SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] પરિશિષ્ટ ૩૭૧ હતાં. (ભલે આ સમયબાદ અનેક ધર્મક્રાંતિના સમયે તેનું અનુકરણ અન્યધર્મીઓએ કરી વાળ્યું હેાય તે વસ્તુ જુદી છે) એટલે આ નિયમ-સિદ્ધાંતને આપણે તે ધર્મનાં દશ્યાનું રહસ્ય ઉકલનાર એક ચાવીરૂપ ગણીશું. હવે ખીજા એ દૃષ્ટાંતા લઇશું. સંકિસા અને તિરહુટ પીલર્સ (જીએ ચિત્ર આકૃતિ નં. ૪૯ તથા ૫૦). આ બન્નેને વિદ્વાનેએ બૌદ્ધધર્માં જાહેર કર્યાં છે. પરંતુ આમાંના તિરહુટસ્તંભ તા સમ્રાટ પ્રિયદર્શિનની કૃતિ છે; તેની ટાંચે સિંહાકૃતિ પણ છે. સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે પુરવાર કરી અપાયું છે કે તે રાજા જૈનધર્મી હતા અને તેણે પાતાના ધર્મના છેલ્લા પ્રવર્તક શ્રી મહાવીરના જીવનમાંના અમુક પ્રસંગને અંગે ત્યાં સ્તંભ ઉભા કરાવ્યા હતા. વળી તે મહાવીરનું એળખ ચિન્હ–લંછન, સિંહ હેાઇને તેણે તે સ્તંભના શિરાભાગે ગાવી દીધા છે. મતલબ કે તિરસ્ફુટ સ્તંભ જૈનાના છે. તેવી જ રીતે સંકિસા પીલરનું પણ સમજવું. ફેર એટલે જ કે, આ સ્તંભની ટાંચે હાથી છે. અલબત આ હાથીનું માથું ખંડિત થયેલું હાવાથી માત્ર-ધડ જ ઉભું રહેલું દેખાય છે. પરંતુ તેનું ચિત્ર એવા પ્રકારે લેવાયેલું છે કે ધણા ધણા વિદ્યાતાએ તેને સિંહ જ માની લીધેાપ હતા. હવે તે ભ્રમ નીકળી ગયા છે અને તે હાથી જ છે. એમ સ્પષ્ટ થયું છે. આ હાથીના ચિન્હને પણ જૈનધર્મ સાથે જTM સંબંધ છે. તેની સાથે બૌદ્ધધર્મને શું સંબંધ હાઈ શકે તે અમારી જાણમાં નથી. હેાય તે તે ઉપર ક્રાઈ સજ્જન જરૂર પ્રકાશ પાડે એમ આપણે ઈચ્છીશું. એટલે હવે સમજવું રહે છે કે આ બન્ને સ્તંભા પણ જૈનધર્મને જ લગતા છે. ઉપરમાં સ્તંભાની હકીકત તપાસી છે. હવે ચરણ પાદુકા હોય તેવાં દૃશ્યાની હકીકત વિચારીએ. તે માટે એ ચિત્રો રજુ કર્યા છે. તે બન્ને આ પુસ્તકના મુખપૃષ્ઠે જોડેલ છે. આ બન્ને ચિત્રોનું પ્રાપ્તિસ્થાન અમરાવતીસ્તૂપ નામે ઓળખાતા ટાપ, જે ઠેકાણેથી મળી આવ્યા છે તે જ છે; અથવા એમ કહી કે તે સ્તૂપના જ આ અંશા છે. આ અમરાવતી સ્તૂપને મહાવિજયપ્રાસાદ કહેવાયા છે; તેમજ હાથીગુંકાના લેખથી હવે સાખિત થઈ ગયું છે કે તે રાજ ખારવેલે બંધાવ્યા છે. એટલે કે આ અમરાવતી સ્તૂપ તથા તેનું સ્થાન જૈનધર્મનું જ સ્થાન છે. વળી પુ. ૧ પૃ. ૧૫૦ થી આગળના વર્ણને આપણે સાબિત કરી ગયા છીએ કે આ સ્થાને ઈ. સ. પૂ. ૫૮૦ના સમયમાં એન્નાતટનગર નામનું મહા સમૃદ્ધિવાળું અને શ્રીમંત જૈન વેપારીએથી વસેલું શહેર આવી રહ્યું હતું; અનુમાન થાય છે કે આ શહેરને નાશ ઈ.સ.પૂ. આ સ્ત ંભાને અત્યાર સુધી ખૌદ્ધના મનાયા છે એટલે આ પશુઓના ચિન્હાને બૌધર્મ સાથે શું સંબંધ છે તે જાણવાની દરેકને ઇચ્છા થાય જ, (૪) વિશેષ અધિકાર સમ્રાટ પ્રિયદર્શિનનું સ્વતંત્ર જીવન વૃત્તાંતનું પુસ્તક અમે બહાર પાડવાના છીએ તે જીએ. (૫) હિસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઇસ્ટ આર્કીટેક્ચર પુ. ૧. પૃ. ૫૮. The shaft is surmounted by an elephant but so mutilated that even in the 7th cent., the Chinese traveller Hiuen Tsiang mistook it for a lion=સ્તંભની ટાંચે હાથી છે પણ તે એવી ખડિત અવસ્થામાં છે કે, ઈ. સ.ની ૭મી સદીમાં પેલા ચિનાઈ ચાત્રિક હ્યુએનશાંગે તેને સિંહ ધારી લીધા હતા. (૬) ઉપરની ન. ૩ ની ટીકામાં જેમ ચાવીસમા અને પ્રથમ તીર્થંકરનાં લનની હકીક્ત છે તેમ અત્ર જણાવેલ હસ્તી તે બીજા તીર્થંકરનું ચિન્હ ગણાય છે. (૭) મિ. જેમ્સ ફર્ગ્યુસન કૃત હિ, ઈં. ઇ, આ. પુ. ૧. પૃ. ૨૨૩ અને ૪૯ ઉપરથી અનુક્રમે લીધાં છે. (૮) જેમ્સ ફર્ગ્યુસન સાહેબે જણાવ્યું છે કે—From bas-relief at કાતરકામ ઉપરથી લીધેલ છે. Amaravati અમરાવતી સ્વપના (૯) આ બધા વર્ણન માટે ઉપરમાં પૂ. ૩૧૭ થી આગળ જુએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy