SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તેને જે શિકસ્ત ખાવી પડી હતી તથા પેાતાના પૂર્વજના મેળવેલા કેટલાક પ્રાંતા ગુમાવી દેવા પડયા હતા, તે કલક તેના હૃદયમાં એક શલ્ય તરીકે ખૂંચ્યા કરતુ હતું. પરિણામે પેાતાના વિજયદર્શક સંવત ચલાવવાના વિચાર તેણે પડતા મૂકી દીધા હશે. ગમે તેમ હાય, પણ કુશાન સંવતના પ્રારંભ તેના રાજ્યથી થયા નથી એટલું ચોકકસ છેજ. કાઇ એમ પણ બચાવ લાવી શકશે કે તેણે મથુરા તે સર કર્યું હતું પણ તુરત મરણ પામ્યા હતા. એટલે તે સમયથી જ તેના શકના આરંભ થયા છે. પરંતુ કાઈ સંવતની આદિ તેના પ્રવર્તકના મરણના સમયથી ગણુાવાની પ્રથા ચાલુ થઈ હેાય તેવું જાણુવામાં આવ્યું નથી. તેટલામાટે વેસ ફંડસીઝ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ નવમ ખંડ તેના મરણના સ્મારક તરીકે, તેને સંવત ન ચલાવતાં તેના પુત્રે પેાતાના રાજ્યાભિષેકના સમયથીજ સંવતને આરભ ગણાવ્યા છે. તેા વળી સવાલ એ થશે કે શું કનિષ્ક એવે નગુણા બન્યા હતા કે પેાતાના પિતાના પરાક્રમની અવગણના કરી દે? પરંતુ વાસ્તવિકતા એ કહેવાત કે, તેના પિતાના રાજ્યાર`ભથીજ તે શકની આદિ તેણે ગણાવવી રહેત. આ બધી કલ્પના તેનાથી શક જે પ્રવર્તમાન થયેા નથી તે એકજ વસ્તુ સ્થિતિથી ધરાશાયી થઈ પડે છે. અને જ્યારે મથુરા સુધી પણ તે પહેાંચી શકયા નથી ત્યારે મથુરાની પૂર્વે કેટલાયે માઈલના આંતરે આવેલ ખનારસ સુધી તે તે પહોંચ્યા હેાવાનું માનીજ કેમ શકાય ? www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy