________________
[૫]
યુગના ઇતિહાસના કલિષ્ટ અને શંકાસ્પદ પ્રશ્નો ઉપર ઘણું નવું અજવાળું પડશે. અને આપણે વિદ્યાર્થીઓને કેવે આડે રસ્તે દોરતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણીખાતાં તેમજ પુસ્તકાલય વિગેરેના અધિકારીએ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. પ્રીન્સ એફ વેલ્સ મ્યુઝીઅમ આચાર્ય ગિરિજાશકર વલ્લભજી એમ. એ. મુંબઈ યુરેટર, આાલાજીકલ સેકશન
(૧૪) (ઇંગ્રેજી ઉપરથી અનુવાદ)
ડા. શાહના પ્રાચીન ભારતવર્ષ નામના જંગી પુસ્તકની સંક્ષિપ્ત નાંધ હું રસપૂર્વક વાંચી ગયા છું, અને મને ખાત્રી થાય છે કે, તે ગ્રંથ અતીવ ઉપયાગી અને રસદાયી નીવડશે. તેમણે ઘણા નવા મુદ્દા ચર્ચા છે અને તે સાથે ભલે આપણે સર્વથા સંમત ન પણ થઈ એ, છતાં કર્તાના જબ્બર ખંત અને મહેાળાં વાંચનના પુરાવા તા આપણને મળે છે જ. મને સંપૂર્ણ ખાત્રી છે કે પ્રાચ્યવિદ્યાના અભ્યાસીએ તેના સર્વશ્રેષ્ઠ સત્કાર કરશે. એચ. ડી. વેલીન્કર એમ. એ. મુંબઈ યુનીવરસીટીમાં જૈન સાહિત્યના પરીક્ષક
મુંબઈ વિલ્સન કાલેજ
વડાદરા
(૧૫) (ઇંગ્રેજી ઉપરથી અનુવાદ )
જૈન સાહિત્યના પ્રમાણિક ગ્રંથામાંથી હકીકતની સંભાળ પૂર્ણાંક જે ગવેષણા તેમણે કરી છે, તેમાંજ આ પુસ્તકની ખરી ખૂખી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તત્ત્વા ચાળી કાઢવામાં તેમણે અત્યંત પરિશ્રમ ઉઠાવ્યેા દેખાય છે. અને વર્તમાન સન્માનીત મંતવ્યેાથી તેમનાં અનુમાનેા જો કે લગભગ ઉલટી જ દીશાનાં છે, છતાં કબૂલ કરવું પડે છે કે, તેમના નિર્ણચેાથી રસભરી ચર્ચા અને વિવાદો ઉભા થશે અને તેમાંથી કંઈ અનેરા લાભ પ્રાપ્ત થશે.
•મી. ભટ્ટાચાર્ય.
એમ. એ. પી. એચ. ડી. ડીરેકટર, ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ
(૧૬)
હિંન્દની કાઈ એ ભાષામાં તે શું પણ ઈંગ્રેજીમાં પણ જેની તાલ આવે એવાં ગણતર પુસ્તકાજ હશે; એ બધી વસ્તુએ ખ્યાલમાં લેતાં, અને ઇતિહાસના અભ્યાસીએ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલા છે તે જોતાં, ડૉ. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સંશાધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રંથમાંનાં સંશાધના અને વિધાના એક યા બીજી રીતે માર્ગદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહેાંચાડનારાં થઈ પડશે એમ માનવું વધારે પડતું નથી.
અમદાવાદ
પ્રજાબંધુ (સાપ્તાહિક)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com