SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન [ દ્વિતીય જુઓ) અમરકેજના આધારે લખાયું છે કે, “પુષ્યમિત્ર પછી તેને પુત્ર અગ્નિમિત્ર ભારતને સમ્રાટ થયો. તેને અમરકેષની ટીકામાં ચક્રવર્તી તરીકે નિર્દો છે. અગ્નિમિત્રના સિક્કાની પેઠે બરાબર તે જ કોટિ અને રૂપનો સિક્કો બૃહ- સ્પતિમિત્રો છે. બૃહસ્પતિમિત્રના સિક્કા અગ્નિમિત્રના સિક્કાથી પહેલાંના ૧૩ મનાય છે. બૃહસ્પતિમિત્રને સગપણ સંબંધ અહિચ્છત્રના રાજાઓ સાથે હતો કે જેઓ બ્રાહ્મણ હતા, એ કોસમ-પભેસાના શિલાલેખથી નક્કી છે.૧૪" આ વાક્યથી નીચે પ્રમાણે ફલિતાર્થ નીકળે છે (૧) અગ્નિમિત્રની રાજકીતિ ચક્રવર્તીના જેવી જવ- લંત હતી (૨) અગ્નિમિત્રના સિક્કા ઉપલક દષ્ટિએ જોતાં તે બૃહસ્પતિમિત્રના સિકકા જેવા જ દેખાવમાં છે, પણ બારીકાઈથી તપાસતાં બૃહસ્પતિના સિક્કા, અગ્નિમિત્રના કરતાં પૂર્વ સમયના દેખાય છે. એક કેટિના અને એક રૂપના હેય તેથી બહુબહુ તે એટલું જ સિદ્ધ થાય, કે બંનેને અમલ એક જ પ્રદેશ ઉપર ચાલ્યા હશે, પણ તેના ઘડતર કે બાહ્ય સ્વરૂપમાં લાક્ષણિક રીતે જે તફાવત માલૂમ પડે છે, તે બંનેની વચ્ચેના સમયને આંતરે જ બતાવનારું લેખાય. હવે જે બહસ્પતિમિત્ર તે જ પુષ્યમિત્ર હોય અને પુષ્યમિત્રની પછી તુરત જ તેને પુત્ર અગ્નિમિત્ર ગાદીએ આવ્યો હોય, તે તે બેની વચ્ચેનું અંતર બિકુલ ન જ ગણું શકાય. એટલે સાબિત થયું કે, પુષ્યમિત્રના અને અગ્નિમિત્રના સિક્કાને જે સમય હેય, તેના કરતાં બહસ્પતિમિરને સમય બહુ પૂર્વનો છે અને તેથી જ બહસ્પતિમિત્રના સિક્કા, અગ્નિમિત્રના સિક્કાની પૂર્વે પાવામાં આવ્યા હેાય તેવી રીતે જુદા પડી જતા દેખાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જેમ પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર સમકાલીન છે, તેમ ખારવેલ અને બૃહસ્પતિમિત્ર પણ સમકાલીન છે. પણ પુષ્યમિત્ર અને ખારવેલના સમયની વચ્ચે તે અંતર જ છે; છતાં કોઈના મનમાં એમ પણ ઊગી આવે કે, હાથીગુફાના શિલાલેખમાં નોંધાયા પ્રમાણે, પ્રથમ ખારવેલે મગધપતિ બહસ્પતિમિત્રને હરાવ્યા હોય, એટલે ખારવેલ મગધપતિ (૧૩) “જૈન સાહિત્ય સંશોધક” ખંડત્રી પૂ. ૩૭૮: જુએ ટી. નં. ૧૬; આપણે પણ તેમજ બતાવી ગયા છીએ, કારણ કે બૃહસ્પતિમિત્ર (ાએ પુ. ૧, પૃ. ૩૨૪.) ને સમય ઈ. સ. પૂ. ૪૧૭ છે જ્યારે પુષ્ય. મિત્રને સમય ઈ. સ. પૂ. ૨૦૪ છે. (૧૪) આ હકીક્તને યુરેપના પ્રસિદ્ધ ઐતિહા- સિકેએ પણ સ્વીકારી લીધી છે. (૫. જયસ્વાલજી જેના સાહિત્ય સંશોધક. ખંડ બીજે પૃ. ૩૭). (૧૫) સર કનિંગહામ પોતાના કે. ઈ. એ. નામે પસ્તકમાં પૃ. ૭૬ ઉપર લખે છે કેઃ I incline rather to assign the coins (bearing name of Agnimitra ) to a local dynasty of princes as they are very rarely found beyond the limits of North Pauchala અનિમિત્રના નામવાળા સિક્કાને સ્થાનિક રાજવંશી માનવા તરફ મારું વલણ વધારે ને વધારે થતું નય છે કેમકે ઉત્તર પાંચાલની હની બહાર તે (સિક્ક) કવચિત જ જડી આવે છે. (૧૬) સર કનિંગહામ પોતાના કો. ઈ. એ. પૃ. ૮૧ ઉપર લખે છે કે The coin (PI, vii fig. 1 & 2 of Brihaspatimitra) is earlier than any of the Mitrns-(ચિત્રપટ, ૭. માં . ૧, ૨ વાળ બ્રહસ્પતિમિત્રને સિકો) મિત્રવંશી રાજાઓના કેઈ પણ સિક્કા કરતાં પ્રાચીન છે (એટલે કે મિત્ર અક્ષરના અંતવાળા શુંગવંશી રાજાના કરતાં તે પ્રાચીન છે. ) સરખા ઉપરનું ટી. નં. ૧૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy