________________
: um
પંચમ પરિચ્છેદ
કેટલાક ઐતિહાસિક શિલાલેખો ટૂંકસારા-ઐતિહાસિક વસ્તુ તારવવામાં શિલાલેખો અને સિકકાઓ અતિ મહત્વનો ભાગ ભજવે છે તે નિવિવાદિત છે. આંધ્રુવંશને ઈતિહાસ સંકલિત કરવામાં જે જે શિલાલેખો અને સિક્કાઓ ઉપયોગી નીવડ્યા છે તેને અભ્યાસ, તેટલા માટે પ્રથમ જરૂરિયાતને લેખાય. તેમાંથી સિક્કાને લગતી માહિતી પુ. ૨માં અતિ વિસ્તારપૂર્વક લખાઈ ગઈ છે. અહીં શિલાલેખ સંબંધી હકીકતને પરિચય કરાવવાની આવશ્યક્તા છે. આમ તે, જ્યાં જ્યાં હકીકત લખવામાં આવે ત્યાં ત્યાં તેના પુરાવા તરીકે જ, તેવા શિલાલેખાને કે તેમાં આલેખાયેલ વસ્તુને જે નિર્દેશ કરાય તો પણ પરત લેખાય, પરંતુ કેટલીક વખત એક જ શિલાલેખને આધાર અનેક વખત અને કેટલીક વખતે એક હકીકત માટે અનેક શિલાલેખેને આધાર લેવો પડે છે ત્યારે તે સ્થાને બધાના ઉતારા કરવાથી પુસ્તકનું કદ વધી જાય; વળી એવું પણ બને કે, ઉપયોગી થાય તેટલા જ અક્ષરો કે વાકના ઉતારા આપ્યા હોય છતાં યે, આગળ પાછળની સમજાતી મેળવવા મા આખાને આખા લેખમાંની વસ્ત રજુ કરવાની જરૂરિયાત તે ઉભી રહી જાય છે જ. આ બધી મુશ્કેલીને તેડ કાઢવા માટે, જેમ સિક્કાઓનું વર્ણન જાદું પાડયું છે તેમ શિલાલેઓને પણ જુદા જ તારવી સ્વતંત્ર પરિચછેદે ચર્ચવા, અને જ્યાં જરૂર જણાય ત્યાં માત્ર તેની આંક સંખ્યાને આધાર બતાવે તે શ્રેયસ્કર જણાયું છે. તેના બે પરિચ્છેદ અત્ર કરવામાં આવ્યા છે.
દરેક શિલાલેખમાં, જે જે હકીકત ઉપયોગી નીવડવા વકી લાગી છે, તેનું અક્ષરશઃ ટાંચણ પ્રો. રેપ્સનના, આંધ્રુવંશના સિક્કાને લગતા પુસ્તકમાંથી (Coins of the Andhra Dynasty) પ્રથમ અંગ્રેજીમાં ઉતાર્યું છે. તે બાદ તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. તે પછી, તેને લગતું વિવેચન મજકુર ગ્રંથકારે ઉપરોક્ત ગ્રંથમાં જે કર્યું હોય તે તે અગ્રેજી શબ્દોમાં ઉતારી તેને અનુવાદ કરી બતાવ્યો છે. અને છેવટે, ઉપરની સઘળી હકીકતને લગતા અમારા વિચારો દર્શાવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com