી. પરંતુ કેવા સંયેાગેામાં તેને ઉઠી જવું પડયુ હતું તે સર્વ વિગત, ઉપરમાં લખી ગયા છીએ એટલે અત્ર પાછી ઉતારવી જરૂરીૢ નથી. માત્ર જે હકીકત નથી જણાવાઇ તેનેા જ ઉલ્લેખ કરીશું.
સગાના
લેવામાં
રાજા
રાજકારણમાં ઈન્સાક, આંખશરમ કે, સંબંધ કરતાં સ્વાર્થની દૃષ્ટિએ વિશેષ કામ આવે છે. તે ઉઘાડી વાત છે; અને તેથી જ મહાનંદ મગધપતિએ કૃષ્ણતા પક્ષ લઈ ખરા હક્કદાર વસતશ્રીના હક ઉપર તરાપ પાડી હતી, તેને જો કે કાંષ્ટક ચિતાર અપાઇ ગયા છે. પરંતુ વિશેષ સ્પષ્ટી કરણની અપેક્ષા રહે છે. નંદ નવમાના બાળકપુત્રા તરફથી અપમાનિત થતાં, નંદકુળના નાશ પાતે ન કરે ત્યાંસુધી મગધની ભૂમિના ત્યાગ કર્યાનું તથા શિખા છૂટી રાખી ફરવાનું પં. ચાણકયે પણ લીધાની હકીકત, તેનું જીવનવૃત્તાંત લખતાં પુ. ૧ માં જણાવી ગયા છીએ. તે વાતને લગભગ પંદરેક વર્ષનાં વહાણાં વહી ગયાં હતાં. એટલે કે જે મયુરાષકની બાળાના ગર્ભનું તેણે રક્ષણુ કર્યું હતું તે પુત્રરૂપે જે જન્મ્યા હતા તે ચંદ્રગુપ્ત અત્યારે (તેના જન્મ મ. સં. ૧૩૦ માં હાવાથી જીએ પુ. ૨-પૃ. ૧૫૪ અત્યારે) મ. સં. ૧૪૪માં પંદર વર્ષને થયેા હતા. પં. ચાણકયને તે। આ વાતની ચટપટી લાગી હોવાથી વિસ્મરણ થાય તેવું જ નહોતું. તેથી તેણે મયુરાષકની ખાળાના માતિપતા પાસે આવી, પેાતાને આપેલ વચન પ્રમાણે તે પુત્ર સાંપી દેવાની માંગણી કરી. પછી તેને સાથે રાખી મગધભૂમિની સરહદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખડ
જ્યાં આંધ્રપતિના અને લિંગપતિના મુલકની અડે।અડ આવી રહી હતી ત્યાં તેણે લૂંટફાટ કરી, ચેાડીધણી જમીન કબજે કરી, પેાતાને અને ચંદ્રગુપ્તને રહેવા માટે સ્થાન ઉત્પન્ન કર્યું. આ સમયે પેલી વૃદ્ધા અને ખીર ખાતા તેના બાળકવાળા બનાવ (પ્રુ. ૨, પૃ. ૧૬૬) બનવાથી પં. ચાણકયને પેાતાની ભૂલ સમજાઇ. એટલે વ્યવસ્થાપૂર્વક હલ્લા કરવા માંડ્યા. ધીમે ધીમે તે વાત મગધપતિ મહાનંદને કાને પડી એટલે તેણે પેાતાના વૈરીને ઉદય થઇ ગયા છે તથા પં. ચાણકય પેાતાનું ધાર્યું કરશે તે શું પરિણામ આવી શકશે, તેનેા અંદાજ કાઢી લીધા. જોકે કલિંગપતિના રાજ્યની હદ પણ ત્યાં આવેલ હતી, છતાં તેના પેટનું પાણી હાલે તેવું નહેતું, કેમકે પ્રથમ તો તે ભાવિલાસી હાવાથી અહુ કાળજીવંત પણ નહાતા, તેમ પં. ચાણકયને કાંઈ તેની સાથે વેરઝેર જેવું નહાતું કે તેની પ્રજાને રંજાડે. ઉલટું તે મહાચતુર અને રાજકીયક્ષેત્રે કેમ કામ લેવું તેમાં પટુ હાવાથી, તેને ક્રોધિત થવાનું કારણું આપવામાં જાણી જોઇને દૂરને દૂર રહેવાનું પસંદ કરતા હતા. કલિંગપતિની પ્રજા, પં. ચાણકયની અને પેલા વાટપાડુ કુમાર ચંદ્રગુપ્તના રંજાડથી મુક્ત છે અને તેમ કરવામાં કાંઈક ઉંડી બાજી રમાતી હૈાવી જોઇએ, તે સમાચાર પણ મહાનંદને પહેાંચી ગયા હતા. એટલે પેલી રંજાડવાળી સરહદના ત્રભેટાએ જોડાતાં ત્રણ રાજ્યામાંથી બાકી રહેલા આંધ્રપતિને, જો કાંઇક યુક્તિથી પોતાના પક્ષમાં જોડી શકાય તે મન ફ્રાવતા દાવ રમી શકાય એમ રાજકીય ક્ષેત્ર’જ રમવામાં પાવરધા અનેલા મહાનંદે નિહાળી લીધું. આ વખતે મ. સં. ૧૪૫ની સાલ અને આંધ્રપતિતરીકે પેલા બાળક વસતશ્રીની ધેાષણા ચાલી રહી હતી. તેમાં ખાળક તરફથી સહાયની આશા તે શું રાખી શકાય પરંતુ તેની રીજંટ તરીકે કામ ચલાવતી વિધવા માતા રાણી નાગનિકાની ઉંમર પણ બહુબહુ તા ૨૫–૨૭ વર્ષની, જેને ગદ્દાપચીસીને સમય કહેવાય તેમાંથી પસાર થતી હતી. વળી તેણીને રાજકારણના બિલ કુલ પરિચય નહતા. જેથી તેણીના તરફથી પણ જોઇએ ત્યારે અને જોઇએ તેટલી સંતાકારક કુમક મળી રહે
www.umaragyanbhandar.com