________________
ષષ્ઠમ પરિચ્છેદ ]
નં. ૪૦—જુનાગઢ દ્રસિંહ પહેલા, સાલનેા આંક ગુમ થયેલ છે. ચૈત્ર શુકલ પંચમી.
શિલાલેખા
આ લેખમાં શું હકીકત છે તથા તેને શું ઉદ્દેશ છે તે (પુ. ૪, પૃ. ૨૧૭-૧૮) જણાવાઈ ગયું છે. અત્ર એટલું જ જણાવવાનું કે, અન્ય લેખેાની પેઠે આપણુ ધાર્મિક કાર્ય નિમિત્તે કાતરાવેલ છે અને ા. આં. રૂ. ના મંતવ્ય પ્રમાણે જૈનસંપ્રદાયને લગતા તે છે. સમયનું વર્ષ ૪૦ છે એટલે લેખ નં. ૩૮, ૩૯ પ્રમાણે તે ઈ. સ. ૧૪૪ના દરે છે.
નં. ૪૧—મુલવાસર
રૂદ્રસિંહ પહેલા, ૧૨૨મું વર્ષ, વૈશાખ વદ પચમી. આ મુલવાસર ગામ, કાઠિયાવાડમાં ગાયકવાડ સરકારના ઓખામંડળ પ્રાંતમાં આવેલું છે તેના તળાવ કાંઠેથી આ લેખ મળ્યા છે. Its purport is uncertainmઆશય અનિશ્ચિત છે. વર્ષ ૧૨૨ એટલે ઈ. સ. ૨૨૫નું ઠરે છે.
નં. ૪ર-જસદણ
રૂદ્રસેન પહેલા, ૧૨૮ (૩ ૧૨૬) મું વર્ષી, ભાદ્રપદ વદ પંચમીના.
This inscription is on a pillar on the bank of the lake at Jasdan in the north of Kathiawar. It probably commemorates the construction of a tank during the reign of Rudrasena= કાઠિયાવાડના ઉત્તર ભાગમાં જસદણુ શહેરના તળાવના કિનારે એક પાળિયા ઉપર આ લેખ કાતરાવેલ છે. રૂદ્રસેનના રાજ્યે તળાવ બંધાવ્યાના સ્મરણમાં તે ઘણુંકરીને ઉભા કરાવ્યા છે. મતલબ કે તળાવ બંધાયું તે સમયની યાદ આપતા તે લેખ છે અને તેના સમય, ૧૨૮ વર્ષ. સ. ૨૩૧ના ગણવા પડે છે.
(૨૩) પેાતાની કીતિ વધારવાના હેતુ તેમાં નહેાતા, પરંતુ તેને જોઇને ભવિષ્યની પ્રજા પણ તેવા પ્રકારનું દાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૧૨૩
શા માટે આ તળાવ ખેાદાયું તે જો કે જણાવવામાં આવ્યું નથી, પરન્તુ આપણે હવે સારી રીતે જાણીતા થઈ ગયા છીએ કે (ઉપરના સર્વે શિલાલેખા જુઓ) પ્રાચીન સમયે, રાજકર્તાને ધર્મ ઉપર ધણી પ્રીતિ રહેતી અને તેથી ધાર્મિક કાર્યો કરવા માટે તલપાપડ રહેતા અને જ્યારે જ્યારે તે નિમિત્તે દાન કરતા ત્યારે ત્યારે, ભવિષ્યની એલાદને તે કાર્યાંની યાદરક આપવા કાજે તેવા લેખ કાતરાવતા. આવા હેતુ સુદર્શન તળાવની પ્રશસ્તિ પાછળ પણ રહેલા હતા તે સ્થાન ગિરનાર જેવા જૈનધર્મના પવિત્ર તીર્થ સ્થાનની—ધામની તળેટીરૂપ હાવાથી ત્યાં, જ્યારે મગધપતિ ચંદ્રગુપ્ત સમ્રાટ યાત્રા કરવા આવ્યા હતા ત્યારે યાત્રિકાને પાણી પીવાની સગવડતા માટે૨૪ તે તળાવ પ્રથમ ધાવવામાં આવ્યું હતું. પાછળથી કાળક્રમે જેમ તેને દુરસ્ત કરાવવાની જરૂરિયાત લાગતી ગઈ તેમ તેના વારસાએ દુરસ્ત પણ કરાવ્યું છે. તે બધા ઇતિહાસથી આપણે હવે સંપૂર્ણ રીતે માહિતગાર થઇ ગયા છીએ. જેમ આ સુદðન તળાવનું સ્થાન જૈનપ્રજાનું એક મુખ્ય તીર્થધામ હતું, તેમ આ જસદણુ પાસેના પ્રદેશ પશુ તેવું જ એક અગત્યનું જૈનધર્મીઓનું તીર્થસ્થાન હતું. અને તેથી કરીને ચણુવંશી રાજાએ જેમને ધર્મ પણ જૈન હતા (જીએ ઉપરના લેખા તથા પુ. ૪માં તેમનું વૃત્તાંત) તેમણે ત્યાં યાત્રા નિમિત્તે જતાં, મૈાય વશી સમ્રાટાનું સુદર્શન તળાવ બંધાવ્યાનું અનુકરણ કરી, એકાદ તળાવ બંધાવ્યું હેાય તે વાસ્તવિક લાગે છે,
આ જસદણુનું સ્થાન કાઠિયાવાડની લગભગ મધ્યમાં અને ચેાટિલાના ડુંગર જ્યાં આવેલ છે તથા જે ભાગને પાંચાલ તરીકે ઓળખાવાય છે ત્યાં આવેલ છે. અલબત્ત ત્યાં જવાના માર્ગ ચોટિલા થઈ તે હાલ નથી, પરન્તુ ભાવનગર રેલવેની જે મેઢાદ—જસદણું લાઈન છે તેમાં જસદણુ નામનું સ્ટેશન છે ત્યાં થઈને છે, પણ જો ગાડા રસ્તે ચાર્ટિલેથી જવાય તે પાંચ સાત માઈલના જ પથ રહે છે. તે પ્રદેશમાં આણંદપુર નામે
દેતાં શિખે, એવા એધપાઠ આપવાના હતા. (૨૪) પૃ. ૩, ૫, ૧૮૩ તથા ટીકાએ
www.umaragyanbhandar.com