________________
ચતુર્થ પરિચ્છેદ ]
નં. છનું વૃત્તાંત) સમયે, જ્યારે મહાભાષ્યકાર પતંજલી મહાશય થયા હતા ત્યારે તેઓ વૈદિક મતાનુયાયી થયા હતા; તેમજ ખીજી હકીકત એમ પણ જાહેર થઈ છે કે, ઉપરના બનાવ બન્યા પછી કેટલેક કાળે આ શતવહનવંશમાં એક રાજા થયા હતા કે જેણે વૈદિક ધર્મ અંગીકાર કરી, શકશાલિવાહન નામનેા સંવત પ્રવર્તાવવા માંડયા હતા, આ હકીકત જો યથાર્થ હાય તા—જો કે આ રાજાના સિક્કા જે જે પ્રકાશમાં આવ્યા છે તથા તેમને ઉકેલ જે પ્રકારે કરી શકાયા છે, કે કરી શકીએ છીએ તે જોતાં, તેને પુષ્ટિ મળતી હેાય એવું દેખાતું નથી છતાં પૌરાણિક ગ્રંથામાં વર્ણવાયલી અનેક ઐતિહાસિક બિનાએ સત્ય હાવાનું આપણે વારંવાર જોતા અને પુરવાર કરતા આવ્યા છીએ, તે સ્થિતિ લક્ષમાં લેતાં, આ ધર્મ પલટાની હકીકતને પણ સત્ય ન હેાવાનું માનવાને કારણ નથી. એટલે—જરૂર માનવું જ રહે છે કે, આ રાજાએ એ પોતાના બાપીકા ધર્મ જૈન સંપ્રદાયના હતા તેમાં એ વખત પલટા કર્યાં હતા. એક પતંજલી ભગવાનના સમયે અને ખીજો શકપ્રવર્તક રાજા શાલિવાહનના સમયે; અત્ર આપણે હવે એ તપાસવું રહે છે કે, આ પ્રમાણે સ્થિતિ ક્રમ થવા પામી હતી.
ધાર્મિક ક્રાંતિ
મળી આવતા સિક્કાઓના આધારે આંધ્રભૃત્યા ક્રાણુ અને સ્વતંત્રપણે વર્તતા આંધ્રપતિ કાણુ તે દર્શાવનારા જે કાઠા આપણે પૃ. ૬૬ ઉપર જોડયા છે તેથી જોઈ શકીએ છીએ કે, પ્રથમના સાત રાજાઓમાંથી, પહેલા, ખીજો, અને પાંચમા–એ ત્રણ રાજા પેાતાના આખાયે રાજઅમલ દરમિયાન તદ્દન સ્વતંત્ર જ હતા જ્યારે બાકીના ચાર–ત્રીજો, ચોથા, છઠ્ઠો અને સાતમા—થેાડા વખત સ્વતંત્ર અને થાડા વખત માંડળિકપણે રહ્યા છે; અને જે માંડળિકપણું તેમને શિરે ચાંટયું છે તે પણ મગધપતિ નંદવંશીઆનું અને મૌર્યવંશીઓનું. આ બન્ને વંશના સમ્રાટ પશુ જૈનર્મિજ હતા, એટલે માંડળિકાને પેાતાના સાર્વભૌમરાજાના ધર્મ સ્વીકારવા પડતા હતા અથવા સ્વીકારવા પડે તેવા નિયમ કબૂલ રાખીએ તેા પણુ તેઓને સ્વીકૃત ધર્મના પલટા કરવાની જરૂર પડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૭૭
આ
નહિ હતી એ પુરવાર થઈ જાય છે. મતલબ એ થઈ કે, પ્રથમના સાતે રાજા જૈનધર્મોનુયાયી જ હતા એટલે સાતમા રાજાના સમયે જ્યારે ભગવાન પતંજલીને ઉદય થયા છે ત્યારે જ તેણે ધર્મનેા પલટા કર્યા હતા એમ માની લેવું રહે છે. તે માટે નીચે પ્રમાણે સંયેાગા વર્તતા હૈાવાનું કલ્પી શકાય છે.
આ સાતમા આંધ્રપતિના જીવન વૃતાંતથી (જીએ આગળ ઉપર) સાખીત થાય છે કે તે અતિ વિચિક્ષણ સ્વભાવને અને મહત્વાકાંક્ષા ધરાવતા રાજવી હતા. વળી બહુ જ નાની વયે ગાદી પ્રાપ્ત થવાથી લગભગ ૫૫-૫૬ વર્ષ પર્યંત રાજ્ય ભાગવવા તે ભાગ્યશાળી થયા છે. આ વચ્ચેના ગાળામાં, તેની જુવાનીના કાળ, કે જે વખતે મનુષ્યને સામાન્યપણે ઉન્માદનું ધેન ચડી આવે છે તેવા ગદ્ધાપચીસીના સમય, તેને મગધપતિ સમ્રાટ પ્રિયદર્શિનના માંડળિકપણામાં ગાળવા પડયા હતા. સમ્રાટ પ્રિયદર્શિને ઉભા કરાવેલ શિલાલેખાથી સુવિદિત થાય છે કે, પોતાની હકુમતના સર્વ પ્રદેશની અને અનુષ્કાના ક્રાઇ રૈયત, સ્વધર્મનાં વિધિવિધા પણ જાતના અંતરાય વિના પાળતી રહે તેની ખાસ કાળજી તેણે બતાવ્યા કરી છે; એટલું જ નિહ, પરંતુ જે કાઈ ધર્મપલટા કરી પોતાના જૈનધર્મમાં આવવા તત્પર હાય તેને આસ્તે આસ્તે તે ધર્મમાં દૃઢ કરવાને, પ્રયત્ન આદરી ધર્મસહિષ્ણુતા પણ બતાવી છે. એટલે પ્રિયદર્શિનનું મરણ થતાં સુધી—આ સમયે સાતમા આંધ્રપતિને ગાદીએ આવ્યાં ૪૫ વર્ષ વીતી ગયાં હતાં, ત્યાંસુધી શાતકરણી રાજાને ધર્મ સંબંધમાં ઊંચા નીચા થવાને કાંઇ કારણ મળ્યું નહેતું. પરન્તુ તેની સાહસિક વૃત્તિને લીધે, મનમાં એવા વિચાર આવ્યા કરતા હતા કે, શું મહારાજા પ્રિયદર્શિન પ્રજાવાત્સલ્ય તાવી ધર્મસંહષ્ણુતાથી કામ લઈને સર્વ પ્રજાને પેાતાના ધર્મમાં લઈ શકે છે, તે સિવાય પ્રજાને રંજીત કરવાના અન્ય રસ્તા નહીં જ હોય ? તેમજ
શું આ એકલા
જૈનધર્મમાં જ તેવી શક્તિ ભરેલી છે અને ખીજા ધર્મમાં તેવું કાંઇ નહિ હોય? આ પ્રમાણેના વિચારા તેના મનમાં ધેાળાયા કરતા હતા. આ સમયે સમસ્ત ભારતવર્ષમાં એ જ ધર્મના પ્રચાર
www.umaragyanbhandar.com