SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] લેખા આધાર, શંકા રહિત માન્ય રાખવા જ પડશે. તેમાં લખ્યું છે }E “Khavela in• vaded Magadha and laid siege to Rajgriha and that four years later, he captured the royal palace (at Pataliputra) and made the Raja of the Magadhas fall at his feet.= ખારવેલે મગધ ઉપર ચડાઈ કરી રાજગૃહીતે ઘેરી હતી. તે બાદ ચાર વર્ષે ( પાટલિપુત્રને ) રાજમહેલ કબજે કરીને, મગધપતિને પોતાના પગ પાસે નમાવ્યા હતા.” ત્યારે બીજી બાજૂ એમ જણાવવામાં આવે છે કે, પુષ્ય નક્ષત્રને સ્વામિ બૃહસ્પતિ છે, એટલે પુષ્પ અને બૃહસ્પતિ તે બન્ને શબ્દો એક જ ગણાય અને પરસ્પરસૂચક તરીકે વાપરવામાં આવે છે; જેથી ' પુષ્પમિત્ર ' શબ્દ તે બૃહસ્પતિમિત્રો બદલે વપરાયેલું બીજું નામ ગણાય અને તે ઉપરથી જે મગધપતિ બૃસ્પતિમિત્રના ઉપર પ્રમાણે ફેજ ચક્રવર્તી ખારવેલે આણ્યા હતા, તે અન્ય કોઈ નહી પણુ પુષ્પમિત્ર શુ'ગવંશી ઉર્ફે ગૃહસ્પતિમિત્ર સમજવા. વળી એમ પણ કહેવામાં આવે છે કે ( જે આપણે આગળ ઉપર જોઈશુ ૩) અતિપતિ રાજા પુષ્યમિત્રે મગધની રાજધાની પાટિલેપુત્ર ઉપર ચડાઇ કરીને ત્યાંના રાજાને હરાવ્યા તથા પાટલિપુત્ર લૂટી લઈને 16 વ્યક્તિ (૯) જીએ ઇ. હિ. કા. પુ. ૫, પૃ. ૧૮૭. (૧૦) જીએ જ, બી, ગા. રી. સે. પુ. ૧૩, પૃ. ૨૪૪-૫૦. (૧૧) કે. હિં. ઇં, પૃ. ૫૧૮-સિદિશાના રાજ્યની સાથે, અને તેમાં પણ મુખ્યપણે તેનાં સાહિત્ય અને શિલાલેખા સાથે જ શુગ(વા)નું ામ જોડાયલું દેખાય છે. C. H. I. P. 518. It is with the kingdom of Vidisa that the Sungas are especially associated with the literature Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૭ ખેદાનમેદાન કરી નાંખ્યું. એટલે એમ સાબિત થયું કે પુષ્પમિત્ર અને મગધપતિ અને જુદી જ વ્યક્તિ છે. મતલબ કે, એક વખતે એમ કહેવું કે ચક્રવર્તી ખારવેલે મગધપતિ બૃહસ્પતિમિત્ર ઉર્ફે પુષ્યમિત્રને હરાવ્યા ( એટલે કે હારનાર વ્યતિ પુષ્યમિત્ર થઈ ! અને બીજી તખતે પાછું એમ કહેવુ કે પુષ્પમિત્રે જ મગધપતિ બૃહસ્પતિમિત્રને હરાવ્યે ( એટલે કે હરાવનાર વ્યક્તિ પુષ્યમિત્ર થઈ છે. આ બધું પરસ્પર વિરોધિત અને અગ્રાસગિક દેખાય છે. આ ઉપરથી એ જ સાબિત થાય છે કે (૧) ખારવેલથી પરાજીત થયેલ બૃસ્પતિમિત્ર તે પુષ્યમિત્ર પણ નથી (૨) તેમ ખારવેલ અને પુષ્યમિત્ર સમકાલીન પશુ નથી ! બાકી ખારવેલ અને બૃહસ્પતિમિત્ર તે તો સમકાલિન છે જ, એટલું નિવિવાદિતપણે સ્વીકારવું જ જોઇએ, કારણ કે શિલાલેખ ઉપરથી જ તે હકીકત તો સિદ્ધ થાય છે.૧૨ ( જુા પુ. ૧, પૃ. ૩૮૮. ઉપર તથા પુ. ૪ માં ખારવેલા વૃત્તાંતે ). જેમ ખારવેલ અને પુષ્યમિત્ર એ સમકા લોન નથી. તેમ ઊલટું ખારવેલ તે પુષ્યમિત્રની પૂર્વે કેટલાંય વર્ષે થઈ ગયેલ છે. તેના પુરાવા પણ મળી આવે છે. જ. એ. બી. રી. સા. પુ. ૧૩ પૃ. ૨૪૦-૫૦ માં (નીચે ટીપ્પણ ૧૬ and inscriptions. ( મતલબ કે શુ ́ગવંશીઓની રાજ્યગાદી અવતિમાં જ હતી ). (૧૨) કારણ કે આપણે ખારવેલના સમય ઇ. સ. પૂ. ૪૨૯ થી ૩૯૩=મ, સ, ૯૮ થી ૧૩૪ લેખીએ છીએ અને બૃહસ્પતિમિત્ર ઉર્ફે આઠમા નંદના સમય ઈ. સ. પૂ. ૪૧૭ થી ૪૧૪ સુધીના ગણીએ છીએ; જ્યારે પુષ્યમિત્રનો સમય તે ઈ. સ. પૂ. ૨૦૪ છે ( લગભગ ૧૭૫ વર્ષનું અંતર છે). www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy