SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] અને ધર્મ ૨૫૧ ગ્રાફમાં જે ચર્ચા-વિચારણા રજૂ કરી છે તેમાંથી એક બીજી સ્કૂરણ ઉદ્ભવી ઉદભવતી છે, તે તેની સત્યાસત્યતા એક માટે અત્ર "ક્ત કરું છું. સ્કૂરણ આપણે એમ જોઈ ગયા કે જે બે સંસ્કૃતિ અસલમાં હતી તેનાં નામ-બ્રાહ્મણ અને જૈન-એમ હતાં. પછી વેદની નવીન રચના ઈ. સ. પૂ નવમી કે દસમી સદીમાં થવાથી બ્રાહ્મણ સંસ્કૃતિનું નામ ફેરવાઈને વૈદિક સંસ્કૃતિ નામ પાડયું; અને છેડે કાળે એટલે કે તે બાદ બીજી ચારેક રાશી જતાં બૌદ્ધ નામે ત્રીજી સંસ્કૃતિને ઉદય થયો. આ પ્રમાણે એક હકીકત છે. બીજી હકીકત એમ છે કે, જ્યારે નવીન સંસ્કૃતિ ઊભી થાય છે ત્યારે તેના ઉત્પાદક હમેશાં મહાવિચક્ષણ, વિચારક કે ગષક હોય તો જ બની શકે છે અને તેવા ગુણને ધારક મનુષ્ય ક્યારે બની શકે કે જ્યારે પોતે અઠંગ વિદ્યાવિલાસી તથા શાસ્ત્રને પારંગત હોય તે જ. મતલબ કે, પંડિતે, વિદ્વાનો કે આચાર્યો હેય તેવાથી જ નવી સરકૃતિને ઉદ્ભવ-આરંભ થાય છે. હવે આ ત્રણે સંસ્કૃતિને ઇતિડારા તપાસીશું તે એટલી બીના તે સ્વયં જણાઈ આવે છે કે, બ્રાહ્મણ સંસ્કૃતિના પંડિતાએ જ, વન અને બૌદ્ધ સંસ્કૃતિ અપનાવી છે; કારણ કે તેમાં અનેક દષ્ટાંત ઇતિહાસના પાને ચડેલ દેખાય છે; પણ જૈન કે બૌદ્ધ સંસ્કૃતિના પંડિતોએ બ્રાહ્મણ સંસ્કૃતિ અપનાવી હોય એવું એક પણ દષ્ટાંત જણાયું નથી. અથવા બન્યો હોય તે કઈ રોખો દાખલો જ. આ સ્થિતિ એમ પુરવાર કરે છે કે, તે જમાનાને વૈદિક સંસ્કૃતિના સંચાલકમાં ગમે તે રીતને અતિરેક વ્યાપી ગયો છે જેઈએ; કે જેથી તેમના વિદ્વાને અને પંડિત તેને ત્યાગ કરી અન્ય સંસ્કૃતિ તરફ વલણ ધરાવતા થઈ જતા હતા. આવા અતિરેક બે પ્રકારે હેઈ શકે છે. એક અંતરથી અને બીજે બાહ્યથી. અંતતેથી તેને કહી શકાય કે જે, મજકુર સંસ્કૃતિનાં વિધિવિધાન કે અનુદાનને અંગે ઉત્પન્ન થતો હેય; અને બાહ્ય તેને કહેવાય કે જે રાજસત્તા અથવા આચાર્ય જેવા પુરૂષેની ધાકધમકીથી ઉત્પન્ન થતો હેય. અત્યારસુધીને જે ઈતિહાસ આપણે જાણી ચૂક્યા છીએ તે ઉપરથી એમ જરૂર કહી શકાશે કે, બૌદ્ધસંસ્કૃતિના ઉદય સમયે બાહ્ય અતિરેક નહોત; કેમકે તે વખતે બ્રાહ્મણ સંસ્કૃતિને પાલક કોઈ રાજા નહોતા, પણ જેનસંસ્કૃતિપ્રધાન રાજાઓ હતા ખરાઃ અને જે હતા તેમણે પણ ક્યાંય અસહિષ્ણુતા વાપરી હેય કે દમદારી કરી હોય તેવું નોંધાયું નથી. એટલે આંતરિક અતિરેક જ તે ઉદ્ભવના કારણરૂપ બન્યો હે જોઈએ એમ અનુમાન કરવું રહે છે. જ્યારે આગળ જતાં અશોકવર્ધન, પ્રિયદર્શિન અને શુંગવંશીઓને રાજઅમલ તપાસીશું તે રાજસત્તાને અતિરેક થયેલ માલૂમ પડે છે. છતાં કહેવું જ પડે છે કે અશોકવને કે પ્રિયદર્શિને કદી પણ રાજસત્તાને ઉપયોગ ધર્મના અનુદાન બાબતમાં પોતાની પ્રજા ઉપર કર્યો હેય-અરે આદર્યો હોય–તેમ બતાવી શકાશે નહીં; જ્યારે શુંગવંશીઓને અમલ બાહ્ય અતિરેકના જવલંત દષ્ટાંત તરીકે ઇતિહાસમાં હમેશાં યાદગાર જ રહી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy