SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ સર્વે ક્ષહરાટ [ ષષ્ટમ પણે પ્રવર્તી રહેલી નજરે પડે છે ૨૯ ત્યારે સહજ અનુમાન કરી શકાય કે, ઇ. સ. પૂ. ૮૦ના સમયે પાતિકના સમયે જે વિધિવિધાન ચાલુ હતાં તે સમ્રાટ પ્રિયદર્શનના રાભયે એટલે ઈ. સ. પૂ. ૨૫૦ માં વિદ્યમંતાં હોવાં ૩૦ જોઈએ જ; નહીં તો ઈ. સ. પૂ. આઠમી કે સાતમી સદીને સંબંધ ઈ. સ. પૂ. ની પ્રથમ સદી સાથે ચાલુ હતો એમ માની શકાય જ નહીં. ઉપરમાં તે એટલું જ પૂરવાર કરી બતા- વાયું છે કે, મથુરાસ્તૂપની ઉત્પત્તિ ઈ. સ. પૂ. ની આઠમી સદીની આપપાસ થયેલી હોવી જોઈએ. એટલે તે સમયથી માંડીને મથુરા નગરીની જૈન સંપ્રદાયના એક તીર્થસ્થળ તરિકેની તે ખ્યાતિ હતી એમ માનવું રહે છે. વળી ત્યારથી આગળ વધતાં ઈ. સ. ને આરંભ સુધી પણ તે ને તે જ સ્થિતિ ધર્મસ્થળ તરીકે ચાલુ હતી જ, એમ પણ સાબિત થઈ ગયું છે. એટલું જ નહીં પણ તેને તે જ તીર્થધામ તરીકેની પવિત્રતા ઠેઠ ઈ. સ. ની આઠમી નવમી સદી સુધી જળવાઈ રહ્યાના પુરાવા ઇતિહાસના પાને ચડી ચૂકયાનું જણાયું છે. અને તે પણ કાંઈ સાંપ્રદાયિક કે દંતકથાના ગ્રંથનાં પાને નહીં, પણ “ગૌવહ” જેવા જેતર ગ્રંથોનાં, કે જેનું ભાષાંતર કરવામાં છે. હેલ જેવા પાશ્ચાત્ય વિદ્વાને પણ મગરૂરી ધરાવે છે. અને જે પ્રસંગને મેં ઉલ્લેખ કર્યો છે તે પ્રખ્યાત કનાચાર્ય અને ઐતિહાસિક રાજગુરુ બપભક્ટિરિના સમયે બન્યો હતો. જેમ સેલંકી કુળ ભૂાણ ગૂર્જરનરેશ રાજા કુમારપાળના રાજગુરુ પિલા પ્રખ્યાત પરિશિષ્ટકાર હેમચંદ્રાચાર્ય હતા, તેમ કનેજ અને ગાલિયસ્પતિ પરિહારવંશી અવતંસક સમાન રાજ આશ્રવ કે ૩૨Uદ્રાયુદ્ધના રાજગુરુ આ બપ્પભટ્ટસૂરિ હ . આ આમદેવ રાજને સમય વિક્રમ સંવત ૮૧૧ થી ૮૯૯= ઈ. સ. ૭૫૫ થી ૮૩૪=૭૯ વર્ષને ગણાય છે. તેમના રાજદરબારે ભરેલી કચેરીમાં વાદવિવાદ કરીને ઉપર્યુક્ત જૈનાચાર્યો, વૈદિક પંડિત અને વાદશિરોમણી વિદ્વાન વાકપતિરાજને જીતી લીધા હતા તથા જૈન ધર્માનુયાયી બતાવ્યા હતા. વળી આ પ્રસંગનું વર્ણન ખાગળ ચલાવતાં જણાવ્યું છે કે, મથુરાજીના જે વરાહ મંદિરમાં વાકપતિરાજ પૂર્વે ધ્યાનસ્થ રહેતા હતા ત્યાંથી તેમને પાસેના પાર્શ્વનાથના જૈન મંદિરમાં લઈ ગયા હતા. આ સમયે (ઈ. સ. ૮૨૬=વિ. સં. ૮૮૨) તે બપ્પભટ્ટજીએ તે મંદિરને અંગે પ્રતિષ્ઠા કરાવી છે; જેને અંગે તે ગ્રંથકાર મહાશયે એટલું જ લખ્યું છે કે, He ( Bhappa-bhat Suri) placed a certain 'Top-image in a temple at Mathuraeતેમણે (બપ્પભટ્ટસૂ (૨૯) જુએ ઉપરમાં ટાંકેલા શબ્દ (પાંચમી કલમમાં અંગ્રેજી શબ્દોનું અવતરણ). વળી આ કથનને છે. જાલ કાર્પેન્ટીયર જેવા અન્ય દેશીય અને પુરા તસ્ત્રના અભ્યાસીએ સંમતિ આપી છે એટલે તે હકી- કત વિશેષ મજબૂત બની ગણાશે. જુઓ નીચેની ટીકા નં. ૩ ના સમયને અક. (૩૦) સરખાવો ઉપરની ટી. નં. ર૯. (૩૧) સમ્રાટ પ્રિયદર્શિનના સમયની તથા તેના શિલાલેખની કેટલીક હકીક્ત જૈન સંપ્રદાય પ્રમાણે નથી, એવી માન્યતા કેટલાક ધરાવે છે. તેઓ આ થન ઉપર મનન કરશે એવી વિનંતિ છે. (૩૧) જુએ ગૌડવ નામનું પુસ્તક છે. રાઈટ અને હોલકૃત ભાષાંતર. પ્રસ્તાવના પૃ. ૧૫૬, (૩૨) જેમ સોલંકી કુળભૂષણ ગૂર્જરનરેશ કુમારપાળના રાજગુરુ પ્રખ્યાત પરિશિષ્ટ કાર હેમચંદ્રસૂરિ હતા, તેમ પરિહારવંશી કને જ અને ગ્યાલિયરપતિ રન મામદેવ(પેલા સુવિખ્યાત ભોજદેવના દાદા )ને પ્રતિબંધક બપસંદસૂરિ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy