________________
[ ૪ ]
( ૧૧ )
આજે જ્યારે દેશના સાચા ઇતિહાસ પણ દેશજના માટે દુર્લભ થઈ પડયા છે, હિંદના જાજ્વલ્યમાન ભૂતકાળ ઉપર જાણી જોઈને પર્દા પાડી, રાષ્ટ્રના સંતાન સમક્ષ હિંદની પરાધીનતાના અને પામરતાના દિવસેાના જ ઉલ્લેખ કરનારા વિદેશીઓએ લખેલા કે પ્રેરેલા ઇતિહાસ ધરવામાં આવેલા છે, તેવે સમયે પચીસ પચીસ વર્ષના તપને પરિણામે ગ્રંથકારે ઉપલબ્ધ સાધનાના બની શકે તેટલે અભ્યાસ કરીને ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના હજાર વર્ષના ઇતિહાસ આપવાના કરેલા પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દિશામાં પ્રકાશ ફેંકનારો છે. આ ઉપયેગી ગ્રંથને ઇતિહાસના અભ્યાસીએ જ નહીં પણ તમામ ગુજરાતીએ વાંચવા પ્રેરાય તેવા આગ્રહ કરીએ છીએ, અને એક ગુજરાતી સંશોધક વિદ્વાનની કદર કરી પેાતાને શીરેથી એકદરપણાને દોષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુસ્તક સત્કારવા ચેાગ્ય હાવાની ખાત્રી આપીએ છીએ.
મુંબઈ
હિંદુસ્તાન અને પ્રજામિત્ર (દૈનિક પત્ર)
( ૧૨ )
દાક્તર ત્રિભુવનદાસ શાહે ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસપર જે નવા પ્રકાશ પાડવા તત્પરતા બતાવી છે એ ભારતવર્ષીય દરેક વ્યક્તિ તેમજ સંસ્થાએ અભિનંઢવા ચેાગ્ય છે. પાતે લખેલા ઇતિહાસનાં પ્રકરણેાની ટૂંક પીછાન પત્રિકારૂપે આપીને આપણને ખૂબ ઉત્કંઠિત બનાવ્યા છે. આવા શ્રમપૂર્વક અને આટલી વિગતવાળા પુસ્તકને દરેક વ્યક્તિએ પેાતાથી મને તેટલી મદદ કરવી જોઈએ.
દેશભાષામાં આવા પુસ્તકની અત્યંત જરૂર વર્ષો થયાં લાગ્યા કરતી હતી. દાક્તર ત્રિભુવનદાસે વર્ષો સુધી મહેનત કરી તેવું એક પુસ્તક તૈયાર કર્યું છે, એ ખરેખર બહુ ખુશી થવા જેવું છે. દરેક શાળા, દરેક લાઇબ્રેરી અને બની શકે તેવી દરેક વ્યક્તિએ એ પુસ્તક અવશ્ય વસાવવા જેવું છે.
મુંબઈ
હિંમતલાલ ગણેશજી અંજારીઆ એમ. એ. [માજી] એજયુ. ઈન્સ્પેકર મ્યુનીસીપલ સ્કુલ્સ મુંબઈ પ્રીન્સીપાલ, વિમેન્સ યુનીવરસીટી, મુંબઈ ( ૧૩ )
આ બધી સાધનસંપત્તિથી ઉત્તેજીત થઈને ડા. ત્રિભાવનદાસ લહેરચંદ શાહે હિંદના પ્રાચીન યુગના ઇતિહાસ ઉપજાવી કાઢવાના જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. જૈન એન્સાઈકલાપીડીઆને અંગે ભેળી કરેલ પ્રમાણભૂત ઇતિહાસીક સામગ્રીના આ ઇતિ ુાસ ઘડવામાં તેમણે વિવેકપૂર્વક ઉપયાગ કરેલ છે. ખંખગાળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિર્ણયાથી ભડકીને ભાગવાને બદલે, હરેક ઇતિહાસપ્રેમી વિદ્યાર્થી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથને અભ્યાસ કરશે તે મારી ખાત્રી છે કે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com