SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ર પરિશિષ્ટ [ પ્રાચીન ની ૧ લી સદી કે તે અરસામાં થયા હશે. આ બધા પુરાવાને એકત્રિત કરીને ગૂંથવામાં આવે તે એક જ સાર નીકળી શકશે કે અમરાવતી સ્તૂપ જૈનધર્મનું જ સ્મારક છે. એટલે આ ચરણપાદુકાવાળાં બંને દશ્યા ઐદ્ધનાં નથી પરતુ નાનાં છે એમ સાખિત થયું ગણાશે. ચરણપાદુકાઓ અને આવાં દૃશ્યાને વિદ્વાને ભલે બૌદ્ધધર્મનાં જણાવે છે છતાંયે તે સંબંધી તેમણે દર્શાવેલા વિચારા આપણે જાણવા જેવા છે. કાતરકામની ઓળખના ઊઁડા અભ્યાસી અને તે બાબતમાં જેમણે એ માટાં પુસ્તકા બહાર પાડવાં છે તથા જે એક સત્તાસમાન લેખાય છે તેવા મ. જેમ્સ ક્રગ્યુસન જણાવે છે 31॰ As repeatedly mentioned, there is as little trace of any image of Buddha or Buddhist figure being set up for worship, much before the Christian Eraવારંવાર કહેવામાં આવ્યું છે તેમ, યુદ્ધદેવની કાઈ મૂર્તિની અથવા બૌદ્ધધર્મને લગતી કાઈ આકૃતિની, ઇ. સ.ને આરંભ થયા તે પહેલાં લાંબા કાળે પૂજા નિમિત્તે સ્થાપના થઈ હાય, તેનું જરા પણ ચિન્હ કે નિશાની મળી આવતી નથી. મતલબ કહેવાની એ છે કે, ઈસવી સનને આરંભ થયા ત્યાં સુધી તે। બૌદ્ધધર્મમાં કઇ આકૃતિ કે પ્રતિમા જેવું પૂજનને માટે હતું જ નહીં. અથવા ખીન્ન શબ્દોમાં કહીએ તે એવી મતલબ થઈ કે, ઇસવાના શકના આર ંભ થયા તે પૂર્વે ઐાદ્ધધર્મીઓમાં પૂજન માટે ક્રાઈ જાતની પ્રતિમા કે આકૃતિ નહાતી જ; હાય તા યે હજી ચરણુ કે પાદુકા હેાવા સંભવ છે. જ્યારે ઉપરનાં ચારે દશ્યામાં (નઢપાણુ, ગૈતમોપુત્ર, સંકિસા અને તિરસ્ફુટ સ્તંભોમાં) તા આકૃતિઓ સ્થાપન થયાની જ સ્થિતિ બતાવી છે. એટલે તેમના શબ્દોથી જ સિદ્ધ થયું કે આ સ્તંભોને ઐાદ્ધધર્મ સાથે લાગતું વળગતું નથી. આઢની મૂર્તિ સંબંધી જેમ આ વિદ્વાનના મત પડયા છે તે જ પ્રમાણે તેવા એક બીજા વિદ્વાને ભારહુત સ્તૂપ કે જે અત્યારે મેાટા ભાગે ધર્મનું સ્મારક હોવાનું મનાઈ રહ્યું છે તેમાંના કેટલાંક ચિત્રા ઉપરથી પેાતાના૧ મત રજુ કરતાં જણાવ્યું છે કે, “As usual, the Buddha himself is not delineated at the Bharhuta Stupa=sમેશની પેઠે ભારહત સ્તૂપમાં બુદ્ધદેવની આકૃતિ—રેખાચિત્ર પાડવામાં આવ્યું નથી” એટલે તેમના કહેવાનો મતલબ એમ છે કે, જ્યાં જ્યાં બુદ્ધદેવ (બૌદ્ધધર્મ સંબંધી) સંબંધી સ્મારક કરવું હોય અથવા તેમની સ્થાપના બતાવવી હાય—તેમનું પ્રતિર્ભિબ દર્શાવવું ઢાય, ત્યાં ત્યાં હંમેશાં, મૂર્તિ રૂપે જ તે ખડું કરાય છે; જ્યારે ભારહુતના સ્તૂપમાં તેમ કરવામાં આવ્યું દેખાતું જ નથી. તાત્પર્ય કે ભારહુતના સ્તૂપને બીજાએ ભલે બૌદ્ધધર્મના દ્યોતક તરીકે લેખતા હશે, પરંતુ પેાતાને તે બાબતમાં શંકા ઉદ્ભવી કેમકે જો તે ધર્મનું સ્થાન તે Ëાત તા, હમેશની પ્રણાલિકા મુજબ તે સ્થાને મુહૃદેવની પ્રતિમા જ પધરાવી હેાત; નહીં કે ચરણુ પાદુકા આ કારણથી પોતે તે ભારહતના સ્થાનને ઐહસ્થાન લેખતા અચકાય છે. ઉપરમાં રજુ કરેલાં છ એ દષ્ટાંતા વિધતાની માન્યતા પ્રમાણે ઐાદ્ધધર્મનાં દ્યોતક નથી, પરંતુ જૈનધર્મનાં તે સ્મરણ ચિન્હો છે એમ આપણે દાખલા દલીલાથી પુરવાર કરી ખતાવ્યું છે. વળી માગળ પાછળના સંજોગા અને હકીકતને આધારે તે બધું કહેવામાં આવ્યું છે એટલે તેમાં શંકાને સ્થાન પણ રહેતું નથી. છતાં કાઈ ને એમ શંકા ઉદ્ભવે કે, આ બધા પુરાવા અને તેમાં કરેલી ચર્ચા પરાક્ષ—Indirect—— જેવી કહેવાય, તેના કરતાં ને પ્રત્યક્ષ-direct—પુરાવા તે માટેના મળી આવે, અથવા રજુ કરાય તા તે વિશેષ વજનદાર કહેવાય. તેથી તેમનાં મનનું સમાધાન કરવા માટે એર બીજાં બે દૃશ્યા રજુ કરીશું. (૧૦) જીએ હિ. ઈં. ૪. આ. પુ. ૧, ૪, ૧૨૨. (૧૧) સુ. ઈં. પૃ. ૧૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy