SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસકારોના [ પ્રથમ રહે છે કે તે ઈ. સ. પૂ. ૧૭૮ સુધી (યજ્ઞ થયા બાદ ત્રણ વર્ષ સુધી ) જીવંત રહેવા પામ્યો નથી પણ તેનું મરણ ઇ. સ. પૂ. ૧૮૧ માં જ અને તે પણ રાજા અગ્નિમિત્ર યવન પ્રજા ઉપર છત મેળવી તે પૂર્વે બેડા માસમાં જ, થયું લાગે છે. એટલે આ ત્રણે બનાવે એક જ સાલમાં તેમજ નીચેના અનુક્રમે બન્યાનું જ આપણે ગોઠવી શકીશું. પ્રથમમાં ઈ. સ. પૂ. ૧૮૧ની આદિમાંયવન પ્રજાની સાથેના યુદ્ધમાં વસુમિત્રનું મરણ; તે બાદ તુરત જ અને કદાચ વિના વિલંબે પણ હેયયવન પ્રજા સાથેનું રાજા અગ્નિમિત્રનું યુદ્ધ અને પછી તુરત જ બીજા અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહૂતિ અને કલ્કિનું ઉપનામ ધારણ કરવું. આ પ્રમાણે સ્થિતિ હોવાથી રાજા અગ્નિમિત્રે યવન પ્રજા સાથે યુદ્ધ કરીને કેવા ટૂંક સમયમાં જ તેમની હાજરી લઈ લીધી હતી, તે જેમ સમજી શકાય છે, તેમ તેનું પરાક્રમ કેવું હશે તથા સામને કરી ટકી રહેવામાં યવન પ્રજાનું જેર કેવું હશે તેનું માપ પણ કાઢી શકાય છે, અત્રે એક મુદા તરફ વાચકવર્ગનું જરા ધ્યાન ખેંચી લેવા ધારું છું. જો કે તેની અતિ અગત્યતા નથી જ, પણ પ્રસંગ આવ્યો છે તે શા માટે જવા દે? પૃ. ૪૬. ઉપરના કોઠામાં વસુમિત્રના મરણના સમય માટે બબે આંકડા ધારી લેવા પડયા છે; કેમકે પુરાણકારોના કથનમાં બે ભેદ પડી ગયા હતાએક પક્ષવાળાએ વસુમિત્રની સત્તા ૭ વર્ષની આંકી હતી અને બીજાએ તેની મર્યાદા ૧૦ વર્ષની આંકી હતી; પણ હવે આપણને ખાત્રી થઈ છે કે તેનું મરણ . સ. પૂ. ૧૮૧ માં જ થયું છે એટલે બીજી સાલ-ઈ. સ. પૂ. ૧૭૮ ને-નિર્દેશ જે કરાશે છે તે નિરર્થક છે; અને તેમ થતાં કેટલાક પુરાણકારોનું જે મંતવ્ય વસુમિત્રની સત્તા દશ વર્ષ રહી હતી એમ થયું છે, તે આપોઆપ ખાટું ઠરી જાય છે. હવે આપણે વસુમિત્રને જન્મ જયારે ઈ. સ. પૂ. ૨૦૮ માં અને મરણ ઇ. સ. પૂ. ૧૮૧ માં સાબિત કરી શક્યા છીએ, ત્યારે કહેવું જ પડશે, કે તેનું મરણ તેના પિતાના રાજકાળ દરમ્યાન માત્ર ૨૭ વર્ષની ઉમર ભર યુવાનીમાં નીપજયું હતું. તેથી કરીને જ જૈન ગ્રંથકારોએ તેનું નામ શુંગવંશી રાજા તરીકે નામાવલીમાં દાખલ કરેલ નથી. હવે તેની તારીખે આપણે નીચે પ્રમાણે ગોઠવી શકીશું. તેની ભોગવેલ ઈ. સ. પૂ. ઉમર પદનાં વર્ષ ૨૦૮ • • ૧૮૮ ૨૦ ૭ જન્મ, મ, સં, ૧૯ યુવરાજ પદે (પુષ્યમિત્રનું ૩૮ મરણ અને અગ્નિમિત્રનું સ્વતંત્રપણે રાજપદે આવવું) મરણ ૩૪૬ ઉપર પ્રમાણે પુષ્યમિત્ર-અગ્નિમિત્ર અને વસુમિત્ર તે ત્રણે જણાને સમય નિર્ણય થઈ જવાથી, ભારતીય ઇતિહાસકારોને મૂંઝવતા અને ૧૮૧ ૨૭ જટિલમાં જટિલ ગણાતા એક પ્રશ્નને નિકાલ થયે ગણાશે. હવે એક બીજા મુદ્દા ઉપર આપણે જઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy