SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] પુરુષ માની લીધા છે. પણ આપણે હવે પછીના પૃષ્ઠોનાં વાંચનથી જોઇ શકીશુ કે તે સધળા પ્રભાવ કે શક્તિ, રાજા પુષ્યમિત્રના કરતાં તેના પુત્ર અગ્નિમિત્રમાં જ છે એમ પુરવાર થઇ શકે છે. અલબત્ત, રાજા પુષ્પમિત્રની પ્રવૃત્તિની શરૂઆત તિહાસની દૃષ્ટિએ વિચારતાં સેનાધિપતિ તરીકેના હાદાથી થઇ છે; અને તે હ્રાદ્દો જો કે મહાનૂ જોખમદારી ધરાવતા ગણાય છે, છતાં રાજાના પદ કરતાં સૈન્યપતિપદની જવાબદારી તો કેટલેય દરજ્જે—અરે! કહો કે અનેક ગણી—ઓછી જ ગણાય છે. તેમ વળી રાજ્યની ખરી લગામ શું ગવ શી તરીકે રાજા પુષ્યમિત્રના હાથમાં આવી, ત્યારે તે તે લગભગ ખખડધજ જેવા અને નિષ્ક્રિય જિ ંદગી ગાળવા જેટલી વૃદ્ધ ઉમરના બની ગયા હતા. એટલે કે તે પાતે જેને વૈદિક ધર્માંમાં વાનપ્રસ્થ અવસ્થા કહેવાય છે તેવી અવસ્થા ગાળા હતા; ( જે પ્રમાણે સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્યાભિષેક થયા બાદ, સમ્રાટ અશોકે પણ લગભગ ૧૯ વર્ષ ગાળ્યાં હતાં ) પણ તેની વિદ્યમાનતા હૈાવાથી, સમ્રાટ અગ્નિમિત્ર પોતે ગાદીપતિ હાવા છતાં તેમનું માન જાળવી રાખતા હતા; જેથી કરીને વૈદિક ગ્રંથકારોએ રાજા પુષ્યમિત્રની તે વાનપ્રસ્થ અવસ્થાના સમયકાળને પણ રાજવકાળમાં ગણ્યા છે; એટલે પુષ્યમિત્રનો સત્તાના બે વિભાગ પાડી શકાશે: ... (૧) મૌર્યવંશી રાજઅમલ દરમ્યાન સેનાધિપતિના પદ ઉપરના... ૨૨ વ. ( ૨ ) અને પુરાણકારા તેના અમલના જે ૩૭ ૩૮ વર્ષ ગણાવે છે તેમાંથી ઉપરના ૨૨ વર્ષ જતાં બાકી વાનપ્રસ્થ અવસ્થાના રહ્યા તે... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કરેલું સમાધાન ૧૬ વ - ૩૮ ૧. ૫૩ એમ કુલ મળીને ૩૮ વર્ષ સુધી તેને સત્તાકાળ ગણીશું. હવે જૈન ગ્રંથકારાનાં અભિપ્રાય પ્રમાણે તેના નામ સાથે ૩૦ વર્ષ ગણાવાયાં છે, અને આ ૩૦ વર્ષ પણ ખુદ રાજાપદના કાળ તરીકે તે। નથી જ લેખાવ્યા; પણુ જુદા જુદા અમલ દરમ્યાન તેણે જે સયુક્ત અધિકાર ભાગ્યે હતા તેના સરવાળાની ગાંધ તરીકેનાં હોય એમ સમજાય છે; કેમકે જો તેમ ન હાત અને એક સ્વતંત્ર સત્તાધીશ તરીકે તેના એકલાના ખાતે જ તે સમય નાંધવા હાત, તે। જેમ હુ ંમેશાં તે લખતા આવ્યા છે તેમ, તેનું એકલાનુ જ નામ લખીને તેની સાથે ૩૦ વર્ષના આંક મૂકત; પણ તેમ જ્યારે તેઓએ દર્શાવ્યું નથી ત્યારે સ્પષ્ટ થાય છે કે તે પોતે તેમના મત પ્રમાણે સ્વતંત્ર રાજા તરીકે કદી નહીંજ આવ્યા હૈાય; અને તેથીજ પુછ્યું - મિત્ર-અગ્નિમિત્ર એમ તેનું નામ ભેગું લખીને તેમના ખાતે ત્રીસ વર્ષ મૂકવા દુરસ્ત ધાર્યું લાગે છે. આમ કરીને તેઓએ પુષ્યમિત્રનું નામ । સુચવ્યુ છે પણ તેની ગણના ગૌણુપણે રાખી, અગ્નિમિત્રનુ મુખ્યતાએ ગણવુ' જોઇએ તેવી ગૂઢ સ’જ્ઞા પણ સૂચવી છે. હવે જો ત્રીસ વર્ષ, જે પુષ્યમિત્ર-અગ્નિમિત્ર ના સંયુક્ત અમલના છે, તેમાંથી પ્રથમના સાળ . વર્ષના કાળ જે સમયે પુષ્પમિત્ર પોતે વાનપ્રચ અવસ્થામાં હતા, એમ આપણે ઉપર સાબિત કરી ગયા છીએ તે બાદ કરવામાં આવે તે, બાકીના ચૌદ વર્ષના કાળ અગ્નિમિત્રના સ્વત ંત્રપણે રાજકારોબાર ચલાવ્યાનો રહેશે, એટલે તાપ એ થયા કે, અગ્નિમિત્રના ત્રીશ વર્ષના રાજ્યઅમલ દરમ્યાનમાંના, પ્રથમના સેાળવર્ષ સુધી પુષ્યમિત્ર વાનપ્રસ્થાવસ્થામાં હૈયાત રહ્યો હતા. હવે વાચ. કને સમજાશે કે પુષ્યમિત્રને ખાતે જે ૩૮ વ સુધીના સત્તાધિકાર ગણાવ્યા છે ( જુએ પૃ. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy