________________
ન ધર્મ
૨૭૯
સામા માણસની સાદી સમજમાં પણ ઉતરી શકે તેવી ભાવનાથી, તથા ખરૂં શું હોઈ શકે તેવી રીતે, માત્ર ઇતિહાસશોધનની દૃષ્ટિ તરફ જ કેવળ લક્ષ રાખીને ચર્ચા કરાય, તે તેમાં ખોટું શું છે? છતાં યે ચર્ચા કરવામાં લેખકને શિરે અમુક પ્રકારની ભાત તે રહે છે જ; કેમકે, જે વાચકવર્ગ રૂઢીચુસ્ત-રૂઢીપૂજક કે પૂર્વગ્રહીત વિચાસ્વાળો બની ગયો હોય છે તેમના મનમાં ગઈ છે તેમ અહીં પણ ડાક વિચારે તે ઉપરાંતના જણાવું છું. ઉપર ટકેલાં પૂનાં વિચારના સાથે અત્રની સમજૂતિ પૂરવણી રૂપે છે એમ સમજવું.
કોમને અંગ્રેજીમાં Community શબ્દથી અને ધર્મને Religion, Faith શબ્દથી ઓળખાવાય છે. રીલીજીચનમાં duty (ફરજ) અથવા Human duty (મનુષ્ય તરીકેની ફરજ ) અથવા Humanity (મનુધ્ય પ્રત્યેની દયા ) નો પણ સમાવેશ થાય છે; જયારે કેમ્યુનીટીમાં માત્ર સામાજિક બંધનને જ લાગેવળગે છે, મતલબ કે, કોમ શબ્દથી સામાજિક બંધનના વિચાર કરનારી સંસ્થા સમજવી, જ્યારે ધર્મને વિશ્વવ્યાપી બંધ. નેની રચના કરવાનું ક્ષેત્ર સમજવું
એક માણસ અમુક કામમાં રહ્યો છતે ગમે તે ધમ પાળી શકે છે. તેમાં એક બીજાના ક્ષેત્ર ઉપર એક બીજને આક્રમણ લઈ જવા જેવું હોવું ૫ણું ન જોઈએ અને છે પણ નહીં. એટલે કે, કોમ્યુનીટીને કાર્યપ્રદેશમાં ન રીલીજીયન માથું મારી શકે. કે રીલીજીયનના કાર્યપ્રદેશમાં ન માથું મારે કોમ્યુનીટીને પ્રદેશ; આવી વિશાળ ભાવના જેમાં હોય તે જ ધર્મ વિશેષ આદરણીય બની શકે છે, બની રહે છે.
આવું બંધારણ મૂળ-ધર્મ અને કમ-સંસ્થાનું છે; પણ તે ઉદ્દામ અર્થ છોડી દઈને, સંકુચિત વાડા બાંધી દેવાયા છે. તે એટલે સુધી કે અમુક કેમ કહી, એટલે અમુક ધર્મ જ તેને માટે સમજી લેવાય. જ્યારથી આ મોદશાનું પ્રાધાન્ય થવા માંડયું ત્યારથી મનુષ્યની અધો. ગતિ થવા માંડી છે એમ કહી શકાય. ને તે અધોગતિમાંથી નીકળીને ઉજત દશાએ આવવું હોય તે સઘળા સંકચિત અર્થ ભૂંસી નાખી, મને જે વિશાળ અર્થ કરતે
તે તુરત જ ઊગી આવે છે કે આ ચર્ચા કરવામાં લેખકનો પ્રયત્ન પોતાની માન્યતા વાચકવર્ગ ઉપર ઠસાવવા માટે જ માત્ર છે. તે વિનીત ભાવે તે સર્વને જણાવવાનું કે, તેવી હલકી મને વૃત્તિથી કે ઇતિહાસને લેખક લખવા માંડતો પણ નથી અને માંડે પણ નહીં, અને તેમ કરે છે તે ઇતિહાસના નામને લાંછન લગાડ્યા વિના પણ રહેતો જ નથી. તેને તે જે વસ્તુસ્થિતિ ઈતિહતો તે ભાવનાથી આપણે જોતાં શીખી લેવું જોઈએ.
મૂળે વેદિક અને જૈન ધર્મ એમ બે જ હતા. આજકાલ જે આટલા બધા ધર્મના ફાંટાઓ-શાખાઓ અને ઉપશાખાઓ થઈ પડયાં છે તે જ આપણી ઉન્નતિના અવરોધરૂપ બની રહી છે.
અત્યારે તો એમ જ થઈ પડ્યું છે કે, એક મુસલમીન ભાઈ હોય એટલે તેને ધમ ઈરલામ જ હેવો જોઈએ, એક હિંદુ હોય એટલે તેને હિંદુ ધર્મ સિવાય કોઈ ધર્મ પાળવે જ ન જોઈએ; એટલું જ નહીં પણ બીજનાં તત્વ જાણવા જેટલું પ્રયત્ન પણ કરવા ન જોઈએ. આવી સંકુચિત મનોદશાનું સામ્રાજ્ય સર્વત્ર વ્યાપી રહ્યું છે.
આર્યાવર્તામાં શું, પણ સારા વિશ્વમાયે, પ્રથમ બેજ ધર્મ હતા. ત્યારે હાલ તે ધર્મની સંખ્યાને કેવડ માટે રાફડો ફાટી નીકળ્યો છે. મૂળે બે હતા એટલે વર્તમાન કાળે જે બીન જણાય છે તે કાળે કરીને, અમુક પ્રસંગે ઊભા થતા, તેમાંથી જ ઉદ્ભવેલા સમજવા, જો કે તે તે શાખાના પ્રણેતાઓને તેમ કરવાની જરૂર જણાતાં તે તે પ્રકારે પ્રરૂપ્યું હશે જ, પણ જેમ અત્યારે આપણે ધમ અને કોમને, ઉપર બતાવી ગયા પ્રમાણે સંકુચિત અર્થ કરી વાળે છે, તેમ શાખા ધર્મના પ્રણેતાએને જે ભાવ હતો તે વિસારી દઈને તેમાં પણ સંકુચિત વાડા બાંધી દીધા. સરવાળે પરિણામ એ આવી ગયું કે, કોઈ પણ ધર્મના આદિ સ્થાપકની જે નેમ હતી તે સચવાઈ રહી જ નથી. અને બધા અવળા માગે ચઢી ગયા છીએ, જેથી ગર્વ, અભિમાન, હું પણું ઈ. ઈ. દાખલ થઈ ગયાં છે અને તે જ આપણને વિનાશના માર્ગે ઘસડી રહ્યાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com